વ્યાસ લક્ષ્મીનારાયણ/ભનુભાઈ રણછોડલાલ

વ્યાસ લક્ષ્મીનારાયણ/ભનુભાઈ રણછોડલાલ : જુઓ સ્વપ્નસ્થ.

વધુ વાંચો >

વ્યાસ, લક્ષ્મીશંકર

વ્યાસ, લક્ષ્મીશંકર (જ. 3 જુલાઈ 1920, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે અધ્યાપન અને પત્રકારત્વ સાથે લેખનકાર્ય સંભાળ્યું. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અને કાશી વિદ્યાપીઠમાં માનાર્હ અધ્યાપક રહ્યા. 1943માં ‘આજ’ના સહ-સંપાદક અને 1951થી 1993 સુધી તેના સિનિયર સંપાદક રહ્યા. કાશી વિદ્યાપીઠમાં તેમણે પત્રકારત્વના…

વધુ વાંચો >

વ્યાસ, વિદ્યાધર

વ્યાસ, વિદ્યાધર (જ. 8 સપ્ટેમ્બર 1944, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક, સંગીતના શાસ્ત્રકાર (musicologist) તથા લખનૌ ખાતેની ભાતખંડે સંગીત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ. ગાયનાચાર્ય પંડિત નારાયણરાવ વ્યાસ તેમના પિતા. તેમના કાકા પંડિત શંકરરાવ વ્યાસ પણ તેમના જમાનાના જાણીતા ગાયક અને શાસ્ત્રકાર હતા. માતાનું નામ લક્ષ્મીબાઈ. વિદ્યાધરને…

વધુ વાંચો >

વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી

વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી (જ. 9 ઑગસ્ટ 1920, થાણા દેવળી, સૌરાષ્ટ્ર; અ. 29 સપ્ટેમ્બર 1998) : આધુનિક ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. પ્રાથમિક ઘડતર રાજકોટ ખાતે. પહેલાં કરણસિંહજી મિડલ સ્કૂલમાં ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ-(આજનું મહાત્મા ગાંધી વિદ્યાલય)માં ભણ્યા. 1939માં મૅટ્રિક પાસ કર્યા પછી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ…

વધુ વાંચો >

વ્યાસ, શંકરરાવ

વ્યાસ, શંકરરાવ (જ. 23 જાન્યુઆરી 1898, કોલ્હાપુર; અ. 17 ડિસેમ્બર 1956, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર, પ્રચારક અને અગ્રણી ગાયક. પિતા પંડિત ગણેશ પોતે સિતાર અને હાર્મોનિયમના અચ્છા વાદક હતા, જેને પરિણામે પુત્ર શંકરરાવને નાનપણથી જ શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શંકરરાવ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું…

વધુ વાંચો >

વ્યાસ, શ્રીધર

વ્યાસ, શ્રીધર (ઈ. સ. 1398માં હયાત) : ઈડરનો રાજકવિ. રાવ રણમલ(શાસનકાળ  1346થી 1404)નાં પરાક્રમોની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે તે ગાળામાં રચેલા અવહઠ્ઠમિશ્રિત (ડિંગળીમિશ્ર) મધ્યકાલીન ગુજરાતીના ‘રણમલ્લ છંદ’(ઈ. સ. 1398)માં ગાઈ છે. તેમાં ઈડરના રાજા રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન ફારસી (1362-1371), તેના અનુગામી શમ્સુદ્દીન અબુ રિજા (1372-74), તેના અનુગામી શમ્સુદ્દીન દામગાની…

વધુ વાંચો >

વ્યાસ, શ્રીમંત કુમાર

વ્યાસ, શ્રીમંત કુમાર (જ. 3 ડિસેમ્બર 1927, લાડનુન, જિ. નાગોર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે ‘હિંદી પ્રભાકર’ની તેમજ પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી પ્રાપ્ત કરી. તેમણે હિંદીમાં 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રામદૂત’ (1955); ‘કૈકયી’ (1986); ‘દ્રૌપદી’ (1987); ‘મીરાં કો પ્રભુ ગિરધર નાગર’ (1992); ‘મીરાં મહાકાવ્ય’ (1996) તેમના…

વધુ વાંચો >

વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ

વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ (જ. 10 ઑક્ટોબર 1943, રોજકા, તા. ધંધૂકા) : ગુજરાતી નાટ્યકાર, વિવેચક. માતા રસીલાબહેન. શાળાકીય અભ્યાસ વતન સૂરતમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ., એ જ વિષયમાં 1967માં એમ.એ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયંત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર સંશોધન-અભ્યાસ…

વધુ વાંચો >

વ્યાસ, હરિપ્રસાદ મણિરાય

વ્યાસ, હરિપ્રસાદ મણિરાય (જ. 25 મે 1904, બોડકા, જિ. વડોદરા; અ. 13 જુલાઈ 1980, સાનહોઝે; કૅલિફૉર્નિયા) : બાળસાહિત્યકાર અને હાસ્યલેખક. ઉપનામો ‘પ્રસાદ’ અને ‘હરિનવેદ’. 1921માં મૅટ્રિક. 1925થી ઝેનિથ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ઑફિસમાં મૅનેજર. ‘ગાંડીવ’ના વૈવિધ્યસભર કથાસાહિત્યમાં હરિપ્રસાદ વ્યાસ શિરમોર રહે છે તેમના ‘બકોર પટેલ’ના ત્રીસ ભાગની શ્રેણીથી.…

વધુ વાંચો >

વ્યાસ, હરિશચંદ્ર

વ્યાસ, હરિશચંદ્ર (જ. 16 માર્ચ 1939, બીકાનેર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને એમ.એડ.ની પદવીઓ મેળવી હતી. તેઓ સરકારી આઇ.એ.એસ.ઈ. બીકાનેરમાં સિનિયર અધ્યાપક તરીકે રહેલા. તેમણે અત્યારસુધીમાં 36 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિમાલય કે ઉસ પાર’ (1986) તેમની જાણીતી નવલકથા છે. ‘ધૂલ ભરા હીરા’ (1962) તેમનો બાળકો…

વધુ વાંચો >

વ્યારા

Jan 4, 2006

વ્યારા : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 73° 24´ પૂ. રે. પર સૂરતથી પૂર્વ તરફ 65 કિમી. દૂર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 813 ચોકિમી. જેટલું છે. તાલુકામાં વ્યારા ઉપરાંત 148 ગામો આવેલાં છે. તાલુકાનું…

વધુ વાંચો >

વ્યારાવાલા, હોમાય

Jan 4, 2006

વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…

વધુ વાંચો >

વ્યારોધ (baffle)

Jan 4, 2006

વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે…

વધુ વાંચો >

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)

Jan 4, 2006

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય.…

વધુ વાંચો >

વ્યાવસાયિક બેદરકારી

Jan 4, 2006

વ્યાવસાયિક બેદરકારી : વ્યાવસાયિક કાર્ય કરતી વખતે સામાન્ય બુદ્ધિશાળી માણસ જેવું કૃત્ય કરે તેવું ન કરવું અથવા સામાન્ય બુદ્ધિશાળી માણસ ન કરે તેવું કૃત્ય કરવું તે. તેને વ્યાવસાયિક ઉપેક્ષા (professional negligence) પણ કહે છે. ઉપેક્ષા યાને બેદરકારી તે કાંઈક કરવામાં કસૂરનું કૃત્ય છે. બેદરકારીનો અર્થ અવિચારીપણું અગર ગફલત થતો નથી…

વધુ વાંચો >

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

Jan 4, 2006

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…

વધુ વાંચો >

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)

Jan 4, 2006

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…

વધુ વાંચો >

વ્યાસ

Jan 4, 2006

વ્યાસ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા મહર્ષિ. ભગવાન વેદવ્યાસ તરીકે વિખ્યાત. ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે પણ સુશ્રુત. મહર્ષિ પરાશરના પુત્ર. માતાનું નામ સત્યવતી અથવા કાલી. કાલીના પુત્ર હોવાથી ‘કૃષ્ણ’ કહેવાયા અથવા શ્યામવર્ણના હોવાથી કૃષ્ણ કહેવાયા. એમનો જન્મ યમુનાદ્વીપમાં થયો હતો એટલે ‘દ્વૈપાયન’ કહેવાયા. આથી ‘કૃષ્ણદ્વૈપાયન’ વ્યાસ તરીકે પરંપરામાં ઓળખાય છે.…

વધુ વાંચો >

વ્યાસ, અવિનાશ

Jan 4, 2006

વ્યાસ, અવિનાશ (જ. 17 જુલાઈ 1909; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…

વધુ વાંચો >

વ્યાસ, કાન્તિલાલ બ.

Jan 4, 2006

વ્યાસ, કાન્તિલાલ બ. (જ. 21 નવેમ્બર 1910, હાજીપુર; અ. 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી…

વધુ વાંચો >