૧.૨૮

અંગ્રેજી સાહિત્યથી અંતરાલ

અંજોદીદી (1955)

અંજોદીદી (1955) : હિંદી નાટ્યકાર ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું એક નાટક. અંજો (જેનું નામ અંજલિ છે), સુસંપન્ન-સંસ્કારી વર્ગની મહિલા છે. તેણે પોતાના બધા ગુણો દાદાજી પાસેથી વારસારૂપે મેળવ્યા છે. દાદાનાં કાર્યોની તેના પર સ્પષ્ટ અસર છે. દાદાએ જ તેનું પાલનપોષણ કર્યું હોય છે. તેના દાદા આઈ.સી.એસ. ઑફિસર હતા. અંજોના પતિ ઇન્દ્રનારાયણ વકીલ…

વધુ વાંચો >

અંડક

અંડક (ovule) : બીજાશયના પોલાણમાં એક કે વધુ સંખ્યામાં રહેલું સ્ત્રીકેસરનું અંગ. સ્ત્રીકેસર પુષ્પનું ટોચનું કે ચોથું ચક્ર છે. તેના બીજા ત્રણ ભાગો તે બીજાશય, પરાગવાહિની અને પરાગાસન કે બોરિયું. બીજાશયનું પોલાણ એક કે વધુ અંડક કે બીજાંડ ધરાવે છે. માદાજન્યુ કે અંડકોષ(female gamete)ને અંડક આશ્રય આપે છે. અંડકના બીજદેહમાં…

વધુ વાંચો >

અંડકોષજનન

અંડકોષજનન (oogenesis) : અંડકોષનું ઉત્પન્ન થવું તે. નારી-પ્રજનનકોષને અંડકોષ (ovum) કહે છે. તે અંડગ્રંથિમાં ઉદભવતી ગ્રાફિયન પુટિકા(Graaffian follicle)માં હોય છે. ગ્રાફિયન પુટિકા અંત:સ્રાવો(hormones)ની અસર હેઠળ તૈયાર થયેલું આદિ (primodial) પુટિકાનું પુખ્ત સ્વરૂપ છે. યૌવનારંભ (puberty) પછી મોટા મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના ભાગમાંથી વિમોચનકારી (releasing) અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે, જે…

વધુ વાંચો >

અંડકોષમોચન

અંડકોષમોચન (ovulation) : અંડગ્રંથિમાંથી અંડકોષનું છૂટા પડવું. ફલનકાળ(child-bearing age)માં સામાન્યત: દર ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત થાય છે. અંડનળીની તાંત્વિકાઓ (fimbria) તનુતંતુતરંગ અથવા કશાતરંગ (ciliary current) વડે અંડકોષનો અંડનળીમાં પ્રવેશ કરાવે છે. શુક્રકોષના સંગમથી અંડનળીમાં અંડકોષ ફલિત થાય છે. અંત:સ્રાવોની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા અને તેની અંતર્દીવાલના કોષો…

વધુ વાંચો >

અંડગ્રંથિકોષ્ઠ

અંડગ્રંથિકોષ્ઠ (ovarian cyst) : અંડગ્રંથિ(ovary)ની પ્રવાહી ભરેલી ગાંઠ. ક્યારેક અંડગ્રંથિની પેશીના કાર્યની વિષમતા કોષ્ઠ સર્જે છે. આવા કોષ્ઠને વિષમ-કાર્યશીલ (dysfunctional) કોષ્ઠ કહે છે. તે ત્રણ પ્રકારના હોય છે : (1) પુટિકા (follicular) કોષ્ઠ : જો તે કાર્યશીલ હોય તો અંત:સ્રાવ (hormone) ઉત્પન્ન કરે છે. તેથી ગર્ભાશયમાંથી લોહી પડવાનો, રુધિરસ્રાવી ગર્ભાશય-વ્યાધિ…

વધુ વાંચો >

અંડનળીબંધન અને પુનર્રચના

અંડનળીબંધન અને પુનર્રચના (tubal ligation and reconstruction) : ગર્ભધારણ રોકવા માટે અંડનળી(fallopian tube)ને બાંધી દેવી અને જરૂર પડે ત્યારે ગર્ભધારણહેતુથી તેને ફરીથી કાર્યાન્વિત કરવી તે. સામાન્ય રીતે ગર્ભધારણ કાયમી ધોરણે રોકવા માટે અંડનળી-બંધનની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ માટે છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં ૩ કરોડ સ્વૈચ્છિક શસ્ત્રક્રિયાઓ થઈ છે. કેટલાક…

વધુ વાંચો >

અંડેરી ગંડેરી ટીપરી ટેન

અંડેરી ગંડેરી ટીપરી ટેન (1966) : ગુજરાતી બાળનાટક. લેખિકા : ધીરુબહેન પટેલ. બહુ ઓછાં લાંબાં ગુજરાતી બાળનાટકોમાંનું એક. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવ સુધીનું શિક્ષણ…

વધુ વાંચો >

અંડોરા

અંડોરા : ફ્રાન્સ અને સ્પેનની સરહદો વચ્ચે આવેલો, 1288થી સ્વતંત્ર રહેલો વિશ્વનો એક નાનો દેશ. રાજધાની : અંડોરા લા વેલ્લા જેની વસ્તી 22,256 (2011). વિસ્તાર : 464 કિમી. તે ઊંચા પર્વતો અને ઊંડી ખીણોનો બનેલો છે. સૌથી ઊંચું શિખર કોમા પેડ્રોસા (2336 મી.) છે. દેશની માત્ર 4 % જમીન જ…

વધુ વાંચો >

અંડોરા લા વેલ્લા

અંડોરા લા વેલ્લા : ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલા અંડોરા દેશનું પાટનગર. વસ્તી : 22,387 (1993). વાલિરા અને રિયુ વાલિરા દેલ નોર્તે નદીઓના સંગમ નજીક તે વસેલું છે. લગભગ 193૦ સુધી અંડોરા લા વેલ્લા દુનિયાના અન્ય ભાગો સાથે ઝાઝો સંપર્ક ધરાવતું ન હતું. પ્રવાસન-ઉદ્યોગ ખીલતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ શહેરની…

વધુ વાંચો >

અંતરમાપક ઉપકરણો

અંતરમાપક ઉપકરણો (distance measuring instruments) બે બિંદુઓ વચ્ચેનું અંતર ચોકસાઈપૂર્વક માપવાનાં વૈજ્ઞાનિક સાધનો. અંતરમાપનનું કાર્ય પૃથ્વીની સપાટી ઉપર, અવકાશમાં, સમુદ્રના જળમાં અથવા પૃથ્વીના પડમાં કરવાનું જરૂરી બને છે. આ અંતરોનો વ્યાપ અતિસૂક્ષ્મ પરમાણુ-અંતરો(10-8થી 10-30 સેમી.)થી માંડીને અતિવિશાળ ખગોલીય અંતરો (106થી 1010 પ્રકાશવર્ષ) સુધી પથરાયેલો છે. તેથી વિવિધ માત્રા(magnitude)ની લંબાઈના એકમો…

વધુ વાંચો >

અંગ્રેજી સાહિત્ય

Jan 28, 1989

અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સાહિત્યનું સૌથી પ્રાચીન ગણાતું વીરકાવ્ય ‘બેઆવુલ્ફ’ જૂની-અંગ્રેજી ઍંગ્લો-સૅક્સન-ભાષામાં દસમી સદીમાં લખાયેલું. તે છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગ વિશે છે. ઍંગ્લો-સેક્સન ગદ્યસાહિત્યનો પિતા રાજા આલ્ફ્રેડ (849-899) છે. ઈ. સ. 1૦66માં ફ્રાંસના નૉર્મન રાજા વિલિયમે ઇંગ્લૅન્ડ જીતી લીધું, એને પરિણામે અંગ્રેજી સાહિત્ય પર ફ્રેંચનો પ્રભાવ વધ્યો. ફ્રેંચ લોકોએ પણ…

વધુ વાંચો >

અંજન-અંજની

Jan 28, 1989

અંજન–અંજની : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલાસ્ટોમેટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Memecylon ambellatum Burm. F. syn. M. edule Roxb. (મ. અંજની, લિંબા; ગુ. અંજની-અંજની; અં. Iron wood Tree) છે. ડૉ. સાન્તાપાઉના મંતવ્ય પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર, લોનાવાલા વગેરે વિવિધ પ્રદેશોમાં ઊગતી આ પ્રજાતિની બધી જ જાતિઓ ‘અંજની’ નામથી…

વધુ વાંચો >

અંજલિકાવ્ય

Jan 28, 1989

અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે…

વધુ વાંચો >

અંજાર

Jan 28, 1989

અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…

વધુ વાંચો >

અંજારિયા, જશવંતરાય જયંતિલાલ

Jan 28, 1989

અંજારિયા, જશવંતરાય જયંતિલાલ (જ. 15 જુલાઈ 1908, કચ્છ-ભુજ; અ. 10 એપ્રિલ 197૦, દિલ્હી) : વિખ્યાત અર્થશાસ્ત્રી અને ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા. મૂળ અંજાર(કચ્છ)ના. અર્થશાસ્ત્રના વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ યુનિવર્સિટી તથા લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી. લંડન સ્કૂલના અભ્યાસ દરમિયાન વિખ્યાત અર્થશાસ્ત્રી…

વધુ વાંચો >

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી

Jan 28, 1989

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી (જ. 6 ઑક્ટોબર 1913, રાજકોટ; અ. 7 જુલાઈ 198૦, મુંબઈ) : સાહિત્યસંશોધક, વિવેચક. જ્ઞાતિએ નાગર. માતા ચંચળબહેન. પિતા જામનગરમાં શિક્ષક. પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતાપિતાના અવસાનને કારણે પછીનું મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. બી.એ. 1935માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી, અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ…

વધુ વાંચો >

અંજારિયા, હિંમતલાલ ગણેશજી

Jan 28, 1989

અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. 2 ઑક્ટોબર 1877, રાજકોટ; અ. 26 જૂન 1972) : સાહિત્યશિક્ષણ માટેનાં કેટલાંક પુસ્તકોના સંપાદક. વડોદરાથી બી.એ. થઈ 1899માં ગોંડલ રાજ્યના કેળવણીખાતામાં જોડાયા. 1905માં એમ.એ. થયા પછી 1932 સુધી મુંબઈ નગરપાલિકાની શાળા સમિતિમાં મદદનીશ અને મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દાયકા દરમિયાન પાછળથી કર્વે…

વધુ વાંચો >

અંજીર

Jan 28, 1989

અંજીર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L. (સં. काकोदंबरिका, अंजीर;  હિં. બં. મ. ગુ. અંજીર; અં. common fig. ફિગ) છે. તે પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં…

વધુ વાંચો >

અંજીર ફૂદું

Jan 28, 1989

અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની…

વધુ વાંચો >

અંજુમને ઇસ્લામ

Jan 28, 1989

અંજુમને ઇસ્લામ : અંગ્રેજો વિરુદ્ધના 1857ના વિપ્લવ પછી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા, સામાજિક સુધારાઓ દાખલ કરવા તથા આધુનિક શિક્ષણના પ્રસારના હેતુથી સાર્વજનિક મુસ્લિમ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, જેમને સામાન્ય રીતે અંજુમને ઇસ્લામ અર્થાત્ મુસ્લિમ મંડળ નામ આપવામાં આવ્યું હતું. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ શહેર તથા ગુજરાતમાં અમદાવાદ, સૂરત, વડોદરા જેવાં…

વધુ વાંચો >