૭.૦૬

ચાડથી ચાંદખાં અને સૂરજખાં

ચાડ

ચાડ : ઉત્તર આફ્રિકાના મધ્ય ભાગમાં ઉષ્ણ કટિબંધમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 15° 00’ ઉ. અ. અને 10° 00’ પૂ. રે.. તે એક વખતનું ફ્રેન્ચ સંસ્થાન હતું. તેની દક્ષિણે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક રાજ્ય, પૂર્વમાં સુદાન, ઉત્તરે લીબિયા, પશ્ચિમે નાઇજર અને નાઇજિરિયા અને નૈર્ઋત્ય ખૂણે કૅમેરૂન છે. તેનું ક્ષેત્રફળ 12,84,000…

વધુ વાંચો >

ચાણક્ય

ચાણક્ય : જુઓ કૌટિલ્ય

વધુ વાંચો >

ચાણસ્મા

ચાણસ્મા : પાટણ જિલ્લામાં આવેલ તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તાલુકાનો વિસ્તાર 886.7 ચોકિમી. છે અને વસ્તી 2001માં 1,28,576 હતી. આ તાલુકામાં ચાણસ્મા શહેર (વસ્તી : 15,819) અને 112 ગામો છે. ચાણસ્મા તાલુકાનો કેટલોક ભાગ વઢિયાર (વૃદ્ધિપંથક) તરીકે અને વીરમગામ અને કટોસણ–બહેચરાજી નજીકનો ભાગ ચુંવાળ તરીકે ઓળખાય છે.…

વધુ વાંચો >

ચાતક (pied crested cuckoo)

ચાતક (pied crested cuckoo) : કુકુલિડે કુળનું પક્ષી. સહસભ્ય કોયલ. શાસ્ત્રીય નામ Clemator jacobinus. ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં તેને મોતીડો કહે છે. શરીર મેનાના જેટલું; પરંતુ પૂંછડી પ્રમાણમાં લાંબી; માથે સુંદર કલગી; ચાંચ કાળી; પગ વાદળી ઝાંયવાળા કાળા; ઉપરના બધા ભાગ ઝાંખા કાળા; ડોક અને નીચેનો ભાગ…

વધુ વાંચો >

ચાતુરી

ચાતુરી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો પ્રચલિત, છતાં ઉત્તમ કોટિનો કાવ્યપ્રકાર. મધ્યકાલીન બંસીબોલના કવિ દયારામના સમય સુધીમાં નરસિંહ મહેતા, રણછોડ, મોતીરામ, અનુભવાનંદ, જીવણરામ, નભૂ, હરિદાસ અને દયારામની રચેલી ‘ચાતુરી’ રચનાઓ જાણવામાં આવી છે. એક ચાતુરી અપ્રસિદ્ધ પણ મળી આવી છે, જેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. આ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ‘ચાતુરી’ઓમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

ચાતુર્માસ્ય

ચાતુર્માસ્ય : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

ચાન્સેલેરી પૅલેસ, રોમ

ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે…

વધુ વાંચો >

ચાન્હુ-દડો

ચાન્હુ-દડો : સિંધ(પાકિસ્તાન)ના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીને પૂર્વકાંઠે અને મોહેં-જો-દડોની દક્ષિણે 125 કિમી. દૂર આવેલું પુરાતત્ત્વીય સ્થળ. અહીં 1935માં ડૉ. મૅકેની આગેવાની નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનનમાંથી એક પુરાતન નગરના 5 થર મળી આવ્યા. આમાં સહુથી નીચેના 3 થર હડપ્પીય સભ્યતાનું ઉત્તરકાલીન સ્વરૂપ ધરાવે છે. તેનો સમય ઈ.…

વધુ વાંચો >

ચાપેક, કરેલ

ચાપેક, કરેલ (જ. 9 જાન્યુઆરી 1890, બોહેમિયા, ચેકોસ્લોવાકિયા; અ. 25 ડિસેમ્બર 1938) : ચેકોસ્લોવાકિયાના નવલકથાકાર અને નાટ્યકાર. ડૉક્ટર પિતાના આ પુત્રે પૅરિસ, બર્લિન તથા પ્રાગની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચિત્રકાર તથા સ્ટેજ-ડિઝાઇનર બનેલા પોતાના ભાઈ જોસેફ ચાપેક(1887–1945)ના સહયોગમાં તેમણે 1910થી નાટકો લખવાનો આરંભ કર્યો. આ સહલેખનના પરિણામે લખાયેલાં નાટકો પૈકી…

વધુ વાંચો >

ચાબુક અંગારિયો (આંજિયો)

ચાબુક અંગારિયો (આંજિયો) : Ustilago scitamina નામની ફૂગથી થતો શેરડીનો રોગ. આ રોગ જંગલી શેરડીમાં વિશેષ આવે છે. તેનું નિયંત્રણ નીચે મુજબ થઈ શકે છે : (1) રોગિષ્ઠ છોડ જણાય કે તરત જ ચાબુક ફાટી જાય તે પહેલાં તેનો ઉપાડીને નાશ કરવો; (2) રોગમુક્ત બિયારણની પસંદગી કરવી; (3) કટકાને પારાયુક્ત…

વધુ વાંચો >

ચામાચીડિયું

Jan 6, 1996

ચામાચીડિયું : ઉડ્ડયન કરનાર કિરોપ્ટેરા શ્રેણીનું એક સસ્તન પ્રાણી. ચામાચીડિયાં ગ્રીક : (પાણિ = હાથ (કર) ptero = પાંખ) 2 ઉપશ્રેણી (megachiroptera અને micro-chiroptera) અને 19 કુળમાં તેમજ 950 ઉપરાંત જાતિઓમાં વહેંચાયેલાં છે. મોટા ભાગનાં ચામાચીડિયાં અંધારી જગાએ વાસ કરતાં હોય છે; કેટલાંક વૃક્ષોની ડાળીઓ પર ઊંધાં લટકતાં જોવા મળે…

વધુ વાંચો >

ચામુંડરાજ

Jan 6, 1996

ચામુંડરાજ (ઈ. સ. 997–1010) : ગુજરાતનો સોલંકી કુળનો રાજવી. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના અવસાન પછી એનો પુત્ર ચામુંડરાજ ઈ. સ. 997માં ગુજરાતનો રાજવી બન્યો. એની માતા માધવી ચાહમાન કુલની હતી. ચામુંડરાજ ગાદીએ આવ્યો તે પહેલાં યુવરાજ તરીકે તેણે શ્વભ્રમતી (સાબરમતી) નદી ઓળંગીને લાટ પર ચડાઈ કરી હતી અને ભરૂચના…

વધુ વાંચો >

ચાર ચક્રમ

Jan 6, 1996

ચાર ચક્રમ : 1932માં રણજિત મૂવીટોન દ્વારા નિર્મિત હાસ્યરસનું પ્રથમ બોલતું-ગાતું ચિત્રપટ. ફિલ્મની પટકથા જયંત દેસાઈ અને જિતુભાઈ મહેતાની હતી અને તેનું હિન્દી રૂપાંતર એસ. એલ. શ્રીવાસ્તવ ‘અનુજ’ દ્વારા કરાયું હતું. ‘ચાર ચક્રમ’ના નિર્દેશક જયંત દેસાઈ હતા. સંગીતનિર્દેશન ઉસ્તાદ ઝંડેખાંસાહેબનું હતું. ફિલ્મના કલાકારોમાં ઘોરી, ઈ. બીલીમોરિયા, કેકી અડાજણિયા, દીક્ષિત, ઈશ્વરલાલ,…

વધુ વાંચો >

ચારણ, અર્જુનદેવ

Jan 6, 1996

ચારણ, અર્જુનદેવ (જ. 1954, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા નાટ્યકાર, દિગ્દર્શક અને કવિ. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ધરમજુદ્ધ’ માટે 1992ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાનીમાં પીએચ.ડી. કર્યું છે અને હાલ જોધપુરમાં જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં રાજસ્થાની વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી સંભાળે છે. 1974થી તેમણે નાટ્યલેખનનો પ્રારંભ…

વધુ વાંચો >

ચારણ, રેવતદાન ‘કલ્પિત’

Jan 6, 1996

ચારણ, રેવતદાન ‘કલ્પિત’ (જ. 1924, મથામિયા મારવાડ, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઉછાલૌ’ને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમ.એ. તથા કાયદાની સ્નાતક ડિગ્રી તથા સાહિત્યરત્નની ઉપાધિ તેમણે મેળવેલ છે. તેમણે રાજસ્થાની, હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વ્યવસાયે તેઓ વકીલ છે. તેઓ ડાયરાના કવિ…

વધુ વાંચો >

ચારણી સાહિત્ય

Jan 6, 1996

ચારણી સાહિત્ય : ગુજરાત-સૌરાષ્ટ્રમાં વસતા ચારણોએ સાહિત્યક્ષેત્રે કરેલું પ્રદાન. ચારણ શબ્દનો અર્થ કીર્તિ ફેલાવનાર એવો થાય છે. આ કોમનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે. તે પોતાની ઉત્પત્તિ દેવતાઓથી થયાનો દાવો કરે છે અને પોતાને દેવીપુત્રો તરીકે ઓળખાવે છે. ચારણકુલો મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને હિમાલયની પર્વતમાળામાં આવી વસેલાં. ત્યાંથી કાળક્રમે…

વધુ વાંચો >

ચાર મિનાર, હૈદરાબાદ

Jan 6, 1996

ચાર મિનાર, હૈદરાબાદ : 1591માં બંધાયેલ કુતુબશાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. ચતુર્મુખી દરવાજાના રૂપમાં બંધાયેલ આ ઇમારતના ચાર ખૂણા પર આવેલા ભવ્ય મિનારાને કારણે તે ચાર મિનાર તરીકે પ્રસિદ્ધ છે. વિશાળ ઘેરાવાને કારણે ભવ્ય દેખાતી આ ઇમારતનું સ્થાપત્ય અપ્રતિમ છે. લગભગ 30 મી.ની બાજુઓ તથા 56 મી. ઊંચા મિનારાને કારણે તે…

વધુ વાંચો >

ચાર રસ્તા

Jan 6, 1996

ચાર રસ્તા : વિરુદ્ધ દિશામાં જતા બે રસ્તાના ચાર છેડા મળતા હોય તે સ્થાન. ખાસ કરીને જૂનાં શહેરોના આયોજનમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડતા બે મુખ્ય રસ્તાનું આયોજન થતું; તેથી સાધારણ રીતે શહેરનું 4 ભાગમાં વિભાજન થતું. આ મુખ્ય રસ્તા જ્યાં મળે ત્યાં શહેરની ધાર્મિક કે વ્યાપારિક મહત્વની ખાસ ઇમારતો બંધાતી.…

વધુ વાંચો >

ચારી, ફણિશાઈ શેષાદ્રિ

Jan 6, 1996

ચારી, ફણિશાઈ શેષાદ્રિ (જ. 11 નવેમ્બર 1955, વલસાડ, દક્ષિણ ગુજરાત) : નાટ્યવિદ અને શ્રેષ્ઠ દિગ્દર્શક. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી તેમણે એમ.પી.એ.(નાટ્ય)ની ડિગ્રી પ્રાપ્ત કરી પછી બૅંકમાં જોડાયા. સંગીતની ટૂંકા ગાળાની તાલીમ લીધા બાદ તેમણે 1987થી 1990 સુધી મ. સ. યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને 1995માં માનવ સંસાધન…

વધુ વાંચો >

ચારુતર વિદ્યામંડળ

Jan 6, 1996

ચારુતર વિદ્યામંડળ : ખેડા જિલ્લાના હાર્દ સમા ચરોતર પ્રદેશમાં કરમસદ, બાકરોલ અને આણંદના ત્રિભેટે આવેલી નિર્જન અને ભેંકાર વગડાની ભૂમિ ઉપર વલ્લભવિદ્યાનગર નામના એક વિરલ વિદ્યાધામનો 1946માં ઉદય થયો. ગ્રામસમાજના પુનરુત્થાન તથા સર્વાંગી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બાહોશ ઇજનેર ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) અને નિષ્ઠાવાન…

વધુ વાંચો >