શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’ (જ. 1897, ભયાના ગામ, મધ્યપ્રદેશ; અ. 29 એપ્રિલ 1960) : હિંદી કવિ અને રાજકારણી. બાળપણના નાથદ્વારાના વૈષ્ણવ પરિવેશની અસર એમના પર પડી. અગિયારમે વર્ષે શિક્ષણનો પ્રારંભ; 1917માં કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ. માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉજ્જૈનની માધવ કૉલેજે કવિને રાજનીતિ પ્રત્યે આકર્ષિત કર્યા. 1916માં લખનૌ મુકામે…

વધુ વાંચો >

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ (જ. 31 મે 1934, સૂરત) : ગુજરાતી સાહિત્યકાર. બહુમુખી પ્રતિભાશાળી સર્જક. એમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ. વતન અમદાવાદ, પરંતુ પાંચેક પેઢીથી સૂરત મુકામે વસવાટ. માતા વાચનરસિક અને પિતા નાટ્યરસિક હતાં. ભગવતીકુમારમાં બાળપણથી જ તેમનાં…

વધુ વાંચો >

શર્મા, મદનમોહન

શર્મા, મદનમોહન (જ. 30 જુલાઈ 1934, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના વાર્તાકાર, નવલકથાલેખક અને નાટ્યકાર. કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. હવે સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં વ્યસ્ત. ડોગરી માતૃભાષામાં તેમણે લખેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘ધરન તે ધુરોં’ (નવલકથા); ‘અંગારે…

વધુ વાંચો >

શર્મા, મનોહર

શર્મા, મનોહર (જ. 5 સપ્ટેમ્બર 1914, બિસૌ, ઝૂનઝુનુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.; સંસ્કૃતમાં કાવ્યતીર્થ અને સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી. જીવનપર્યંત અધ્યાપનકાર્ય કર્યું. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય; રાજસ્થાની અકાદમી, બીકાનેરના સભ્ય; હિંદી વિશ્વભારતી, બીકાનેરના પ્રમુખ તેમજ ‘વરદ’ અને ‘વિશ્ર્વંભર’…

વધુ વાંચો >

શર્મા, મહાદેવ

શર્મા, મહાદેવ (જ. 9 ઑગસ્ટ 1907; અ. ?) : જ્ઞાનવૃદ્ધ સંગીતજ્ઞ. તેમના પિતા સંસ્કૃત વેદ, કર્મકાંડ જેવા પ્રાચીન સંસ્કૃતિના વિષયોના મોટા પંડિત હતા. પિતાનું અવસાન થતાં તેમને શાળાકીય શિક્ષણ લેવાની ફરજ પડી. તે દરમિયાન નામાંકિત મોરબી નાટક કંપનીના સૂત્રધાર સાથે તેમને ગાઢ સંબંધ બંધાતાં નાટકોના ગાયન તથા અભિનયની ઊંડી છાપ…

વધુ વાંચો >

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’ (જ. ? પૂંઠી, જિ. મેરઠ; અ. ? મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના જાણીતા પટકથા-લેખક તથા ગીતોના અનુવાદક. ‘અશાંત’ એ તેમનું તખલ્લુસ હતું. તેઓ પંડિત મુખરામ શર્મા નામથી ઓળખાતા હતા. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી’ની પદવી તથા પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી(ઑનર્સ)ની સ્નાતક સ્તરની…

વધુ વાંચો >

શબ્દાર આકાશ

Jan 7, 2006

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

Jan 7, 2006

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શમશાદ બેગમ

Jan 7, 2006

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

Jan 7, 2006

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

શમા

Jan 7, 2006

શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…

વધુ વાંચો >

શમિમ નિખાત

Jan 7, 2006

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમીક

Jan 7, 2006

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

Jan 7, 2006

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

Jan 7, 2006

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શમ્સુદ્દીન ‘બુલબુલ’

Jan 7, 2006

શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…

વધુ વાંચો >