૪.૧૪ કલોલથી કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

૪.૧૪ કલોલથી કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

કલોલ

કલોલ : ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો તાલુકો તથા તાલુકામથક. ભૌગોલિક : સ્થાન. 23o 15′ ઉ. અ. અને 72o 30′ પૂ. રે. તે અમદાવાદથી ઉત્તરે, મહેસાણાથી દક્ષિણે અને ગાંધીનગરથી પશ્ચિમે આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 17.2 ચોકિમી. જેટલું છે. તે અમદાવાદ-મહેસાણા-દિલ્હી બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. મહેસાણાથી 42 કિમી., ગાંધીનગરથી 28 કિમી. અને…

વધુ વાંચો >

કલ્કિ

કલ્કિ [જ. 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 1954] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં કરતાં તમિળ સાહિત્યમાં લેખન શરૂ…

વધુ વાંચો >

કલ્કિ/કલ્કી

કલ્કિ/કલ્કી : પૌરાણિક માન્યતા અનુસાર કલિયુગના અંતે હવે પછી થનારો ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર. અવતારો અનેક છે, તેમાં બહુમાન્ય દસ. તે પૈકી આ અંતિમ અવતાર શ્રાવણ સુદ છઠના દિવસે એટલે કે ઈ.સ. 1944 પછી 4,26,136 વર્ષો પૂરાં થયા બાદ કલ્કીનો અવતાર થશે એવો કેટલાકનો અંદાજ છે, કલિયુગના અંતભાગમાં અધર્મની અત્યંત…

વધુ વાંચો >

કલ્પ

કલ્પ યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું પ્રમુખ વેદાંગ. મનુષ્યને અસ્મિતાનું ભાન થયું ત્યારથી તેની જીવનપ્રણાલી સંસ્કારયુક્ત થવા લાગી. પોતે આ સૃષ્ટિનું અંગ છે, સૃષ્ટિનું સંચાલન ઋતના અટલ નિયમને આધારે થાય છે, ઋતનું નિયામક કોઈ અદીઠ તત્વ સર્વત્ર વિદ્યમાન છે અને પોતાનું અસ્તિત્વ એ તત્વને અધીન છે, સર્વસ્વ સમર્પણ કરી તેની પૂજા…

વધુ વાંચો >

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક : દક્ષિણ ભારતમાં ચેન્નાઈ (મદ્રાસ) નજીક કલ્પક્કમ્ ખાતે સાગરકાંઠે જુલાઈ 1983માં કાર્યરત કરાયેલું દેશનું ત્રીજું પરમાણુ વિદ્યુતમથક. તારાપુર ખાતેનું દેશનું સૌપ્રથમ પરમાણુ વિદ્યુતમથક (TAPS) અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સંપૂર્ણપણે બાંધીને ચાલુ કરી આપ્યું હતું. ભારતનું બીજું પરમાણુ વિદ્યુતમથક રાજસ્થાનમાં કોટા નજીક રાણા પ્રતાપસાગર ખાતે આવેલું છે. રાજસ્થાન…

વધુ વાંચો >

કલ્પતરુરસ

કલ્પતરુરસ : આયુર્વેદિક રસૌષધિ. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ મન:શિલ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને ફુલાવેલો ટંકણખાર – આ છ ઔષધિઓ 10-10 ગ્રામ; સૂંઠ અને લીંડીપીપર 20-20 ગ્રામ તથા કાળાં મરી 100 ગ્રામ લેવામાં આવે છે. સૂંઠ, મરી, પીપરનું બારીક ચૂર્ણ બનાવી, પછી પાકા કાળા આરસના ખરલમાં પ્રથમ પારો અને…

વધુ વાંચો >

કલ્પન અને કલ્પનશ્રેણી

કલ્પન અને કલ્પનશ્રેણી (image and imagery) : સંવેદન કે અનુભૂતિને શબ્દ દ્વારા મૂર્ત રૂપ આપવા પ્રયોજાતી ભાષા. આ બંને પદોના શબ્દાર્થ ઉપરાંત સંકેતાર્થો પણ ઘણા છે. કલ્પન એટલે કેવળ મનોગત ચિત્ર એવું તો નથી જ. સામાન્ય રીતે કલ્પનશ્રેણી એટલે પદાર્થો, કાર્યો, લાગણીઓ, વિચારો, મનોરથો, મન:સ્થિતિઓ તથા ઇન્દ્રિયગમ્ય કે ઇન્દ્રિયાતીત અનુભવો…

વધુ વાંચો >

કલ્પનવાદ

કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને…

વધુ વાંચો >

કલ્પના (મનોવિજ્ઞાન)

કલ્પના (મનોવિજ્ઞાન) : ભૂતકાળમાં પ્રત્યક્ષીકરણ પામેલી બાબતોનું નવા જ સ્વરૂપમાં કે નવી જ રીતે સંયોજિત થઈને આવવું તે. કલ્પનામાં, ભૂતકાળમાં ન જોઈ-જાણી હોય તેવી કોઈ બાબત આવતી નથી; કલ્પનામાં અનુભવાયેલાં તત્વોનું ‘નવું સંયોજન’ થાય છે એટલું જ. દા.ત., શરીરે ગુલાબી ચટાપટા હોય એવા લીલા હાથીની કોઈ કલ્પના કરે તો એમાં…

વધુ વાંચો >

કલ્પના (સાહિત્ય)

કલ્પના (સાહિત્ય) : સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું તાત્વિક મહત્વનું ઉપાદાન. પ્રારંભમાં સર્જકો તથા વિવેચકોએ મુખ્યત્વે તેનો કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને ઉલ્લેખ કર્યો છે. સાહિત્યનાં બીજાં સ્વરૂપો અને સિદ્ધાંતોની જેમ જ આ પ્રશ્ન વિશે પણ મધ્યયુગ તથા પુનરુત્થાન યુગ દરમિયાન ઍરિસ્ટોટલ અને પ્લૅટોના નામે ઘણી ચર્ચા થઈ છે. મધ્યયુગ દરમિયાન કલ્પનાલક્ષી બાબતો પૂરતો બહુધા…

વધુ વાંચો >

કલ્પવૃક્ષ

Jan 14, 1992

કલ્પવૃક્ષ : માનવની સઘળી મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ. માનવમન અનેક અભિલાષાઓનું જન્મસ્થાન છે. એ ક્યારેક ધનધાન્યને ઝંખે છે, ક્યારેક સુવર્ણની અપિરિમિત રાશિને, ક્યારેક પૃથ્વી પરના આધિપત્યને કે ઇંદ્ર જેવા ઐશ્વર્યને, ક્યારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને, આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે.…

વધુ વાંચો >

કલ્પસર-યોજના

Jan 14, 1992

કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ…

વધુ વાંચો >

કલ્પસૂત્ર

Jan 14, 1992

કલ્પસૂત્ર : દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન. શ્વેતામ્બર જૈન માન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં છ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ નામક છેદસૂત્ર ચોથું છે. તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુસ્વામી મનાય છે. તેનું વાચન પર્યુષણપર્વ દરમિયાન થતું હોવાથી તેને પર્યુષણા કલ્પસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પસૂત્રના પ્રથમ ભાગ જિનચરિતમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવળજ્ઞાન અને…

વધુ વાંચો >

કલ્પિત કણો

Jan 14, 1992

કલ્પિત કણો (quasi-particles) : બે કરતાં વધુ કણ ધરાવતા બૃહત્તંત્ર(macrosystem)ના ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસ માટે સામાન્યત: ઉપયોગમાં લેવાતું એક ખૂબ જ સફળ મૉડલ. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) કે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં બૃહત્તંત્રના કણ માટે ગણતરી કરવી અતિ મુશ્કેલ બને છે, કારણ કે પ્રત્યેક કણ બીજા ઘણા બધા કણ સાથે આંતરક્રિયા (interaction) કરે…

વધુ વાંચો >

કલ્બ

Jan 14, 1992

કલ્બ : બૌદ્ધિક ક્રિયાઓના આધારરૂપ અંતઃકરણનો ભાગ. સૂફીઓ એક ઉચ્ચતર આત્માનો સ્વીકાર કરે છે અને તેના ત્રણ વિભાગ કરે છે : કલ્બ, રૂહ અને સિર્ર. કલ્બનો અંતઃકરણની બુદ્ધિ સાથે યોગ છે. સૂફીઓ અનુસાર કલ્બ સ્થૂળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે રહેલું છે. દૃશ્યમાન જગતમાં અભિવ્યક્ત થનારા પરમાત્માવિષયક જ્ઞાનને તે…

વધુ વાંચો >

કલ્યાણ

Jan 14, 1992

કલ્યાણ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કલ્યાણ થાટમાંથી રચાયેલ તેનો આશ્રય રાગ. ભારતના વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજીએ માત્ર દસ થાટમાં ઉત્તર ભારતીય સંગીતના રાગોનું વર્ગીકરણ કર્યું છે. થાટ અથવા મેળનો અર્થ સ્વરોની કોમલ તીવ્રતાનો  ઉપયોગ કરીને બનાવેલી એક નિશ્ચિત સ્વરરચના. દરેક જનક થાટને એટલે કે મેળને એમણે એ જ…

વધુ વાંચો >

કલ્યાણજી-આણંદજી

Jan 14, 1992

કલ્યાણજી-આણંદજી (જ. અનુક્રમે 1928, 1933) : હિંદી ચલચિત્રજગતની સંગીત-દિગ્દર્શક જોડી. કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો. બાળપણથી જ બંનેએ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવી હતી. કલ્યાણજીએ કુમારાવસ્થામાં પાષાણ-તરંગ નામનું પથ્થરનું વાદ્ય બનાવીને કચ્છના મહારાવની પ્રશંસા મેળવી હતી. 1952માં …

વધુ વાંચો >

કલ્યાણદાસજી

Jan 14, 1992

કલ્યાણદાસજી (જ. ?; અ. 1820, કહાનવા, તા. જંબુસર) : અવધૂતી સંત. ઊંડેલ(તા. ખંભાત)ના પાટીદાર કુટુંબમાં જન્મેલા આ સંતના જન્મ કે બચપણ વિશે માહિતી મળતી નથી. તેઓ અખાની શિષ્ય-પરંપરામાં ગણાતા જીતા મુનિ નારાયણના શિષ્ય અને નડિયાદવાળા સંતરામ મહારાજના ગુરુભાઈ હતા. સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં રહેતા કલ્યાણદાસજી એક અલફી (કફની), એક ચીમટો અને…

વધુ વાંચો >

કલ્યાણપુર – સુમન

Jan 14, 1992

કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુ. 1937) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. કેશવરાવ ભોળે, અબ્દુલ રહેમાન ખાનસાહેબ તથા પ્રો. નવરંગ તેમના સંગીતગુરુ હતા. પાર્શ્વગાયનનો પ્રારંભ મરાઠી ફિલ્મથી, પરંતુ ફિલ્મનું નિર્માણ બંધ પડતાં, પ્રથમ યુગલગીત તલત મહેમૂદ સાથે સંગીતકાર નૌશાદે (શૌકત…

વધુ વાંચો >

કલ્યાણ ભૂગોળ

Jan 14, 1992

કલ્યાણ ભૂગોળ : ભૌગોલિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુખાકારી કે કલ્યાણની વિચારણા કરતી ભૂગોળની વિશિષ્ટ શાખા. માનવભૂગોળના ક્ષેત્રમાં વિકાસ પામતી આ શાખા પ્રમાણમાં નવી છે. ‘સામાજિક કલ્યાણ’ની વિભાવના પ્રાકૃતિક વાતાવરણ, રહેઠાણ, રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સમૃદ્ધિ, આરામ તથા સામાજિક સગવડોના સંદર્ભમાં નિશ્ચિત કરવાનો પ્રયાસ થયો છે. સામાજિક કલ્યાણ એ વસ્તુલક્ષી તથા આત્મલક્ષી…

વધુ વાંચો >