શંકરનકુટ્ટી નાયર, ટી. પી.

શંકરનકુટ્ટી નાયર, ટી. પી. (જ. 1 જૂન 1950, ઇલૂર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ અને અંગ્રેજીના લેખક. તેઓએ કેરળ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે થ્રિસૂરની સરકારી કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1973-74માં તેઓ રાજ્યભાષા સંસ્થામાં ઇતિહાસમાં સહસંપાદક; અંગ્રેજી અને મલયાળમમાં દ્વિમાસિક ‘ઇન્ડસ રિવ્યૂ’ના સંપાદક અને સંસ્કૃતની શ્રી શંકરાચાર્ય…

વધુ વાંચો >

શંકરન નામ્બૂતિરી કે.

શંકરન નામ્બૂતિરી કે. (જ. 29 માર્ચ 1922, મવેલિકકરા, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમના લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી., એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રીઓ મેળવી. 1972-77 દરમિયાન તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા, પછી સેવાનિવૃત્ત થયા અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ સાહિત્ય અકાદમી ઑવ્ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર ઍન્ડ મૉડર્ન ઇન્ડિયન લિટરેચર સાથે સંકળાયેલા રહ્યા…

વધુ વાંચો >

શંકર ભટ, કડેન્ગોદલુ

શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…

વધુ વાંચો >

શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ)

શંકર સુલતાનપુરી (શંકર દયાળ શ્રીવાસ્તવ) (જ. 1 ડિસેમ્બર 1940, પરાઉપુર, જિ. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે નવલકથા, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ તેમજ બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો સહિત 400થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઇન્સાનિયત ઇન્સાફ માંગતી હૈ’ (1960); ‘બેલા ફૂલે આધી રાત’ (1962); ‘આત્મા કી આંખેં’ (1966) અને ‘લહૂ કા રંગ…

વધુ વાંચો >

શંકરાચાર્ય (આદ્ય)

શંકરાચાર્ય (આદ્ય) (અંદાજે સાતમી-આઠમી સદી) : ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને એ ઋણ શંકરાચાર્યે માતાના અંતકાળ સુધી સ્વીકાર્યું. શંકરે…

વધુ વાંચો >

શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી

શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

શંકરાભરણમ્

શંકરાભરણમ્ : રંગીન ચલચિત્ર. ભાષા : તેલુગુ. નિર્માણવર્ષ : 1979. નિર્માણસંસ્થા : પૂર્ણોદય આર્ટ ક્રિયેશન્સ. નિર્માતા : ઈ. નાગેશ્વર રાવ. દિગ્દર્શક અને કથા : કે. વિશ્વનાથ. સંવાદ : જંધ્યાલા. ગીતકાર : વેતુરી સુંદર રામમૂર્તિ. છબિકલા : બાલુ મહેન્દ્ર. સંગીત : કે. વી. મહાદેવન્. મુખ્ય કલાકારો : સૌમૈય્યાંજલુ, મંજુ, ભાર્ગવી, બેબી…

વધુ વાંચો >

શંકુ (Gnomon)

શંકુ (Gnomon) : મુખ્યત્વે સૂર્યનાં ખગોળીય અવલોકનો માટે ઘણા પુરાણા સમયથી વપરાતી એક રચના. સૂર્યઘડી દ્વારા સમયના માપન માટે પણ આ એક પાયાની રચના છે. આ પ્રકારનાં સાધન પ્રાચીન ભારત, બૅબિલોનિયા તેમજ ઇજિપ્તમાં વપરાતાં હતાં અને ગ્રીક લોકોએ ઈ. પૂ. 600ના અરસામાં બૅબિલોનિયન પ્રજા દ્વારા આનો ઉપયોગ કરવાની રીત અપનાવી.…

વધુ વાંચો >

શંકુ આકાર કાંપ

શંકુ આકાર કાંપ : જુઓ પંખાકાર કાંપ.

વધુ વાંચો >

શંકુક

શંકુક : નવમી સદીના એક આલંકારિક આચાર્ય. તેમણે ભરતના નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હતી, જે હાલ પ્રાપ્ત નથી. ઈ. સ. 1000માં થઈ ગયેલા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘નાટ્યશાસ્ત્ર’ પર રચેલી ટીકા ‘અભિનવભારતી’માં પોતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકાર તરીકે શંકુકના રંગપીઠ, રસસૂત્ર, નાટક, રાજાનું પાત્ર, નાટિકાભેદ, પ્રતિમુખ અને વિમર્શ સંધિ વગેરે બાબતો…

વધુ વાંચો >

શહીદ ચલચિત્ર

Jan 9, 2006

શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.…

વધુ વાંચો >

‘શહીદ’, ચરણ સિંગ

Jan 9, 2006

‘શહીદ’, ચરણ સિંગ (જ. 1891; અ. 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં…

વધુ વાંચો >

શહેર

Jan 9, 2006

શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

શહેરી આયોજન

Jan 9, 2006

શહેરી આયોજન : જુઓ નગર-આયોજન.

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation)

Jan 9, 2006

શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)

Jan 9, 2006

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ…

વધુ વાંચો >

શહેરી ભૂગોળ (urban geography)

Jan 9, 2006

શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી…

વધુ વાંચો >

શંકર

Jan 9, 2006

શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…

વધુ વાંચો >

શંકરદાસ સ્વામિગલ

Jan 9, 2006

શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું. 24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી…

વધુ વાંચો >

શંકરદેવ

Jan 9, 2006

શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી…

વધુ વાંચો >