૧.૨૫

અસ્થિમજ્જા-પ્રતિરોપણથી અહિંસા

અહમદશાહ અબ્દાલી (દુરાની)

અહમદશાહ અબ્દાલી (દુરાની) (જ. 1722, અફઘાનિસ્તાન; અ. 4 જૂન 1772, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો એક સમર્થ શાસક. 1747માં ઈરાનના રાજા નાદિરશાહનું ખૂન થતાં અફઘાનિસ્તાનમાં અફઘાનોની અબ્દાલી અથવા દુરાની ટોળીનો નેતા અહમદશાહ સ્વતંત્ર શાસક બન્યો. તેણે કંદહાર, કાબુલ અને પેશાવર જીત્યા બાદ, 1748માં પંજાબ પર ચડાઈ કરી. માનપુરની લડાઈમાં મુઘલ શાહજાદા અહમદશાહે…

વધુ વાંચો >

અહમદશાહની મસ્જિદ

અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…

વધુ વાંચો >

અહમદશાહનો રોજો

અહમદશાહનો રોજો : અમદાવાદમાં માણેકચોકમાં જામે મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો. તે બહુ મોટા નહિ તેવા વંડામાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર બંધાયેલો છે. મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને તેમની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુજૈન શૈલીનો સપ્રમાણ…

વધુ વાંચો >

અહમદશાહ મૌલવી

અહમદશાહ મૌલવી : અવધ રાજ્યના ફૈઝાબાદનો જમીનદાર. અંગ્રેજ સરકારે તેની જાગીર જપ્ત કરતાં તે 1857ના વિપ્લવમાં જોડાયો હતો. તે અંગ્રેજ સરકાર સામે નફરત ફેલાય તેવો પ્રચાર કરતો હતો, આથી અંગ્રેજ સરકારે તેની ધરપકડ કરીને તેને ફાંસીની સજા ફરમાવી હતી, પરંતુ તેનો અમલ થાય તે પહેલાં વિપ્લવકારીઓ તેને છોડાવી ગયેલા. અવધના…

વધુ વાંચો >

અહમદાબાદી, અબ્દુલકરીમ ‘કલીમ’

અહમદાબાદી, અબ્દુલકરીમ ‘કલીમ’ (જ. 1882; અ. ?) : અર્વાચીન ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલકરીમ હતું. ઉપનામ કલીમ. અમદાવાદની કુરૈશ બિરાદરીમાં જન્મ. તેઓ ખાસ બજાર ત્રણ દરવાજા પાસે ઉર્દૂ-ગુજરાતી સામયિકો તેમજ પુસ્તકોની દુકાન ધરાવતા હતા. ઈ. સ. 1911થી તેમણે શાયરી લખવાની શરૂઆત કરી હતી. તેમણે કાવ્યજ્ઞાન, ગાલિબના વંશજ અને મહાન શાયર…

વધુ વાંચો >

અહમદી, એ. એેમ.

અહમદી, એ. એેમ. (જ. 25 માર્ચ 1932, સૂરત) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયિક સક્રિયતા સચવાઈ અને દેશની અદાલતોમાં કમ્પ્યૂટરયુગનો પ્રારંભ થયો. પિતા એમ. આઈ. અહમદી અવિભક્ત મુંબઈ રાજ્યમાં સીનિયર ડિવિઝન સિવિલ જજ હોવાથી તેમની બદલીઓના કારણે મુંબઈ રાજ્યના જુદા જુદા નગરોમાં તેમણે શાળાકીય શિક્ષણ…

વધુ વાંચો >

અહમેવવાદ

અહમેવવાદ (solipsism) : નૈતિકતાનાં ધોરણ, વાસ્તવિક અસ્તિત્વ અને જ્ઞાનની નિશ્ચિતતાની દૃષ્ટિએ સ્વત્વને જ અગ્રિમતા આપતો અભિગમ. નૈતિક ક્ષેત્રમાં અહમવાદ (egoism) એ અહમેવવાદનું એક સ્વરૂપ ગણાય, કારણ કે સ્વાર્થવાદમાં દરેક વ્યક્તિના પોતાના સુખ કે હિતને જ મૂલ્યાંકનના ધોરણ તરીકે સ્વીકારવામાં આવે છે. જોકે, નૈતિક ક્ષેત્રના આ પ્રકારના અહમેવવાદમાં અન્ય વ્યક્તિના અસ્તિત્વનો…

વધુ વાંચો >

અહમ્

અહમ્ : ‘હું’, ‘મારું’, ‘મને’ વગેરે જેવા સ્વ-વાચક શબ્દોથી સૂચવાતો ખ્યાલ. દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની પ્રતીતિ હોય છે. ‘હું અસ્તિત્વમાં નથી’ એવું કોઈ વ્યક્તિ પોતાને વિશે કહી શકતી નથી. હું (I) શબ્દનો રોજિંદા વ્યવહારમાં સર્વલોકપ્રસિદ્ધ અર્થ હોય છે. દરેક વ્યક્તિ પોતાને પોતાના નામથી ઓળખે છે અને કેવળ પોતાને માટે જ…

વધુ વાંચો >

અહલયે

અહલયે : પુ. તિ. શ્રીકંઠૈયાનું કન્નડ ગીતનાટક. તે રામાયણની અભિશપ્તા અહલ્યાની પ્રકરી પર આધારિત છે. નાટકમાં સંવાદ પણ ગીતોમાં જ છે. નાટકકાર રામાયણની અહલ્યાની કથાને યથાતથ વળગી રહ્યા નથી. મૂળ કથામાં અહલ્યા નિર્દોષ છે. ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારીને એના સતીત્વને કલંક લગાડે છે, જ્યારે આ નાટક અનુસાર અહલ્યાને ખબર છે…

વધુ વાંચો >

અહલુવાલિયા, એચ. પી. એસ.

અહલુવાલિયા, એચ. પી. એસ. (જ. 6 નવેમ્બર 1936, સિયાલકોટ, પાકિસ્તાન) : ભારતના જાણીતા પર્વતારોહી. બાળપણ સિમલાની ટેકરીઓમાં વીત્યું અને તેના ઢોળાવ પર રમતાં રમતાં પર્વતનું તીવ્ર આકર્ષણ થયેલું. 196૦ના જાન્યુઆરીમાં સિકંદરાબાદમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ બ્રિગેડિયર જ્ઞાનસિંઘનું પર્વતારોહણ વિશે પ્રવચન સાંભળીને પર્વતારોહક થવાની ઇચ્છા જાગી. 1961માં દાર્જિલિંગમાં બેઝિક માઉન્ટેનિયરિંગનું શિક્ષણ…

વધુ વાંચો >

અસ્થિમજ્જા-પ્રતિરોપણ

Jan 25, 1989

અસ્થિમજ્જા–પ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી…

વધુ વાંચો >

અસ્થિમત્સ્યો

Jan 25, 1989

અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…

વધુ વાંચો >

અસ્થિમૃદુતા

Jan 25, 1989

અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં…

વધુ વાંચો >

અસ્થિરોગ, પૅજેટનો

Jan 25, 1989

અસ્થિરોગ, પૅજેટનો : વધારે પ્રમાણમાં બનતા નવા અસ્થિને કારણે થતી હાડકાંની ઘટ્ટતાનો રોગ. સર જેમ્સ પૅજેટ (1812–99) નામના લંડનના સર્જ્યનના નામ પરથી આ રોગનું નામકરણ થયું છે. ખાસ કરીને 4૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના કરોડના મણકા, નિતંબ, જાંઘ તથા પગનાં હાડકાંમાં તેની વધુ અસર જણાય છે. અસ્થિભક્ષી કોષ (osteoclast) દ્વારા…

વધુ વાંચો >

અસ્થિવિચલન

Jan 25, 1989

અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે…

વધુ વાંચો >

અસ્થિવિચલન, પુનરાવર્તી

Jan 25, 1989

અસ્થિવિચલન, પુનરાવર્તી : હાડકાનું વારંવાર ખસી જવું તે. શરૂઆતમાં ક્યારેક ખસી ગયેલું હાડકું સંધિબંધ (ligament) અને સંધિસપાટીઓ(articular surfaces)ને એવી ઈજા પહોંચાડે છે કે તેથી તે સાંધાનું હાડકું વારંવાર ખસી જાય છે. અગાઉની આ ઈજા જોરદાર હોવી જરૂરી નથી અને મોટેભાગે ખૂબ જોરથી થયેલી ઈજા બાદ, પુનરાવર્તી અસ્થિવિચલન થતું પણ નથી.…

વધુ વાંચો >

અસ્થિશોથ, સમજ્જા

Jan 25, 1989

અસ્થિશોથ, સમજ્જા (osteomyelitis) : હાડકાનો તથા તેના પોલાણમાં આવેલી મજ્જાનો ચેપ (infection). તેને અસ્થિ–અસ્થિમજ્જાશોથ પણ કહી શકાય. પરુ કરતા પૂયકારી જીવાણુ(pyogenic bacteria)થી થતા શોથ(inflammation)ને સમજ્જા અસ્થિશોથ કહે છે. ક્ષય અને ઉપદંશ (syphilis) પણ આવો સમજ્જા અસ્થિશોથ કરે છે. સમજ્જા અસ્થિશોથ ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic) પ્રકારનો હોય છે. ઉગ્રશોથ, શિશુઓ…

વધુ વાંચો >

અસ્થિસંધિશોથ

Jan 25, 1989

અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે.…

વધુ વાંચો >

અસ્પૃશ્યતા

Jan 25, 1989

અસ્પૃશ્યતા : હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોને અસ્પૃશ્ય ગણવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સામાન્ય હક્કોથી પણ વંચિત રાખી. વૈદિક યુગમાં અસ્પૃશ્યતા ન હતી. પરંતુ તેનાં મૂળ વર્ણ અને જ્ઞાતિવ્યવસ્થામાં છે. અસ્પૃશ્યોને પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ ધર્મના પતન પછી અસ્પૃશ્યતા…

વધુ વાંચો >

અસ્યુત

Jan 25, 1989

અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…

વધુ વાંચો >