૧.૨૫

અસ્થિમજ્જા-પ્રતિરોપણથી અહિંસા

અહતિસારી, માર્ટી

અહતિસારી, માર્ટી (જ. 23 જૂન 1937, વાઇપુરી, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ (1994–2008), મુત્સદ્દી અને વર્ષ 2008ના વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. 1973–77 દરમિયાન તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, સોમાલિયા અને મોઝામ્બિક ખાતે ફિનલૅન્ડના રાજદૂત રહી ચૂક્યા છે. તેમના દાદાના વખત સુધી તેમની અટક ઍડૉલ્ફરોન હતી, જે 1935માં અહતિસારીમાં ફેરવી નાંખવામાં આવી.…

વધુ વાંચો >

અહમદખાન, સૈયદ સર

અહમદખાન, સૈયદ સર : જુઓ, સૈયદ, અહમદખાન

વધુ વાંચો >

અહમદ, ઝિયાઉદ્દીન

અહમદ, ઝિયાઉદ્દીન (જ. 13 ફેબ્રુઆરી 1873, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 23 ડિસેમ્બર 1947, લંડન, યુ.કે.) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ગરીબ પરિવારમાં જન્મેલા ઝિયાઉદ્દીન અહમદે પોતાની તેજસ્વિતાને આધારે શિષ્યવૃત્તિઓ મેળવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1904માં ગોટિન્જનમાં ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી., લંડનની મૅથેમૅટિકલ સોસાયટીના સભ્ય, અને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના ફેલો બન્યા હતા. 1919માં…

વધુ વાંચો >

અહમદનગર (જિલ્લો)

અહમદનગર (જિલ્લો) : સ્થાન-સીમા-વિસ્તાર : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : તે આશરે 180 2૦´થી 190 55´ ઉ. અ. અને 730 4૦´થી 750 4૦´ પૂ. રે. વચ્ચેનો 17,૦48 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં નાસિક, ઉત્તર અને ઈશાનમાં ઔરંગાબાદ, પૂર્વમાં જાલના…

વધુ વાંચો >

અહમદનગર (શહેર)

અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…

વધુ વાંચો >

અહમદપુર-માંડવી

અહમદપુર-માંડવી : ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરતટે આવેલું વિહારધામ. ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતનો સાગરકાંઠો ઘણો લાંબો છે. (1,6૦૦ કિમી.) પરંતુ લાંબા સમય સુધી કાંઠે કેટલાંક બંદરો તથા મહત્વનાં તીર્થધામો સિવાય નોંધપાત્ર યાત્રાધામો કે વિહારધામો જેવાં સ્થળો હતાં નહિ. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી તેને એક સર્વાંગસંપૂર્ણ રાજ્ય બનાવવાના અભિગમ હેઠળ…

વધુ વાંચો >

અહમદ, ફખરુદ્દીન અલી

અહમદ, ફખરુદ્દીન અલી (જ. 13 મે 1905, જુની દિલ્હી; અ. 11 ફેબ્રુઆરી 1977, નવી દિલ્હી) : ભારતના રાષ્ટ્રપતિ (1974-1977). દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનના બાર-ઍટ-લૉ થઈ આવ્યા હતા. શરૂઆતમાં વકીલાત કર્યા પછી 1931થી કૉંગ્રેસમાં જોડાયા. 1935માં આસામ વિધાનસભાના સભ્ય બન્યા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં જઈ…

વધુ વાંચો >

અહમદ, મુઝફ્ફર

અહમદ, મુઝફ્ફર (જ. 5 ઑગસ્ટ 1889, સંદીપ ટાપુ, ચિત્તાગોંગ (હાલનું બાંગ્લાદેશ); અ. 18 ડિસેમ્બર 1973, કોલકાતા) : બંગાળના વરિષ્ઠ સામ્યવાદી નેતા. તીવ્ર ગરીબીને કારણે તેમનું કૉલેજનું શિક્ષણ અધૂરું રહેલું. 1916થી રાજકારણ તરફ આકર્ષાયા. તેઓ 1918માં બંગાળની મુસલમાન સાહિત્ય સમિતિના ઉપમંત્રી બન્યા. પછી કાઝી નઝરુલ ઇસ્લામ તરફથી પ્રસિદ્ધ થતા પત્ર ‘નવયુગ’માં…

વધુ વાંચો >

અહમદશાહ–1

અહમદશાહ–1 (જ. 1391–92, દિલ્હી; અ. 12 ઑગસ્ટ 1442, અમદાવાદ) : ગુજરાતનો ત્રીજો સુલતાન. નામ અહમદખાન. ઈ. સ. 1411ના જાન્યુઆરી માસની 10મી તારીખે પોતાના પિતામહ મુઝફ્ફરશાહ પહેલાને ઝેર અપાવી વીસ વર્ષની વયે ગાદીએ બેસીને પોતે નાસિરુદ્દીન્યાવદ્દીન અબૂલ-ફતહ અહમદશાહ નામ ધારણ કર્યું હતું. રાજ્યારોહણના વર્ષમાં જ સાબરમતીને તીરે આસાવલના સાન્નિધ્યમાં નવું શહેર…

વધુ વાંચો >

અહમદશાહ–2

અહમદશાહ–2 (જ. 1431; અ. 23 મે 1459) : ગુજરાતનો પાંચમો સુલતાન (શાસન 1451થી 1459). મૂળ નામ જલાલખાન. રાજ્યાભિષેક પછી કુત્બુદ્દુન્યાવદ્દીન અબૂલમુઝફ્ફર અહમદશાહ નામ ધારણ કર્યું હતું. ઈ. સ. 1451માં પિતા મુહમ્મદશાહ બીજાના અવસાન પછી વીસ વર્ષની વયે ગાદીએ આવ્યો. ગાદીએ બેસતાં જ માળવાના સુલતાન મહમૂદ ખલજીના આક્રમણનો સફળ સામનો કર્યો.…

વધુ વાંચો >

અસ્થિમજ્જા-પ્રતિરોપણ

Jan 25, 1989

અસ્થિમજ્જા–પ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી…

વધુ વાંચો >

અસ્થિમત્સ્યો

Jan 25, 1989

અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…

વધુ વાંચો >

અસ્થિમૃદુતા

Jan 25, 1989

અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં…

વધુ વાંચો >

અસ્થિરોગ, પૅજેટનો

Jan 25, 1989

અસ્થિરોગ, પૅજેટનો : વધારે પ્રમાણમાં બનતા નવા અસ્થિને કારણે થતી હાડકાંની ઘટ્ટતાનો રોગ. સર જેમ્સ પૅજેટ (1812–99) નામના લંડનના સર્જ્યનના નામ પરથી આ રોગનું નામકરણ થયું છે. ખાસ કરીને 4૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના કરોડના મણકા, નિતંબ, જાંઘ તથા પગનાં હાડકાંમાં તેની વધુ અસર જણાય છે. અસ્થિભક્ષી કોષ (osteoclast) દ્વારા…

વધુ વાંચો >

અસ્થિવિચલન

Jan 25, 1989

અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે…

વધુ વાંચો >

અસ્થિવિચલન, પુનરાવર્તી

Jan 25, 1989

અસ્થિવિચલન, પુનરાવર્તી : હાડકાનું વારંવાર ખસી જવું તે. શરૂઆતમાં ક્યારેક ખસી ગયેલું હાડકું સંધિબંધ (ligament) અને સંધિસપાટીઓ(articular surfaces)ને એવી ઈજા પહોંચાડે છે કે તેથી તે સાંધાનું હાડકું વારંવાર ખસી જાય છે. અગાઉની આ ઈજા જોરદાર હોવી જરૂરી નથી અને મોટેભાગે ખૂબ જોરથી થયેલી ઈજા બાદ, પુનરાવર્તી અસ્થિવિચલન થતું પણ નથી.…

વધુ વાંચો >

અસ્થિશોથ, સમજ્જા

Jan 25, 1989

અસ્થિશોથ, સમજ્જા (osteomyelitis) : હાડકાનો તથા તેના પોલાણમાં આવેલી મજ્જાનો ચેપ (infection). તેને અસ્થિ–અસ્થિમજ્જાશોથ પણ કહી શકાય. પરુ કરતા પૂયકારી જીવાણુ(pyogenic bacteria)થી થતા શોથ(inflammation)ને સમજ્જા અસ્થિશોથ કહે છે. ક્ષય અને ઉપદંશ (syphilis) પણ આવો સમજ્જા અસ્થિશોથ કરે છે. સમજ્જા અસ્થિશોથ ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic) પ્રકારનો હોય છે. ઉગ્રશોથ, શિશુઓ…

વધુ વાંચો >

અસ્થિસંધિશોથ

Jan 25, 1989

અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે.…

વધુ વાંચો >

અસ્પૃશ્યતા

Jan 25, 1989

અસ્પૃશ્યતા : હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોને અસ્પૃશ્ય ગણવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સામાન્ય હક્કોથી પણ વંચિત રાખી. વૈદિક યુગમાં અસ્પૃશ્યતા ન હતી. પરંતુ તેનાં મૂળ વર્ણ અને જ્ઞાતિવ્યવસ્થામાં છે. અસ્પૃશ્યોને પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ ધર્મના પતન પછી અસ્પૃશ્યતા…

વધુ વાંચો >

અસ્યુત

Jan 25, 1989

અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…

વધુ વાંચો >