શર્મા, જિતેન

શર્મા, જિતેન (જ. 1 માર્ચ 1954, નાલબારી, આસામ) : આસામી લેખક. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયામાં કાર્યરત હોવા ઉપરાંત લેખનકાર્ય કર્યું. ‘નારાયણ શર્મા’ અને ‘ભ્રમર તાલુકદાર’ના ઉપનામે 1978-80 સુધી ‘સોમોય’ તથા ‘સિલપિર પૃથ્વી’ના સંપાદક રહ્યા પણ ‘આસોમિયા પ્રતિદિન’ના સાંસ્કૃતિક સંપાદક રહ્યા. તેમણે…

વધુ વાંચો >

શર્મા, જીતેશ

શર્મા, જીતેશ (જ. 6 ઑગસ્ટ 1932, લાખીસરાઈ, જિ. મુંઘ્યાર, બિહાર) : હિંદી નિબંધકાર. તેઓ હિંદી અઠવાડિક ‘જનસંસાર’ના સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદી અને અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વિકૃત સમાજ’ (1980); ‘સાંપ્રદાયિક એકતા એવમ્ સાંપ્રદાયિક દંગે’ (1985); ‘ધર્મ કે નામ પર’ (1994) તેમના જાણીતા કટાક્ષાત્મક ગ્રંથો છે. ‘ઈશ્વર,…

વધુ વાંચો >

શર્મા, ઝરીન

શર્મા, ઝરીન (જ. 9 ઑક્ટોબર 1946; મુંબઈ) : ભારતના ખ્યાતનામ સરોદવાદક. મૂળ નામ ઝરીન દારૂવાલા. ‘મ્યૂઝિકલ પ્રોડિજી’ હતા. પિતા વાયોલિન વગાડતા. માત્ર ત્રણ વર્ષની વયે તેમણે સંગીતમાં રુચિ બતાવી હતી અને ફક્ત નવ વર્ષની વયે એમણે હામૉર્નિયમ પર અપ્રતિમ કાબૂ મેળવ્યો હતો. તે પછી એમણે ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી પ્રેરણા લઈ…

વધુ વાંચો >

શર્મા, તીર્થનાથ

શર્મા, તીર્થનાથ (જ. 1911, ઝાંજી, જિ. શિવસાગર, આસામ; અ. 1986) : જાણીતા આસામી દાર્શનિક કવિ, ચરિત્રલેખક અને સંપાદક. તેમને તેમના ‘વેણુધર શર્મા’ નામના જીવનચરિત્ર બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી બંગાળ સંસ્કૃત ઍસોસિયેશન તરફથી વેદાંતમાં પ્રથમ અને મધ્યમા પરીક્ષા પાસ…

વધુ વાંચો >

શર્મા, દેવદત્ત કુંદારામ

શર્મા, દેવદત્ત કુંદારામ (જ. 1900, અ. 1970) : સિંધી ગદ્યલેખક અને કવિ. તેમણે શાલેય શિક્ષણ ઉપરાંત પરંપરાગત પદ્ધતિથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વળી, તેમણે હિંદી તથા બીજી કેટલીક ભારતીય ભાષાઓ પર પ્રભુત્વ પણ મેળવ્યું. તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. તેમણે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સિંધમાં હિંદી ભાષાના…

વધુ વાંચો >

શર્મા, દેવરાજ (પથિક)

શર્મા, દેવરાજ (પથિક) (જ. 10 ફેબ્રુઆરી 1936, રાવલપિંડી (હાલ પાકિસ્તાન)) : હિંદી નાટ્યલેખક અને વિવેચક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી હિંદી અને ભૂગોળમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. સાગર યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ડી.લિટ. થયા. તેઓ દિલ્હી યુનિવર્સિટીના સ્વામી શ્રદ્ધાનંદ મહાવિદ્યાલયમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક રહ્યા. તેમણે હિંદીમાં 24થી વધુ ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ

શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ (જ. 1898, દાદુ, સિંધ; અ. 1966) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને સ્વાતંત્ર્યસેનાની. તેમણે હિંદી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીજીની ફિલસૂફીથી પ્રભાવિત થયા હતા. અસહકારની ચળવળમાં જોડાયા અને તેમની 1922માં ધરપકડ કરાઈ. જેલમાં તેઓ ભારતના જુદા જુદા ભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક…

વધુ વાંચો >

શર્મા, ધરણીધર

શર્મા, ધરણીધર (જ. 1892; અ. 1980) : નેપાળી સાહિત્યમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા કવિ. તેઓ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૈવેદ્ય’(1920)થી ખ્યાતિ પામ્યા હતા. તેનાથી ભારતીય નેપાળીઓને રાષ્ટ્રીય સંસક્તિની ભાવના ઝડપથી મેળવવાની પ્રેરણા મળી. રાણા રાજવીઓએ ઉક્ત કાવ્યસંગ્રહના નેપાળપ્રવેશ સામે પ્રતિબંધ મૂક્યો હતો. તે અરસામાં બનારસ, કોલકાતા અને ઢાકાના પંડિતોએ નેપાળમાં રાજકીય, સામાજિક,…

વધુ વાંચો >

શર્મા, નરેન્દ્રનાથ

શર્મા, નરેન્દ્રનાથ (જ. 25 એપ્રિલ 1916, પુરાણીગુડમ્ ચલચલી, જિ. નાગોન, આસામ) : આસામી લેખક. તેમણે આસામીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ ગુવાહાટી સવિતા સભા, આસામના સ્થાપકમંત્રી;  આસોમ સાહિત્યસભાના ખજાનચી; સાંસ્કૃતિક સંબંધો માટે આસામ અકાદમીના ઉપપ્રમુખ; આસામી શબ્દકોશ ‘ચલંતા અભિધાન’ના સંપાદક અને સંકલનકાર; બાળકોના માસિક ‘જોનબાઈ’ના સંપાદક રહ્યા અને ગુવાહાટી યુનિવર્સિટીના ડેપ્યુટી…

વધુ વાંચો >

શર્મા, બંસીરામ

શર્મા, બંસીરામ (જ. 11 મે 1935, કુથેરા, જિ. બિલાસપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ હિમાચલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ, સિમલાના મંત્રી તરીકે નિવૃત્ત થયા. તેઓ 1993-94 દરમિયાન ઍન્થ્રપોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સિનિયર રિસર્ચ ફેલો અને 1994-95માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…

વધુ વાંચો >

શબ્દાર આકાશ

Jan 7, 2006

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શબ્દેન્દુશેખર

Jan 7, 2006

શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…

વધુ વાંચો >

શમશાદ બેગમ

Jan 7, 2006

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

Jan 7, 2006

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

શમા

Jan 7, 2006

શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…

વધુ વાંચો >

શમિમ નિખાત

Jan 7, 2006

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમીક

Jan 7, 2006

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…

વધુ વાંચો >

શમ્વે, નૉર્મન એડવર્ડ

Jan 7, 2006

શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

Jan 7, 2006

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શમ્સુદ્દીન ‘બુલબુલ’

Jan 7, 2006

શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત…

વધુ વાંચો >