શબ્દાર આકાશ

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શમશાદ બેગમ

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

શમા

શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…

વધુ વાંચો >

શમિમ નિખાત

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમીક

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શમ્સુદ્દીન ‘બુલબુલ’

શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…

વધુ વાંચો >

શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન

Jan 7, 2006

શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (જ. ?; અ. ઈ. સ. 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને…

વધુ વાંચો >

શયતાન/સેતાન

Jan 7, 2006

શયતાન/સેતાન : અલ્લાનો વિરોધ કરનારું તત્વ. ‘શયતાન’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘દુષ્ટ’ થાય છે. ઇસ્લામી વિચારસરણીમાં શયતાન એક એવો જીન હતો જે બીજા બધા જીનો(ફિરસ્તાઓ)નો શિક્ષક હતો. કુરાનમાં જણાવ્યા પ્રમાણે જ્યારે અલ્લાએ મનુષ્ય-(આદમ)નું સર્જન કર્યું ત્યારે બધા જીનોને આજ્ઞા આપી કે તેઓ મનુષ્યને નમન કરે; પરંતુ શયતાને જવાબ…

વધુ વાંચો >

શયદા

Jan 7, 2006

શયદા (જ. 24 ઑક્ટોબર 1892, પીપળી, ધંધૂકા તાલુકો; અ. 31 મે 1962, મુંબઈ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી. જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી. જન્મ એક ગરીબ ખેડૂત કુટુંબમાં. વતન ધોલેરા. પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. ‘શયદા’એ માત્ર ચાર ધોરણ સુધીનો…

વધુ વાંચો >

શરણ, દીનાનાથ

Jan 7, 2006

શરણ, દીનાનાથ (જ. 26 જૂન 1938, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી 1958માં હિંદી સાથે એમ.એ. અને મગધ યુનિવર્સિટીમાંથી 1969માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ 1965-68 દરમિયાન નેપાલની ત્રિભુવન યુનિવર્સિટીમાં કોલંબો યોજના હેઠળ પ્રાધ્યાપક રહ્યા. પટણાની શ્રી ગુરુ ગોવિંદસિંગ કૉલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; બિહાર હિંદી સાહિત્ય…

વધુ વાંચો >

શરણરાણી

Jan 7, 2006

શરણરાણી (જ. 8 એપ્રિલ 1929, દિલ્હી) : ભારતનાં વિખ્યાત અને પ્રથમ મહિલા સરોદવાદક અને સંગીતકાર. રૂઢિવાદી હિંદુ પરિવારમાં જન્મ. બાળપણથી નૃત્ય તથા સંગીતની સાધના પરિવાર તથા સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરતાં કરતાં ચાલુ રાખી. સ્વ. અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નવકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. 7…

વધુ વાંચો >

શરણસ્થાન (asylum)

Jan 7, 2006

શરણસ્થાન (asylum) : એક દેશના નાગરિકને બીજા દેશે તેના રક્ષણ માટે આપેલ શરણ. શરણસ્થાન આપવાનો હક રાજ્યનો છે; તે તેની ફરજ નથી. શરણસ્થાન ત્રણ પ્રકારનાં હોય છે : (1) પ્રાદેશિક, (2) બિનપ્રાદેશિક અને (3) તટસ્થ. (1) પ્રાદેશિક શરણસ્થાન જે તે દેશ પોતાના પ્રદેશમાં જ આપે છે. (2) બિનપ્રાદેશિક શરણસ્થાન જે…

વધુ વાંચો >

શરણ, હરશરણદાસ

Jan 7, 2006

શરણ, હરશરણદાસ (જ. 31 જાન્યુઆરી 1928, ફાલવડા, જિ. મેરઠ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે ‘સાહિત્યઆચાર્ય’: ‘સાહિત્ય-શિરોમણિ’; ‘સાહિત્યરત્ન’ અને ‘પ્રભાકર’ની ડિગ્રીઓ મેળવી. તેમણે ‘બાળગોપાળ’ અને ‘વીર ઇન્ડિયા’ના સંપાદક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી. પછી શાળામાં શિક્ષણકાર્ય કરી સેવાનિવૃત્ત થયા અને ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં પરોવાયા. તેમણે સંદર્ભગ્રંથો સહિત 253 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >

શરણાગતિ

Jan 7, 2006

શરણાગતિ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષકારો પૈકી કોઈ એક પક્ષે પોતાની સંપૂર્ણ હાર ઔપચારિક રીતે કબૂલ કરી બીજા પક્ષને તાબે થવાની ઘોષણા. આવી ઘોષણા સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આવે છે અને પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે પોતાનાં સૈનિકો, શસ્ત્રો તથા યુદ્ધમાં વપરાતાં અન્ય અયુદ્ધકારી કે બિનલડાયક સાધનો સુપરત કરવાની તૈયારી બતાવે…

વધુ વાંચો >

શરતના ઘોડા

Jan 7, 2006

શરતના ઘોડા (1943) : ગુજરાતી સાહિત્યમાં એકાંકીની ભોંય ભાંગનાર આદિ સર્જકત્રિપુટી પૈકીના એક એવા યશવંત પંડ્યાનો ત્રીજો એકાંકીસંગ્રહ, જેમાં પ્રારંભિક કાળમાં રચાયેલાં, ‘ભજવાય એવાં અને ભજવાયેલાં’ ચાર એકાંકીઓ અનુક્રમે ‘ઝાંઝવાં’, ‘સમાજસેવક’, ‘શરતના ઘોડા’ અને ‘પ્રભુના પ્રતિનિધિ’ સંગ્રહાયેલાં છે. પ્રથમ એકાંકીસંગ્રહ ‘મદનમંદિર’માં દેવોને મદન-દમન કે મદન-દહન માટે નહિ પણ મદનમંદિર માટે…

વધુ વાંચો >

શરદ (ઋતુ)

Jan 7, 2006

શરદ (ઋતુ) : દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે; પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો…

વધુ વાંચો >