૩.૧૩

ઊર્જા-સંવિભાગથી ઋષિપત્તન

ઊહાપોહ

ઊહાપોહ : આધુનિકતાની જિકર કરતું ગુજરાતી માસિક. શરૂઆત 1969ના સપ્ટેમ્બરમાં, છેલ્લો અંક 1974ના ઑક્ટોબરમાં. આ પાંચ વરસના 60 અંકોનું સંપાદન ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે કર્યું હતું. આરંભના ગાળામાં સર્જનાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવતી ન હતી. ગુજરાતી ભાષાસાહિત્ય વિશેના લેખો પ્રમાણમાં ઓછા પ્રકટ થયા હતા. પાશ્ચાત્ય અને તે…

વધુ વાંચો >

ઊંચાઈમાપક

ઊંચાઈમાપક (altimeter) : સમુદ્રની સપાટી કે ભૂમિતલને સંદર્ભ-સપાટી ગણીને, કોઈ સ્થળની ઊંચાઈ માપવા માટેનું સાધન. આ માપ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને તેને અનુસરીને થતા વાતાવરણના દબાણના ફેરફાર ઉપર આધારિત હોય છે. ઊંચાઈમાપક ઊંચાઈ માપવાના એકમ ફૂટ કે મીટરમાં અંકિત કરેલું હોય છે, જ્યારે નિર્દ્રવ વાયુદાબમાપક (aneroid barometer) દબાણ માપવાના એકમ…

વધુ વાંચો >

ઊંચો કૂદકો

ઊંચો કૂદકો : મેદાની ખેલકૂદનો એક પ્રકાર. વિશ્વવ્યાપી રમતગમત જગતમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ તથા ફેંકની પ્રવૃત્તિઓનો સમાવેશ કરતા માર્ગી અને મેદાની ખેલકૂદ (track and field athletics) વિભાગમાં ઊંચો કૂદકો પ્રાચીન કાળથી આગવું સ્થાન ધરાવે છે. ઊંચા કૂદકાની રમતમાં અનુકૂળ અંતરેથી દોડતા આવી એક પગે ઠેક લઈ શરીરને ઊર્ધ્વ દિશામાં…

વધુ વાંચો >

ઊંજકો

ઊંજકો (lubricants) : યંત્રોના ઊંજણ માટે વપરાતા પદાર્થો. આદિમાનવ કાદવ અને બરૂનો ઉપયોગ સ્લેજગાડી (sledge) તથા ભારે વજન ઘસડવા માટે કરતો હતો તેમ માનવાને કારણ છે. યંત્રોના વિકાસ સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતાં વિવિધ પ્રકારનાં ઊંજકો ઉપયોગમાં આવ્યાં છે. ઝડપી યંત્રોનો ઉપયોગ શક્ય બનાવવામાં ઊંજકોનો ફાળો ઘણો અગત્યનો છે. ઊંજકો તરીકે…

વધુ વાંચો >

ઊંજણ

ઊંજણ (lubrication) : યંત્રના કાર્ય દરમિયાન એકબીજા ઉપર સરકતી બે ઘન સપાટીઓ વચ્ચે તેમના કરતાં નરમ (softer) એવા પદાર્થો દાખલ કરી, સપાટીઓને અલગ પાડી, ઘર્ષણ (friction) તથા નિઘર્ષણ (wear) ઓછું કરવાની પ્રવિધિ (process) આ માટે વપરાતા પદાર્થો ઊંજકો (lubricant) તરીકે ઓળખાય છે. સંજોગો પ્રમાણે ‘નરમ’ સ્તર વાયુ, પ્રવાહી, ઘન અથવા…

વધુ વાંચો >

ઊંઝા

ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ…

વધુ વાંચો >

ઊંટ

ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય…

વધુ વાંચો >

ઊંદરી

ઊંદરી (favus) : માથાની ચામડીનો રોગ. માથાના વાળની આસપાસ ગંધક જેવાં પીળાં કે કેસરી (saffron) રંગનાં ટાંકણીની ટોચ જેવડાં ભીંગડાં કરતો ફૂગજન્ય રોગ. તે ટ્રાઇકોફાયટન શિન્લેની (Trichophyton schoenleini) નામની ફૂગથી, ખાસ કરીને રશિયનો, ઇટાલિયનો અને ભારતીયોમાં થાય છે. ક્યારેક તેનો ફેલાવો આખા શરીર તથા નખમાં પણ થાય છે. તેનાં ભીંગડાંને…

વધુ વાંચો >

ઊંધાફૂલી

ઊંધાફૂલી : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichodesma indicum R. Br. (સં. અવાંકપુષ્પી, અધ:પુષ્પી, રોમાલુ; હિ. અંધાહુલી, ધ્વેટા કુલ્ફા, રત્મંડી; મ. છોટા ફુલવા; ગુ. ઊંધાફૂલી) છે. ગુજરાતમાં Trichodesmaની ચાર જાતિઓ મળી આવે છે. ગુજરાતના પ્રખ્યાત વનસ્પતિવિદ જયકૃષ્ણ ઇંદ્રજીએ T. africanum R. Br. ફક્ત કચ્છમાં મળતી…

વધુ વાંચો >

ઋક્ પ્રાતિશાખ્ય

ઋક્ પ્રાતિશાખ્ય : ઋગ્વેદના ઉચ્ચારણ ઇત્યાદિના નિયમોને લગતો વ્યાકરણગ્રંથ. વૈદિક મંત્ર અને બ્રાહ્મણની ભાષા ને પરિભાષાના ગ્રહણસૌકર્ય સારુ શિક્ષા, કલ્પ આદિ જે શાસ્ત્ર રચાયાં તે વેદાંગ કહેવાયાં. પ્રાતિશાખ્ય એ શિક્ષા વેદાંગનું સહકારી શાસ્ત્ર છે. વર્ણ, સ્વર, સંધિ આદિ વ્યાકરણનાં અંગોની ચર્ચા પ્રાતિશાખ્યમાં છે એ પૂરતું તે વ્યાકરણ પણ છે. શાખા…

વધુ વાંચો >

ઊર્જા-સંવિભાગ

Jan 13, 1991

ઊર્જા-સંવિભાગ (equipartition of energy) : ઉષ્માસમતુલામાં રહેલી પ્રણાલીના પ્રત્યેક નિરપેક્ષ ઊર્જાસ્તર સાથે, એકસરખા પ્રમાણમાં ઊર્જા સંકળાયેલી છે તે દર્શાવતો સાંખ્યિકીય યાંત્રિકી(statistical mechanics)નો સિદ્ધાંત. સ્કૉટલૅન્ડના ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ અને જર્મનીના લુડવિક-બૉલ્ટ્ઝમૅનના કાર્ય ઉપર આધારિત આ સિદ્ધાંત દર્શાવે છે કે To કેલ્વિન તાપમાને સમતુલામાં રહેલી કણસંહતિની પ્રત્યેક સ્વાતંત્ર્યકક્ષા (degreee of freedom)…

વધુ વાંચો >

ઊર્ત જાં હેન્દ્રિક

Jan 13, 1991

ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી. ઊર્તની શોધ :…

વધુ વાંચો >

ઊર્ધ્વગામી સ્તંભ

Jan 13, 1991

ઊર્ધ્વગામી સ્તંભ : જુઓ અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ.

વધુ વાંચો >

ઊર્ધ્વયુતિ

Jan 13, 1991

ઊર્ધ્વયુતિ : જુઓ અધોયુતિ અને ઊર્ધ્વયુતિ.

વધુ વાંચો >

ઊર્ધ્વરેષે પ્રભાકર વામન

Jan 13, 1991

ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક…

વધુ વાંચો >

ઊર્મિકાવ્ય

Jan 13, 1991

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

ઊર્મિ-નવરચના

Jan 13, 1991

ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે. સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

Jan 13, 1991

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

ઊલટી-ગંગા

Jan 13, 1991

ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને…

વધુ વાંચો >

ઊશી બહાઉદ્દીન મહંમદ

Jan 13, 1991

ઊશી બહાઉદ્દીન મહંમદ (તેરમી સદી) : ફારસી સૂફી કવિ અને કથાકાર. તેમનો જન્મ ઊશમાં થયો હતો, જે માવરાઉન્નહરમાં આવેલું છે. ઊશ ઉપરથી તેમને ‘ઊશી’ કહેવામાં આવે છે. પ્રખ્યાત સૂફી સંત બખત્યાર કાકી ઊશના રહેવાસી હતા. બહાઉદ્દીન ઉચ્ચ કોટિના ધાર્મિક કથાકાર પણ હતા. શુષ્ક વિષયની કથાને તે એવી રમૂજી રીતે લોકોની…

વધુ વાંચો >