શરીરરચના (પશુ)

શરીરરચના (પશુ) સસ્તન વર્ગનાં પાળેલાં પ્રાણીઓ અને તે જ સમૂહનાં વન્ય પ્રાણીઓની શરીરરચનામાં મોટો તફાવત જોવા મળતો નથી. ગાય, ભેંસ જેવાં પાળેલાં પશુઓ અને તેમનાં જંગલી પૂર્વજો શરીરરચના એકસરખી ધરાવતાં હોવા છતાં આહાર અને નિવાસની પસંદગીની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે પશુઓ નીચે મુજબની તંત્રવ્યવસ્થા…

વધુ વાંચો >

શરીર-સૌષ્ઠવ

શરીર–સૌષ્ઠવ : કેવળ શોખ, સ્વાસ્થ્ય કે સ્પર્ધાના હેતુથી સુષ્ઠુ-ઘાટીલું શરીર વિકસાવવાનો વ્યાયામ તથા તેનાથી પ્રાપ્ત શરીર-સૌન્દર્ય. શરીર-સૌષ્ઠવનો આધાર સુગ્રથિત સ્નાયુવિકાસ ઉપર છે. તે માટે ભારોત્તોલન દ્વારા સ્નાયુઓને વ્યાયામ આપવામાં આવે છે. શરીરના હાથ, પગ, છાતી, પેટ, પીઠ અને ગળાના વિવિધ સ્નાયુઓ માટે વિવિધ પદ્ધતિનો વ્યાયામ કરવામાં આવે છે. પ્રારંભે હળવો…

વધુ વાંચો >

શર્ચેન, હર્માન (Scherchen, Hermann)

શર્ચેન, હર્માન (Scherchen, Hermann) (જ. 21 જૂન 1891, બર્લિન, જર્મની; અ. 12 જૂન 1966, ફ્લોરેન્સ, ઇટાલી) : વીસમી સદીનો સંગીતનો પ્રખર પુરસ્કર્તા, પ્રસારક અને પ્રચારક, જર્મન ઑર્કેસ્ટ્રાનો સંચાલક. વીસમી સદીના ઘણા સંગીત-નિયોજકોની કારકિર્દી ઉપર તેણે પ્રભાવ પાડ્યો છે. બાળપણમાં તેણે જાતે જ સંગીત શીખીને પ્રસિદ્ધ જર્મન સંગીત-નિયોજક આર્નોલ્ડ શોઅનબર્ગના ઑર્કેસ્ટ્રામાં…

વધુ વાંચો >

શર્ફ, ફિરોઝ દિન

શર્ફ, ફિરોઝ દિન (જ. 1898; અ. 1955) : પંજાબી લેખક. તેમણે ફક્ત પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે નાની વયે કાવ્યરચના શરૂ કરેલી. પાછળથી તેમણે ઉત્તમ કક્ષાના કવિનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અકાલી ચળવળ ઉપરાંત અસહકાર અને ખિલાફત ચળવળો દરમિયાન ખ્યાતિ પામ્યા. શીખ સમુદાય સમક્ષ શીખ ગુરુઓએ કરેલ પાઠ અંગેનાં તેમનાં…

વધુ વાંચો >

શર્મન, સિન્ડી

શર્મન, સિન્ડી (જ. 1954, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા ફોટોગ્રાફર. તેમણે બફેલો ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ફોટોગ્રાફીનો અભ્યાસ કરેલો. યુવા તરુણ-તરુણીઓની મૉડલ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. અમેરિકાના પ્રસિદ્ધ પૉપ સામયિક ‘પ્લેબૉય’ના પૂંઠા ઉપર અને અંદર ઘણી વાર તેમણે લીધેલા ફોટોગ્રાફ છપાયા છે. તેમની જાણીતી ફોટો-શ્રેણીઓમાં…

વધુ વાંચો >

શર્મા, અપૂર્વ

શર્મા, અપૂર્વ (જ. 1 જાન્યુઆરી 1943, હાલેમ, જિ. શોણિતપુર, આસામ) : અસમિયા વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘બાઘે ટાપુર રાતિ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી (ગૌહત્તી) યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક તથા અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ અંગ્રેજી, બંગાળી તથા હિંદીમાં સારી જાણકારી ધરાવે છે. તેઓએ ‘ધ આસામ…

વધુ વાંચો >

શર્મા, અરુણ

શર્મા, અરુણ (જ. 1 ફેબ્રુઆરી 1931, દિબ્રુગઢ, આસામ) : આસામી નાટ્યકાર. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતક થયા. પછી બે-એક વર્ષ તેમણે માધ્યામિક શાળામાં નોકરી કરી. તેમના પિતાએ તેમની નાટ્યવિષયક શક્તિઓને ઉત્તેજન આપ્યું. શિક્ષકની કારકિર્દી પછી તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોના ગુવાહાટી કેન્દ્રમાં જોડાયા. તેની નૉર્થ ઈસ્ટર્ન સર્વિસના નિયામક તરીકે નિવૃત્ત થયા. તેમણે…

વધુ વાંચો >

શર્મા, અરુણકુમાર

શર્મા, અરુણકુમાર (જ. 31 ડિસેમ્બર 1924, કોલકાતા) : ભારતના સુપ્રસિદ્ધ કોષ-જનીનવિજ્ઞાની (cytogenetisist). તેઓ સી. સી. શર્માના પુત્ર છે. તેમણે 1943માં બી.એસસી., 1945માં એમ. એસસી. અને 1955માં ડી. એસસી., કોલકાતા યુનિવર્સિટીની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. તેમણે 1947માં વનસ્પતિવિજ્ઞાન-વિભાગ, કોલકાતા યુનિવર્સિટીના વ્યાખ્યાતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો; 1976-88 સુધી સર રાસબિહારી સેન્ટર ઑવ્…

વધુ વાંચો >

શર્મા, ઉમાકાન્ત

શર્મા, ઉમાકાન્ત (જ. 30 નવેમ્બર 1914, કાકય, જિ. કામરૂપ, આસામ) : આસામી લેખક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ફિલૉસોફીમાં એમ.એ. તથા અમેરિકામાં એમ.ડી.ની પદવી મેળવી. 1941-48 દરમિયાન આસામની વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપક; 1948-55 દરમિયાન આસામ એલિમેન્ટરી એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી; 1955-62 સુધી આસામ સરકારના શિક્ષણવિભાગમાં ઉપસચિવનાયબ સચિવ રહ્યા; 1962-69 દરમિયાન સંયુક્ત શિક્ષણ નિયામક તથા…

વધુ વાંચો >

શર્મા, એસ. શ્રીનિવાસ

શર્મા, એસ. શ્રીનિવાસ (જ. 1930, ચિદંબરમ્, જિ. દક્ષિણ આરકોટ, તામિલનાડુ) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમની કૃતિ ‘જગદગુરુ- શ્રીચંદ્રશેખરેન્દ્રસરસ્વતીવિજયમ્’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, તમિળ અને મલયાળમની જાણકારી ધરાવે છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલય માટે 1200…

વધુ વાંચો >

શબ્દાર આકાશ

Jan 7, 2006

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

Jan 7, 2006

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શમશાદ બેગમ

Jan 7, 2006

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

Jan 7, 2006

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

શમા

Jan 7, 2006

શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…

વધુ વાંચો >

શમિમ નિખાત

Jan 7, 2006

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમીક

Jan 7, 2006

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

Jan 7, 2006

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

Jan 7, 2006

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શમ્સુદ્દીન ‘બુલબુલ’

Jan 7, 2006

શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…

વધુ વાંચો >