૨૦.૨૧

વિષાણુજ મસા (warts)થી વિસ્થાનિકતા

વિષ્ણુકુંડી વંશ

વિષ્ણુકુંડી વંશ : આંધ્ર પ્રદેશમાં ઈસવી સનની પાંચમીથી સાતમી શતાબ્દી દરમિયાન વિઝાગાપટમ્, ગોદાવરી, કૃષ્ણા અને ગંતુર જિલ્લાઓના વિસ્તારમાં શાસન કરનાર રાજવંશ. આ વંશના રાજાઓ તેમના સીલ ઉપર પ્રતીક તરીકે સિંહને દર્શાવતા હતા. તેઓ શ્રીશૈલ પર્વત ઉપર આવેલ મંદિરની દેવીને પોતાની કુળદેવી માનતા હતા. પાંચમી સદીની મધ્યમાં તે રાજવંશ સત્તા પર…

વધુ વાંચો >

વિષ્ણુકુંડી શિલ્પકલા

વિષ્ણુકુંડી શિલ્પકલા : આંધ્રપ્રદેશમાં 6ઠ્ઠી-7મી સદી દરમિયાન વિષ્ણુકુંડી વંશના રાજાઓએ કંડારાવેલાં શૈલગૃહોની શિલ્પકલા. આ વંશમાં આ સમયગાળા દરમિયાન માધવવર્મા 1લો, વિક્રમેન્દ્રવર્મા 2જો અને તેનો પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક અને પ્રોત્સાહક હતા. એમણે વિજયવાડા પાસે આવેલ ઉંડવલ્લી અ મોગલરાજપુરમની ગુફાઓ કંડારાવી હતી. અહીંનાં શિલ્પો સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ…

વધુ વાંચો >

વિષ્ણુદાસ

વિષ્ણુદાસ (અનુમાને ઈ. સ. 1578-1612ના ગાળામાં હયાત) : 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં હયાત મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિ, જે પ્રેમાનંદના પુરોગામી તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન-પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર આ કવિ ખંભાતના નાગર બ્રાહ્મણ છે. એમની સમયદર્શક કૃતિઓને આધારે એમનો કવનકાળ ઈ. 1578થી ઈ. 1612 સુધીનો…

વધુ વાંચો >

વિષ્ણુ ધર્મસૂત્ર

વિષ્ણુ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.

વધુ વાંચો >

વિષ્ણુધર્મોત્તર પુરાણ

વિષ્ણુધર્મોત્તર પુરાણ : એક ઉપપુરાણ. એના અધ્યાયોની પુષ્પિકામાં એનું નામ ‘વિષ્ણુધર્મોત્તર’ જણાવાયું છે : इतिश्री विष्णुधर्मोत्तरेषु मार्कण्डेयवज्रसंवादे तृतीये काण्डे चित्रसूत्रे प्रथमोडध्यायः ।।1।। નારદીય પુરાણમાં (પૂર્વખંડ, અ. 94, શ્ર્લો. 17-20) ‘વિષ્ણુધર્મોત્તર’નો ઉલ્લેખ આવે છે, જેમાં વિવિધ ધર્મકથાઓ, પુણ્ય, વ્રતો, નિયમો, યમો વિશે વર્ણન આવે છે તેને ‘વિષ્ણુધર્મોત્તર’ નામ આપ્યું છે અને…

વધુ વાંચો >

વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી.

વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી. (જ. 25 ઑક્ટોબર 1939, રમન્થલી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર, પચ્ચનુરમાં મહેમાન અધ્યાપક; એડવાઇઝરી બૉર્ડ ઑવ્ એન્સાઇક્લોપીડિયા, કેરળના સભ્ય તથા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સભ્ય રહેલા. અત્યાર…

વધુ વાંચો >

વિષ્ણુપુરાણ

વિષ્ણુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનાં મુખ્ય 18 પુરાણોમાંનું એક. પૌરાણિક કથાઓ અને પુરાણનાં લક્ષણોના ઘડતરની દૃષ્ટિએ આ પુરાણ રસપ્રદ છે. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે મહાભારત-રામાયણની સમીક્ષિત આવૃત્તિની પરંપરાને અનુસરી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે. વિષ્ણુપુરાણ છ અંશોમાં વિભક્ત છે : પ્રથમ અંશના બાવીસ અધ્યાયોમાં ગ્રંથનો ઉપોદ્ઘાત, સાંખ્યાનુસાર…

વધુ વાંચો >

વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા

વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા (જ. 6 સપ્ટેમ્બર 1945, યાનમ, પુદુચેરી) : તેલુગુ લેખક અને પત્રકાર. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે ‘જનમિત્ર’ નામના અઠવાડિક અને દૈનિકનું સંપાદન કર્યું. તેલુગુ દૈનિક ‘એઇનાડુ’; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માસિક ‘પોન કા મા યા’ અંગે કામગીરી કરી. તેઓ સ્મૉલ ન્યૂઝપેપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ; રિજિયોનલ પ્લાનિંગ કમિટીના નૉમિનેટેડ સભ્ય…

વધુ વાંચો >

વિષ્ણુવર્ધન

વિષ્ણુવર્ધન : ઈ. સ. 1110થી 1141 દરમિયાન માયસોર વિસ્તારના કન્નડ પ્રદેશમાં શાસન કરતો દ્વારસમુદ્રનો હોયસળ વંશી રાજા. તે મૂળમાં જૈનધર્માવલંબી હતો પરંતુ રામાનુજાચાર્યના પ્રભાવથી તેણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો. રાજાનું મૂળ નામ વિહિદેવ હતું. વૈષ્ણવી દીક્ષા લીધા પછી પોતાનું નામ બદલીને વિષ્ણુવર્ધન રાખ્યું. બાંધકામપ્રિય રાજાએ તેના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર દેવાયલો…

વધુ વાંચો >

વિષ્ણુસહસ્રનામ

વિષ્ણુસહસ્રનામ : મહાભારતમાં રજૂ થયેલું હિંદુ ધર્મનું એક અતિપ્રસિદ્ધ સ્તોત્ર. મહાભારતના અનુશાસનપર્વમાં આ પ્રસંગ છે : ભીષ્મ બાણશય્યા પર સૂતેલા છે. યુધિષ્ઠિર એમની પાસે આવે છે. તેઓ પોતાના ચિત્તનું સમાધાન કરવા છ પ્રશ્નો કરે છે. તેમાં છેલ્લો આ પ્રમાણે છે : ‘કોનો જાપ કરવાથી મનુષ્ય જન્મ અને સંસારનાં બંધનોથી છૂટી…

વધુ વાંચો >

વિષાણુજ મસા (warts)

Feb 21, 2005

વિષાણુજ મસા (warts) : મસાકારક અંકુરાર્બુદ વિષાણુ(wart papilloma virus)થી ચામડી પર ફોલ્લીઓ કરતો ચેપ. તે એક પ્રકારનો ચામડીનો વિષાણુથી થતો ચેપ છે; જેમાં એક વિશિષ્ટ પ્રકારનો ચામડીનો વિકાર થાય છે. તેનાથી સામાન્ય મસા, ચપટા મસા, પાદતલીય મસા, લિંગીય મસા વગેરે પ્રકારના ચામડીના વિકારો થાય છે. સામાન્ય મસા ઘુમ્મટ આકારની ફોલ્લીઓના…

વધુ વાંચો >

વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ – ઉગ્ર (acute viral encephalitis and meningitis)

Feb 21, 2005

વિષાણુજ મસ્તિષ્કશોથ અને તાનિકાશોથ, ઉગ્ર (acute viral encephalitis and meningitis) : અનુક્રમે મગજ અને તેનાં આવરણો(તાનિકાઓ, meninges)નો વિષાણુથી થતો ચેપ. જ્યારે મગજ સાથે કરોડરજ્જુ પણ અસરગ્રસ્ત થાય ત્યારે તેને વિષાણુજ મેરુમસ્તિકશોથ (viral encephalomyelitis) કહે છે. જ્યારે મગજ અને તેનાં આવરણો અસરગ્રસ્ત હોય ત્યારે તેને તાનિકામસ્તિષ્કશોથ (meningoencephalitis) કહે છે. જોકે મસ્તિષ્કશોથ…

વધુ વાંચો >

વિષાણુ-પ્રતિરક્ષક

Feb 21, 2005

વિષાણુ–પ્રતિરક્ષક : જુઓ વિષાણુ.

વધુ વાંચો >

વિષુવવૃત્ત (equator)

Feb 21, 2005

વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ…

વધુ વાંચો >

વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system)

Feb 21, 2005

વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system) : પૃથ્વી પરના કોઈ સ્થાનેથી, આકાશી ગોલક પરના કોઈ (તારા જેવા) પિંડનું સ્થાન સરળતાથી તે ક્ષિતિજની ઉપર કેટલી ઊંચાઈએ જણાય છે તે દર્શાવતો ખૂણો (ઉન્નતાંશ એટલે કે elevation angle) અને ઉત્તરદિશા સંદર્ભે સમક્ષિતિજ વર્તુળ પર તેનો પ્રક્ષેપ (projection) કેટલો ખૂણો સર્જે છે તે…

વધુ વાંચો >

વિષ્કંભક

Feb 21, 2005

વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય…

વધુ વાંચો >

વિષ્ટુતિ

Feb 21, 2005

વિષ્ટુતિ : પ્રાચીન ભારતીય સામવેદના મંત્રોના ગાનનો એક પ્રકાર. જે સ્તુતિમાં મંત્ર, ગાન સાથે ન હોય તે ‘शस्त्र’ છે; તે ઋગ્વેદમાં હોય છે. ગાન સાથે હોય તે ‘स्तोत्र’ છે; તે સામવેદમાં છે. प्रगीतमन्त्रसाध्या स्तुतिः स्तोत्रम् ।  ઉત્તરગાનમાં એક સ્તોત્રમાં ત્રણ ઋચા હોય છે. સાયણાચાર્યનું કથન છે – ये तु मन्त्राः…

વધુ વાંચો >

વિષ્ણુ

Feb 21, 2005

વિષ્ણુ : હિંદુ ધર્મની દેવત્રયીમાંના એક  વિશ્વના પાલક દેવ. ‘વિષ્ણુ’ શબ્દ विष् – વ્યાપવું ઉપરથી બનેલો છે. તેથી વ્યાપક પરમાત્મા તે વિષ્ણુ. પરમેશ્વરને નારાયણ સાથે જોડવામાં આવે છે તેથી તે પણ વિષ્ણુ. પરમેશ્વરનું સત્વગુણનું સ્વરૂપ તે વિષ્ણુ અને વિભૂતિમાં સૃદૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે. ‘વિષ્ણુ’ શબ્દ विष्…

વધુ વાંચો >

વિષ્ણુકાંચી

Feb 21, 2005

વિષ્ણુકાંચી : દક્ષિણ ભારતમાં શિવકાંચીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું વૈષ્ણવ તીર્થ. અહીં 18 વિષ્ણુમંદિરો આવેલાં છે, જેમાં વરદરાજ સ્વામીનું મંદિર મુખ્ય છે. આ વિશાળ અને ભવ્ય મંદિરમાં વૈશાખી પૂર્ણિમાને દિવસે ‘બ્રહ્મોત્સવ’ થાય છે. આ ઉત્સવ સમગ્ર દક્ષિણ ભારતનો સહુથી મોટો ઉત્સવ ગણાય છે. રામાનુજાચાર્યની મુખ્ય આઠ પીઠોમાંની એક પીઠ…

વધુ વાંચો >

વિષ્ણુકાંતા (કાળી શંખાવલી)

Feb 21, 2005

વિષ્ણુકાંતા (કાળી શંખાવલી) : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides L. (સં. વિષ્ણુકાંતા; હિં. અપરાજિતા, શંખપુષ્પી; બં. નીલ અપરાજિતા; ક. વિષ્ણુકાકે; ત. વિષ્ણુકાંતિ; તે. વિષ્ણુકાંતમુ; મલ. વિષ્ણુકીરાંતી.) છે. તેની બીજી જાતિ E. nummularius L. વલસાડ અને છોટાઉદેપુરનાં જંગલોમાં મળી આવે છે. કાળી શંખાવલી રોમિલ, બહુવર્ષાયુ…

વધુ વાંચો >