૩.૧૩

ઊર્જા-સંવિભાગથી ઋષિપત્તન

ઊર્જા-સંવિભાગ

ઊર્જા-સંવિભાગ (equipartition of energy) : ઉષ્માસમતુલામાં રહેલી પ્રણાલીના પ્રત્યેક નિરપેક્ષ ઊર્જાસ્તર સાથે, એકસરખા પ્રમાણમાં ઊર્જા સંકળાયેલી છે તે દર્શાવતો સાંખ્યિકીય યાંત્રિકી(statistical mechanics)નો સિદ્ધાંત. સ્કૉટલૅન્ડના ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ અને જર્મનીના લુડવિક-બૉલ્ટ્ઝમૅનના કાર્ય ઉપર આધારિત આ સિદ્ધાંત દર્શાવે છે કે To કેલ્વિન તાપમાને સમતુલામાં રહેલી કણસંહતિની પ્રત્યેક સ્વાતંત્ર્યકક્ષા (degreee of freedom)…

વધુ વાંચો >

ઊર્ત જાં હેન્દ્રિક

ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી. ઊર્તની શોધ :…

વધુ વાંચો >

ઊર્ધ્વગામી સ્તંભ

ઊર્ધ્વગામી સ્તંભ : જુઓ અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ.

વધુ વાંચો >

ઊર્ધ્વયુતિ

ઊર્ધ્વયુતિ : જુઓ અધોયુતિ અને ઊર્ધ્વયુતિ.

વધુ વાંચો >

ઊર્ધ્વરેષે પ્રભાકર વામન

ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક…

વધુ વાંચો >

ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

ઊર્મિ-નવરચના

ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે. સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

ઊલટી-ગંગા

ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને…

વધુ વાંચો >

ઊશી બહાઉદ્દીન મહંમદ

ઊશી બહાઉદ્દીન મહંમદ (તેરમી સદી) : ફારસી સૂફી કવિ અને કથાકાર. તેમનો જન્મ ઊશમાં થયો હતો, જે માવરાઉન્નહરમાં આવેલું છે. ઊશ ઉપરથી તેમને ‘ઊશી’ કહેવામાં આવે છે. પ્રખ્યાત સૂફી સંત બખત્યાર કાકી ઊશના રહેવાસી હતા. બહાઉદ્દીન ઉચ્ચ કોટિના ધાર્મિક કથાકાર પણ હતા. શુષ્ક વિષયની કથાને તે એવી રમૂજી રીતે લોકોની…

વધુ વાંચો >

ઋતુસ્રાવચક્ર

Jan 13, 1991

ઋતુસ્રાવચક્ર (menstrual cycle) : ચક્રીય નિયમિતતાથી ગર્ભાશયની અંદરની દીવાલની વૃદ્ધિ થવી અને ત્યારબાદ તેનું વિઘટન થતાં તેના ભાગોનું લોહીની સાથે બહાર વહી જવું તે. આ સમગ્ર યોજના પ્રતિમાસ પીયૂષિકા(pituitary)ગ્રંથિ અને અંડગ્રંથિ-(ovary)ના અંત:સ્રાવોની અસર હેઠળ થાય છે. ઋતુસ્રાવચક્ર ફક્ત માનવસ્ત્રી અને ઉત્ક્રાંતિ પામેલા વાનરની માદામાં જ જોવા મળે છે. 10થી 16…

વધુ વાંચો >

ઋતુસ્રાવ વિકારો

Jan 13, 1991

ઋતુસ્રાવ વિકારો (menstrual disorders) : ઋતુસ્રાવ વધુ, ઓછો, સતત, વહેલો, મોડો કે અનિયમિત આવે તે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea), ઋતુસ્રાવનિવૃત્તિ (menapause) કે કષ્ટદાયી ઋતુસ્રાવ(dysmenorrhoea)ને આવરી લેવાતા નથી. ઋતુસ્રાવનું પ્રમાણ વધે (અતિઋતુસ્રાવતા, menorrhagia) કે ઘટે (અલ્પઋતુસ્રાવતા, hypomenorrhoea) અથવા તે 3 અઠવાડિયાં કરતાં વહેલો આવે (ત્વરિત ઋતુસ્રાવતા, polymenorrhoea) કે 6 અઠવાડિયાં કરતાં મોડો…

વધુ વાંચો >

ઋતુસ્રાવસ્તંભન

Jan 13, 1991

ઋતુસ્રાવસ્તંભન (amenorrhoea) : પુખ્ત સ્ત્રીમાં ઋતુસ્રાવ ન થવો તે. જો ઋતુસ્રાવ 18 વર્ષની વય સુધીમાં શરૂ ન થાય તો તેને પ્રારંભિક (primary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. ઋતુસ્રાવચક્રો શરૂ થયા પછી જો ઋતુસ્રાવ બંધ થાય તો તેને આનુષંગિક (secondary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. જો ગર્ભાશયગ્રીવા (cervix) અથવા યોનિ (vagina) અવિકસિત કે વિકૃત હોય…

વધુ વાંચો >

ઋત્વિજ

Jan 13, 1991

ઋત્વિજ : યજ્ઞ કરાવનાર યાજ્ઞિક. આ શબ્દમાં યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ અનુસાર અગ્નિની સ્થાપના, દર્શપૂર્ણમાસાદિ પાકયજ્ઞો, સોમયાગો, અશ્વમેધાદિ મહાયજ્ઞો અને અગ્નિષ્ટોમ આદિ યજ્ઞો યજમાન માટે કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યજ્ઞ કરે તે ઋત્વિજ એવો ‘ઋત્વિજ’ શબ્દનો અર્થ થાય. પ્રધાનપણે તે…

વધુ વાંચો >

ઋભુગણ

Jan 13, 1991

ઋભુગણ : ત્રણ ‘મર્ત્ય’ ભાઈઓ. ‘ઋભુ’, ‘વિભ્વન્’ અને ‘વાજ’ નામ છે. ઇન્દ્ર માટે અશ્વોનું, અશ્વિનૌ માટે રથનું અને બૃહસ્પતિ માટે અમૃતપદ ગાયનું નિર્માણ; પોતાનાં વૃદ્ધ માતાપિતાને યૌવન-પ્રદાન અને એકમાંથી ચાર चमस(સોમપાનનું પાત્ર)નું સર્જન : सुहस्ता: જેવું યથાર્થ વિશેષણ પામેલ ઋભુત્રયીના અદ્ભુત હસ્તકૌશલનાં આવાં કાર્યોથી પ્રભાવિત થયેલા દેવોએ ઋભુઓને દેવત્વ આપ્યું.…

વધુ વાંચો >

ઋષભદેવ

Jan 13, 1991

ઋષભદેવ : જૈન ધર્મના વર્તમાન અવસર્પિણી કાળચક્રના ચોવીસ તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર. જૈન પૌરાણિક માન્યતા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી હતી. પ્રાચીન કુલવ્યવસ્થામાં માનવસમૂહના મુખ્ય નાયકને કુલકર કહેવામાં આવતા. આવા સાત કે ચૌદ કુલકરો થઈ ગયા. તેમાં અંતિમ કુલકર નાભિના…

વધુ વાંચો >

ઋષભદેવપ્રાસાદ

Jan 13, 1991

ઋષભદેવપ્રાસાદ : ભરૂચ જિલ્લાના કાવી ગામમાં પ્રસિદ્ધ જૈન મંદિર. 1592માં ખંભાતના નિવાસી નાગર વણિક બડુઆએ બંધાવેલો ‘સર્વજિત’ નામનો ઋષભદેવપ્રાસાદ સ્થાનિક લોકોમાં તો ‘સાસુનું દેરાસર’ને નામે ઓળખાય છે. રચના પરત્વે આ મંદિર શત્રુંજયના આદિનાથ દેરાસરને મળતું છે. એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, સભામંડપ અને બાવન દેરી ધરાવતી ભમતી છે. ગર્ભગૃહ પર ઉત્તુંગ…

વધુ વાંચો >

ઋષભ વૈશ્વામિત્ર

Jan 13, 1991

ઋષભ વૈશ્વામિત્ર : વૈદિક ઋષિ અને વિશ્વામિત્રના એકસો પુત્રોમાંના મધુચ્છંદા આદિ પાછલા પચાસમાંનો એક પુત્ર. ઐતરેય બ્રાહ્મણ(7-3-5)માં તેના નામનો ઉલ્લેખ છે. ઐતરેય બ્રાહ્મણના શુન:શેપ આખ્યાનમાં શુન:શેપ દેવોના પાશમાંથી મુક્ત થયો ત્યારે ઋષિ વિશ્વામિત્રે મધુચ્છંદા આદિ પુત્રોના સાક્ષ્યમાં તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર તરીકે સ્વીકારી દેવરાત નામ આપ્યું. તે પ્રસંગમાં વિશ્વામિત્રે બોલાવેલા…

વધુ વાંચો >

ઋષિકેશ

Jan 13, 1991

ઋષિકેશ : ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં ગંગાને કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 30o 07′ ઉ. અ., 78o 19′ પૂ. રે. તાજેતરનાં વર્ષોમાં વ્યસ્ત બની રહેલા એક નૂતન શહેર તરીકે વિકસતું ગયેલું ઋષિકેશ હરિદ્વારથી ઉત્તર તરફ 24 કિમી.ને અંતરે આવેલું છે. તેનું ધાર્મિક મહત્વ ગંગા નદી સાથે સંકળાયેલું છે. અહીં…

વધુ વાંચો >

ઋષિપત્તન (સારનાથ)

Jan 13, 1991

ઋષિપત્તન (સારનાથ) : સારનાથ અંતર્ગત બૌદ્ધ તીર્થ. ગૌતમ બુદ્ધે અહીંથી ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું. તેનું પ્રાચીન નામ ઇસિપત્તનમિગદાય (ઋષિપત્તનમૃગદાવ) છે. આ સ્થળેથી બૌદ્ધ ધર્મના અવશેષો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. તેમાં સારનાથનો શિલાલેખ, ધર્મસ્તૂપ અને ગુપ્ત સમયના વિહારોના અવશેષો મહત્વના છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇસિપત્તનમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ વસતા…

વધુ વાંચો >