૨૩.૦૬
સાયનોવાઇરસ (cyanophage)થી સારોયાન વિલિયમ
સારણગાંઠ (hernia)
સારણગાંઠ (hernia) : કોઈ પોલાણમાંના અવયવનું પોલાણની દીવાલમાંના વિષમ છિદ્રમાંથી બહાર સરકીને આવવું તે. તેમાં કોઈ ગાંઠ (tumour) હોતી નથી માટે તેને સારણિકા (hernia) અથવા અવયવની સારણિકા (hernia of a viscus) પણ કહેવાય. પેટના પોલાણમાંથી આંતરડું છિદ્રમાંથી બહાર આવે તે સૌથી વધુ જોવા મળતી સ્વયંભૂ સારણિકાનું ઉદાહરણ છે. તેના મુખ્ય…
વધુ વાંચો >સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia)
સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia) : અન્નનળી અને/અથવા જઠરના ઘુમ્મટ(fundus)ના ભાગનો છાતીના પોલાણમાં સમયાંતરિત (intermittant) અથવા કાયમી પ્રવેશ. એક અભ્યાસ પ્રમાણે ઉરોદરપટલીય સારણગાંઠનું પ્રમાણ 5 %થી 70 % હોય છે. ટકાવારીમાં વધુ પડતા તફાવતનું કારણ આ પ્રકારના વસ્તીરોગવિદ્યાના અભ્યાસો ઓછા થાય છે તે અને નિદાન ચોક્કસ કરવાના અલગ અલગ માપદંડો છે.…
વધુ વાંચો >સારથી ઓ. પી. શર્મા
સારથી, ઓ. પી. શર્મા (જ. 1 એપ્રિલ 1933, જમ્મુ) : ડોગરીના લેખક. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1962 અને 1964માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. સીએસઆઇઆરના સિનિયર આર્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત. તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાજ્યની અકાદમીનો…
વધુ વાંચો >સારનાથ
સારનાથ : બૌદ્ધ અને જૈનોનું ધાર્મિક સ્થળ. ભગવાન બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન (ધર્મોપદેશ) અહીંથી શરૂ કર્યું હતું. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બનારસ(વારાણસી)થી તે થોડે દૂર આવેલું છે. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ઋષિપત્તન, મૃગદાવ અથવા મૃગદાય તરીકે ઓળખાવ્યું છે. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં ‘ચાર આર્યસત્યો’ સમજાવ્યાં…
વધુ વાંચો >સારનાથનો શિલ્પવૈભવ
સારનાથનો શિલ્પવૈભવ : સારનાથનો કલાવારસો વિશેષતઃ બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ ગુપ્તકાલ (4થી–5મી સદી) દરમિયાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્વની ઘટનાઓનું સૂચન…
વધુ વાંચો >સારના મોહિન્દર સિંગ
સારના, મોહિન્દર સિંગ (જ. 25 સપ્ટેમ્બર 1923, રાવળપિંડી, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની ડિગ્રી મેળવી. પછી સરકારી નોકરીમાં જોડાયા અને સરકારી અધિકારી તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1995માં બિરલા ફાઉન્ડેશન માટેની ભાષા-સલાહકાર સમિતિના સભ્ય રહ્યા. તેમણે કુલ 22 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘પથાર દે…
વધુ વાંચો >સારમેય
સારમેય : વૈદિક સાહિત્યમાં પાત્ર રૂપે આવતું એક પ્રાણી. ઋગ્વેદ(10-108)માં કથા છે કે પણિઓ નામની પ્રજા પાસે ઇન્દ્રે ગુપ્તચર અને સંદેશવાહક તરીકે સરમાને મોકલી હતી. તેઓએ ગાયોને સંતાડી રાખી હતી. નિરુક્ત અને અન્ય ઉત્તરકાલીન વૈદિક સાહિત્યને આધારે માહિતી મળે છે કે આ સરમા દેવશુની (= દેવોની કૂતરી) હતી. આ સરમાને…
વધુ વાંચો >સારલૂઈ (Saarlouis)
સારલૂઈ (Saarlouis) : જર્મનીના નૈર્ઋત્ય ભાગમાં સાર નદીને બંને કાંઠે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 14´ ઉ. અ. અને 6° 59´ પૂ. રે.. તે ફ્રાન્સની સીમા નજીક સારબ્રૂકેનથી વાયવ્યમાં આવેલું છે. 1680માં ફ્રાન્સના લૂઈ ચૌદમાએ તે વસાવેલું અને આ નામ આપેલું. સેબૅસ્ટાઇન દ લા પ્રેસ્ત્રે વૌબાન નામના લશ્કરી ઇજનેરે…
વધુ વાંચો >સારસ
સારસ : ભારતનું સૌથી મોટું પક્ષી. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ…
વધુ વાંચો >સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા
સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા : મૂળ લખાણનો સારભૂત સંક્ષેપ અને તેને લગતી સેવા. સારસંક્ષેપ એટલે મૂળ લખાણનું સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપ. સાર મૂળ કથાવસ્તુના નિચોડરૂપ હોય છે. પંદરમી સદીમાં વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોનાં પરિણામોનું સારસંક્ષેપન કરીને અન્યને આપતા હતા. તેના ઉપરથી સંપૂર્ણ પાઠ જેઓ માગે તેઓને મોકલતા હતા. અહીં મૂળ ધ્યેય માહિતી-વિનિમયનું…
વધુ વાંચો >સાયનોવાઇરસ (cyanophage)
સાયનોવાઇરસ (cyanophage) : નીલહરિત લીલ(cyano-bacteria)ને ચેપ લગાડતો વાઇરસ. સાફરમેન અને મોરિસે (1963) સૌપ્રથમ વાર સાયનોબૅક્ટેરિયાને ચેપ લગાડતા વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. તે પછી સાયનોબૅક્ટેરિયાનું ભક્ષણ કરતા અનેક વાkg’gઇરસ ઝડપભેર શોધાયા. દરિયાઈ એકકોષી સાયનોબૅક્ટેરિયાને થતા વાઇરસના ચેપની સૌપ્રથમ માહિતી 1990માં પ્રાપ્ત થઈ અને વિષાણુના પૃથક્કૃતો(isolates)નાં લક્ષણોનો અહેવાલ 1993માં આપવામાં આવ્યો. બાહ્યાકારવિદ્યાની…
વધુ વાંચો >સાયન્ટિફિક અમેરિકન (માસિક)
સાયન્ટિફિક અમેરિકન (માસિક) : ન્યૂયૉર્ક(US)થી પ્રકાશિત થતું એક વિજ્ઞાનવિષયક માસિક. સ્થાપના ઈ.સ. 1845માં થઈ હતી. વિજ્ઞાનજગતમાં ઘણા ખ્યાતનામ બનેલ આ માસિકનું હવે તો વિશ્વના ઘણા દેશોમાં સમાંતર પ્રકાશન થાય છે. ભારતમાંથી તેનું પ્રકાશન જૂન, 2005થી Living Media India Ltd. દ્વારા શરૂ કરાયેલ છે. આમ વિજ્ઞાનજગત માટે અત્યંત ઉપયોગી એવું આ…
વધુ વાંચો >સાયપરસ
સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે…
વધુ વાંચો >સાયપ્રસ (Cyprus)
સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…
વધુ વાંચો >સાયબર સિક્યૉરિટી
સાયબર સિક્યૉરિટી : સાયબર સુરક્ષા. તેમાં હેકિંગ, માલ્વેર અને ફિશિંગ હુમલાઓ જેવાં સાયબર જોખમોથી કમ્પ્યૂટર જેવાં ડિજિટલ ઉપકરણો, ઇન્ટરનેટ નેટવર્ક અને સંવેદનશીલ ડેટાનું રક્ષણ કરવાની વિવિધ પ્રકારની રીતો સામેલ છે. સાયબર હુમલાઓથી કમ્પ્યૂટર્સ, નેટવર્ક અને ડેટાને સલામત રાખવા માટે અલગ પ્રકારની ટૅક્નૉલૉજીઓ, વ્યૂહરચનાઓ અને શ્રેષ્ઠ રીતો સંકળાયેલી હોય છે. જ્યારે…
વધુ વાંચો >સાયમન કમિશન
સાયમન કમિશન : બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય સુધારાની ભલામણો કરવા 1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદ હેઠળ નીમેલું તપાસપંચ. ઈ.સ. 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં એવી જોગવાઈ હતી કે આ સુધારા હેઠળ સરકારે કરેલ કાર્ય, લોકશાહી સંસ્થાઓ તથા શિક્ષણની પ્રગતિ અને જવાબદાર રાજ્યતંત્રની દિશામાં આગળ વધવાની શક્યતા વગેરે બાબતોની તપાસ કરવા વાસ્તે દસ…
વધુ વાંચો >સાયમન હર્બર્ટ ઍલેક્ઝાંડર
સાયમન, હર્બર્ટ ઍલેક્ઝાંડર (જ. 15 જૂન 1916, મિલવૉડી, વિસ્કોન્સિન, અમેરિકા) : વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા અમેરિકાના સમાજવિજ્ઞાની તથા 1978ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1936માં સ્નાતકની પદવી, તે જ યુનિવર્સિટીમાંથી 1938માં અનુસ્નાતકની પદવી તથા 1943માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછીનાં થોડાંક વર્ષો સુધી તેમણે રાજ્યશાસ્ત્ર વિષયનું અધ્યાપન…
વધુ વાંચો >સાયરન (siren)
સાયરન (siren) : સંકટસમયે મોટા વિસ્તારમાં લોકોને સચેત કરવા માટે પ્રબળ ધ્વનિસંકેત સર્જતું સાધન. પ્રબળ વાયુપ્રવાહમાં નિશ્ચિત સમયગાળો ધરાવતા અવરોધો સર્જીને આ સાધન તે અનુસારની કંપમાત્રા ધરાવતો પ્રબળ ધ્વનિસંકેત સર્જે છે. સાધનમાં એવા આકારનો એક નળાકાર (કે ધાતુની તકતી) હોય છે, જે વાયુના દબાણને કારણે ઝડપી ભ્રમણ કરે. આ નળાકાર…
વધુ વાંચો >સાયરસ મહાન
સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો…
વધુ વાંચો >સાયલા
સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri…
વધુ વાંચો >