૪.૧૪ કલોલથી કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

૪.૧૪ કલોલથી કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

કલોલ

કલોલ : ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો તાલુકો તથા તાલુકામથક. ભૌગોલિક : સ્થાન. 23o 15′ ઉ. અ. અને 72o 30′ પૂ. રે. તે અમદાવાદથી ઉત્તરે, મહેસાણાથી દક્ષિણે અને ગાંધીનગરથી પશ્ચિમે આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 17.2 ચોકિમી. જેટલું છે. તે અમદાવાદ-મહેસાણા-દિલ્હી બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. મહેસાણાથી 42 કિમી., ગાંધીનગરથી 28 કિમી. અને…

વધુ વાંચો >

કલ્કિ

કલ્કિ [જ. 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 1954] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં કરતાં તમિળ સાહિત્યમાં લેખન શરૂ…

વધુ વાંચો >

કલ્કિ/કલ્કી

કલ્કિ/કલ્કી : પૌરાણિક માન્યતા અનુસાર કલિયુગના અંતે હવે પછી થનારો ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર. અવતારો અનેક છે, તેમાં બહુમાન્ય દસ. તે પૈકી આ અંતિમ અવતાર શ્રાવણ સુદ છઠના દિવસે એટલે કે ઈ.સ. 1944 પછી 4,26,136 વર્ષો પૂરાં થયા બાદ કલ્કીનો અવતાર થશે એવો કેટલાકનો અંદાજ છે, કલિયુગના અંતભાગમાં અધર્મની અત્યંત…

વધુ વાંચો >

કલ્પ

કલ્પ યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું પ્રમુખ વેદાંગ. મનુષ્યને અસ્મિતાનું ભાન થયું ત્યારથી તેની જીવનપ્રણાલી સંસ્કારયુક્ત થવા લાગી. પોતે આ સૃષ્ટિનું અંગ છે, સૃષ્ટિનું સંચાલન ઋતના અટલ નિયમને આધારે થાય છે, ઋતનું નિયામક કોઈ અદીઠ તત્વ સર્વત્ર વિદ્યમાન છે અને પોતાનું અસ્તિત્વ એ તત્વને અધીન છે, સર્વસ્વ સમર્પણ કરી તેની પૂજા…

વધુ વાંચો >

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક

કલ્પક્કમ્ (પરમાણુ) વિદ્યુતમથક : દક્ષિણ ભારતમાં ચેન્નાઈ (મદ્રાસ) નજીક કલ્પક્કમ્ ખાતે સાગરકાંઠે જુલાઈ 1983માં કાર્યરત કરાયેલું દેશનું ત્રીજું પરમાણુ વિદ્યુતમથક. તારાપુર ખાતેનું દેશનું સૌપ્રથમ પરમાણુ વિદ્યુતમથક (TAPS) અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સંપૂર્ણપણે બાંધીને ચાલુ કરી આપ્યું હતું. ભારતનું બીજું પરમાણુ વિદ્યુતમથક રાજસ્થાનમાં કોટા નજીક રાણા પ્રતાપસાગર ખાતે આવેલું છે. રાજસ્થાન…

વધુ વાંચો >

કલ્પતરુરસ

કલ્પતરુરસ : આયુર્વેદિક રસૌષધિ. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ મન:શિલ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને ફુલાવેલો ટંકણખાર – આ છ ઔષધિઓ 10-10 ગ્રામ; સૂંઠ અને લીંડીપીપર 20-20 ગ્રામ તથા કાળાં મરી 100 ગ્રામ લેવામાં આવે છે. સૂંઠ, મરી, પીપરનું બારીક ચૂર્ણ બનાવી, પછી પાકા કાળા આરસના ખરલમાં પ્રથમ પારો અને…

વધુ વાંચો >

કલ્પન અને કલ્પનશ્રેણી

કલ્પન અને કલ્પનશ્રેણી (image and imagery) : સંવેદન કે અનુભૂતિને શબ્દ દ્વારા મૂર્ત રૂપ આપવા પ્રયોજાતી ભાષા. આ બંને પદોના શબ્દાર્થ ઉપરાંત સંકેતાર્થો પણ ઘણા છે. કલ્પન એટલે કેવળ મનોગત ચિત્ર એવું તો નથી જ. સામાન્ય રીતે કલ્પનશ્રેણી એટલે પદાર્થો, કાર્યો, લાગણીઓ, વિચારો, મનોરથો, મન:સ્થિતિઓ તથા ઇન્દ્રિયગમ્ય કે ઇન્દ્રિયાતીત અનુભવો…

વધુ વાંચો >

કલ્પનવાદ

કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને…

વધુ વાંચો >

કલ્પના (મનોવિજ્ઞાન)

કલ્પના (મનોવિજ્ઞાન) : ભૂતકાળમાં પ્રત્યક્ષીકરણ પામેલી બાબતોનું નવા જ સ્વરૂપમાં કે નવી જ રીતે સંયોજિત થઈને આવવું તે. કલ્પનામાં, ભૂતકાળમાં ન જોઈ-જાણી હોય તેવી કોઈ બાબત આવતી નથી; કલ્પનામાં અનુભવાયેલાં તત્વોનું ‘નવું સંયોજન’ થાય છે એટલું જ. દા.ત., શરીરે ગુલાબી ચટાપટા હોય એવા લીલા હાથીની કોઈ કલ્પના કરે તો એમાં…

વધુ વાંચો >

કલ્પના (સાહિત્ય)

કલ્પના (સાહિત્ય) : સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું તાત્વિક મહત્વનું ઉપાદાન. પ્રારંભમાં સર્જકો તથા વિવેચકોએ મુખ્યત્વે તેનો કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને ઉલ્લેખ કર્યો છે. સાહિત્યનાં બીજાં સ્વરૂપો અને સિદ્ધાંતોની જેમ જ આ પ્રશ્ન વિશે પણ મધ્યયુગ તથા પુનરુત્થાન યુગ દરમિયાન ઍરિસ્ટોટલ અને પ્લૅટોના નામે ઘણી ચર્ચા થઈ છે. મધ્યયુગ દરમિયાન કલ્પનાલક્ષી બાબતો પૂરતો બહુધા…

વધુ વાંચો >

કવચ મૉડેલ પરમાણુ

Jan 14, 1992

કવચ મૉડેલ પરમાણુ (Atomic Shell Model) : તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity) તેમજ રાસાયણિક ગુણધર્મોની સમાનતા દર્શાવતી, પરમાણુક્રમાંક (atomic number) Z દ્વારા ઉદભવતી જાદુઈ સંખ્યા(magic numbers)નાં વિશિષ્ટ મૂલ્યો વિષેની સમજૂતી આપતું મૉડેલ. ઓગણીસમી સદીના આરંભે વૈજ્ઞાનિક ડૉલ્ટને સૂચવ્યું કે બધાં રાસાયણિક તત્વોના મૂળ ઘટકો સરળ એકમના બનેલા હોય છે, જેને…

વધુ વાંચો >

કવચ વિરૂપણ

Jan 14, 1992

કવચ વિરૂપણ (tectonic movement) : ભૂકવચની સતત બદલાતી રૂપરચના. પૃથ્વીનાં આંતરિક અને બાહ્ય બળોના ફેરફારોને પરિણામે જ ભૂસપાટી પર અગણિત ભૂમિઆકારોનો ઉદભવ, વિકાસ અને હ્રાસ થયા કરે છે. ભૂકવચમાં થતાં નિરંતર પરિવર્તનોને કારણે જ ભૂમિસ્વરૂપો સતત બદલાતાં રહે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી અને દબાણના ફેરફારોને કારણે જ ભૂકવચનાં ખડકદ્રવ્યોમાં…

વધુ વાંચો >

કવન કૌમુદી

Jan 14, 1992

કવન કૌમુદી (1905) : સાંગોપાંગ કવિતામાં પ્રગટ થયેલું મલયાળમ સામયિક. ભારતમાં વીસમી સદીની પહેલી પચીસીનું કદાચ એ પ્રકારનું એકમાત્ર સામયિક ગણાય. 1905માં શરૂ થયેલા આ કાવ્ય-સામયિકનું પ્રકાશન પંદરેક વર્ષ ચાલ્યું અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યું. એમાં તંત્રીલેખ, તંત્રીનોંધ, સમાચાર તથા જાહેરાત સુધ્ધાં કવિતામાં જ પ્રગટ થતાં, તે સમયના તમામ નામાંકિત કવિઓ…

વધુ વાંચો >

કવિ કર્ણપૂર

Jan 14, 1992

કવિ કર્ણપૂર (1524) : સંસ્કૃત નાટ્યકાર અને અલંકારશાસ્ત્રી. બંગાળના નદિયા જિલ્લાના વતની. બીજું નામ પરમાનન્દદાસ સેન. પિતાનું નામ શિવાનંદ અને ગુરુનું નામ શ્રીનાથ. ‘ચૈતન્યચંદ્રોદય’ નાટક તથા અન્ય આઠ કૃતિઓના કર્તા. એ ઉપરાંત ‘અલંકારકૌસ્તુભ’ નામનો તેમનો ગ્રન્થ અત્યન્ત જાણીતો છે. જોકે અન્ય લેખકોના પણ આ જ (‘અલંકારકૌસ્તુભ’) નામ ધરાવતા ચાર ગ્રંથો…

વધુ વાંચો >

કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

Jan 14, 1992

કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર) : રામદાસ (રાજકુમાર) દ્વારા રચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તેની રચના ઈ. સ. 1844માં આગ્રામાં થઈ હતી. આ ગ્રંથ કાવ્યશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતોને આધારે રચાયેલો છે અને એમાં ધ્વનિ સિદ્ધાંત મુખ્યત્વે સ્વીકારાયો છે. મમ્મટના કાવ્યપ્રકાશની જેમ આ ગ્રંથમાં શાસ્ત્રનાં બીજાં અંગોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં કવિ-આચાર્યે સંસ્કૃત…

વધુ વાંચો >