શહીદ ચલચિત્ર

શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.…

વધુ વાંચો >

‘શહીદ’, ચરણ સિંગ

‘શહીદ’, ચરણ સિંગ (જ. 1891; અ. 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં…

વધુ વાંચો >

શહેર

શહેર : જ્યાં મોટી સંખ્યામાં લોકોનો સમુદાય વસતો હોય એવું સ્થળ. ‘શહેર’ શબ્દનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ભાષામાં તેને માટે ઉપયોગમાં લેવાતા ‘city’ શબ્દ માટે એમ કહેવાય છે કે અંગ્રેજીભાષી લોકો ભેગા થઈને જ્યાં એકસાથે રહેતા એવા સ્થળને ‘શહેર-city’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

શહેરી આયોજન

શહેરી આયોજન : જુઓ નગર-આયોજન.

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation)

શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ…

વધુ વાંચો >

શહેરી ભૂગોળ (urban geography)

શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી…

વધુ વાંચો >

શંકર

શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…

વધુ વાંચો >

શંકરદાસ સ્વામિગલ

શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું. 24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી…

વધુ વાંચો >

શંકરદેવ

શંકરદેવ (જ. 1449, બારડોવા, જિ. નવગામ, આસામ; અ. 1568) : 15મી 16મી સદીના પ્રથમ કક્ષાના આસામી કવિ, સંત અને કલાકાર. શિશુવયે જ માતાપિતા ગુમાવ્યાં. ગામની શાળામાં અસાધારણ પ્રતિભા દર્શાવી. શાળાનાં 5થી 6 વર્ષ પૂરાં થતાં તેઓ સંસ્કૃતના પંડિત બન્યા. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા. તેથી થોડા વખતમાં તેમનાં લગ્ન લેવડાવી…

વધુ વાંચો >

શાકલ

Jan 9, 2006

શાકલ : પંજાબમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 32° 30´ ઉ. અ. અને 74 31´ પૂ. રે.. તે સિયાલકોટ નામથી હવે ઓળખાય છે. શૂંગ વંશના પુષ્યમિત્રની સત્તા હેઠળના પ્રદેશમાં તેનો સમાવેશ થતો હતો. બૅક્ટ્રિયાના ગ્રીક શાસક ડિમેટ્રિયસે (દિમિત્રી) ઈ. પૂ.ની બીજી સદીમાં શાકલ અને તેની આસપાસનો પ્રદેશ જીતી લીધો હતો.…

વધુ વાંચો >

શાકલ સંહિતા

Jan 9, 2006

શાકલ સંહિતા  : જુઓ ઋગ્વેદ.

વધુ વાંચો >

શાકલ્ય

Jan 9, 2006

શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ…

વધુ વાંચો >

શાકંભરી

Jan 9, 2006

શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું. ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી…

વધુ વાંચો >

શાકિર-અલી

Jan 9, 2006

શાકિર–અલી (જ. 1916, લખનૌ; અ. 1975, લાહોર, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. તેમણે 1938થી 1943 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અને 1945થી 1946 સુધી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રાચીન શિલ્પોનો અભ્યાસ કર્યો. પછી તેમણે અમૃતા શેરગીલ, જામિની રૉય તથા અજંતાનાં ભીંતચિત્રોનો પ્રભાવ ઝીલ્યો. ભારત સ્વતંત્ર થતાં તેઓ…

વધુ વાંચો >