૧.૧૯

અરાલવાળા રમણીક બલદેવદાસથી અર્ધચંદ્ર

અરાલવાળા રમણીક બલદેવદાસ

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…

વધુ વાંચો >

અરાહ

અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…

વધુ વાંચો >

અરાળુ-બરાળુ

અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક…

વધુ વાંચો >

અરિષ્ટનેમિ

અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…

વધુ વાંચો >

અરિસિંહ

અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે. અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ…

વધુ વાંચો >

અરીઠી/અરીઠો

અરીઠી/અરીઠો : દ્વિદળી વર્ગના સૅપિંડેસી કુળની એક વનસ્પતિ. તેની બે જાતિઓ છે : (1) Sapindus mukorossi Gaertn. (ઉત્તર ભારતનાં અરીઠાં) અને (2) S. trifoliatus Linn syn. S. laurifolius Vahl. (સં. अरिष्ट, अरिष्टक, फेनिल, गर्भपातनमंगल्य; હિં. रिठा ગુ., દક્ષિણ ભારતનાં અરીઠાં.) કાગડોળિયાનાં વેલ. લીચી, ડોડોનિયા વગેરે તેનાં સહસભ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં…

વધુ વાંચો >

અરુચિ મનોવિકારી

અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…

વધુ વાંચો >

અરુણ કમલ

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >

અર્ણોરાજ

Jan 19, 1989

અર્ણોરાજ (જ. ?; અ. 1153) : શાકંભરી(સાંભર)ના ચાહમાન કે ચૌહાણ રાજા અજયરાજનો પુત્ર. એ આન્ન નામે પણ ઓળખાતો હતો. તેણે માલવરાજ નરવર્માની સત્તાનો હ્રાસ કર્યો હતો. કુમારપાળે એને હરાવ્યો હતો. સિદ્ધરાજે પુત્ર માનેલા ચાહક નામે કુમારે અર્ણોરાજને કુમારપાળ સામે ઉશ્કેર્યો હોવાનું મેરુતુંગ જણાવે છે. અર્ણોરાજે મુસ્લિમ ચડાઈને પાછી હઠાવેલી, પરંતુ…

વધુ વાંચો >

અર્થ

Jan 19, 1989

અર્થ : શબ્દમાં રહેલી અભિધાશક્તિથી પ્રગટ થતો અર્થ. કાવ્યમાં શબ્દ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય – એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. વાચક, લક્ષક અને વ્યંજક શબ્દમાં પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ રહેલી હોય છે. આ શક્તિઓ પણ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. આમાં વાચક શબ્દમાં રહેલી અભિધાશક્તિથી જે અર્થ…

વધુ વાંચો >

અર્થ (ફિલ્મ)

Jan 19, 1989

અર્થ (ફિલ્મ) : જાણીતી હિન્દી ફિલ્મ (1982) : કથા તથા દિગ્દર્શન : મહેશ ભટ્ટ તથા સુજિત સેન. ગીત : કૈફી આઝમી, સંગીત : ચિત્રા સિંગ અને જગજિત સિંગ. મુખ્ય અભિનય : કુલભૂષણ ખરબંદા, શબાના આઝમી, સ્મિતા પાટીલ. નિર્માતા : કુલજિત પાલ. ઇન્દર મલહોત્રા અને પૂજા સુખી દંપતી છે. પૂજા અનાથાશ્રમમાં…

વધુ વાંચો >

અર્થપરાયણ માનવી

Jan 19, 1989

અર્થપરાયણ માનવી : ટાંચાં સાધનોના ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ વડે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી તેની વપરાશ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષી મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાના ધ્યેયને વરેલો માનવી. પૃથ્વી પર જન્મેલા દરેક માનવીને ઓછાવત્તા પ્રમાણમાં જરૂરિયાતો તો હોય છે જ અને સભ્યતા તથા સંસ્કૃતિના વિકાસ સાથે તેની જરૂરિયાતોમાં વધારો પણ…

વધુ વાંચો >

અર્થપ્રકૃતિ

Jan 19, 1989

અર્થપ્રકૃતિ : સંસ્કૃત નાટકમાં પ્રવર્તતા કથાવસ્તુની સંકલનાના પાંચ પ્રકાર. નાટ્યશાસ્ત્રીઓએ સંસ્કૃત નાટકમાં, કથાવસ્તુની સંકલનાની દૃષ્ટિએ, બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય – એ પાંચ અર્થપ્રકૃતિઓનું વિધાન કર્યું છે. આમાંથી પતાકા અને પ્રકરી એ બંને નાટકના પ્રાસંગિક (ગૌણ) વૃત્ત સાથે, જ્યારે બાકીની ત્રણ આધિકારિક (મુખ્ય) વૃત્ત સાથે સંકળાયેલી છે. નાટકમાં અર્થપ્રકૃતિઓના…

વધુ વાંચો >

અર્થમિતિશાસ્ત્ર

Jan 19, 1989

અર્થમિતિશાસ્ત્ર (Econometrics)  1. પ્રાસ્તાવિક : અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા ચકાસવા માટેનું શાસ્ત્ર. ભૂમિતિ ભૂ(જમીન)ના માપનનું શાસ્ત્ર, ત્રિકોણમિતિ ત્રિકોણના માપનનું શાસ્ત્ર તે રીતે અર્થમિતિશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના માપનનું શાસ્ત્ર છે. આ માપન એટલે આંકડાઓ વડે આર્થિક ચલરાશિઓને માપવી (measurement) અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ વડે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની વાસ્તવિકતા અને યથાર્થતા ચકાસવી. અર્થશાસ્ત્ર અને બીજાં…

વધુ વાંચો >

અર્થ વર્ણાચાર્યુડુ

Jan 19, 1989

અર્થ વર્ણાચાર્યુડુ (તેરમી શતાબ્દીની આસપાસ) : મધ્યકાલીન તેલુગુ કવિ. કેટલાક વિદ્વાનોને મતે તેઓ તેલુગુના મહાકવિ તિક્કમાના સમકાલીન અને જૈનધર્મી હતા. એમણે કરેલા સંસ્કૃત મહાભારતના પદ્યાનુવાદના થોડા જ છંદ મળે છે. (મહાભારતના પર્વને એમણે છંદ નામ આપ્યું છે.) એમના ઉત્તરકાલીન રીતિકવિઓએ લક્ષણગ્રંથોમાં આ અનુવાદમાંથી ઉદાહરણો આપ્યાં છે. એથી એવું લાગે છે…

વધુ વાંચો >

અર્થવાદ (પૂર્વમીમાંસા)

Jan 19, 1989

અર્થવાદ (પૂર્વમીમાંસા) : પ્રશંસા કે નિંદારૂપ બાબત(અર્થ)નું કથન (વાદ) કરતું વેદવાક્ય. વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. વેદ (આમ્નાય) ક્રિયાપરક હોવાથી વિધિ કે યાગરૂપ ધર્મના અનુષ્ઠાન માટે પ્રેરે છે તેવો મીમાંસકોનો સિદ્ધાંત છે. તેથી પ્રશંસા કે નિંદાપરક અર્થવાદને ધર્મ…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-1

Jan 19, 1989

અર્થશાસ્ત્ર-1 (ઈ. પૂ. ચોથી સદી) : પૃથ્વીનાં પ્રાપ્તિ અને પાલનનો ઉપદેશ આપતું શાસ્ત્ર. સંસ્કૃતમાં ‘અર્થશાસ્ત્ર’ શબ્દ રાજ્યશાસ્ત્રના અર્થમાં પ્રયોજાયો છે. એમાં સર્વજનની વૃત્તિરૂપ અર્થ, એટલે કે દ્રવ્યનો પુરુષાર્થ નહિ પણ રાજાની વૃત્તિરૂપ અર્થ એટલે કે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય અભિપ્રેત છે. અર્થશાસ્ત્રને લગતા ગ્રંથોમાં ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ અર્થાત્ કૌટિલ્ય-કૃત’અર્થશાસ્ત્ર’ સુપ્રસિદ્ધ…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય)

Jan 19, 1989

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય) : બૃહસ્પતિરચિત અર્થશાસ્ત્ર. જેમ મનુ ધર્મશાસ્ત્રના તેમ બૃહસ્પતિ અર્થશાસ્ત્રના આદ્ય પ્રણેતા મનાય છે. ભાસ ‘પ્રતિમા’માં ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’નો નિર્દેશ કરે છે. કૌટિલ્ય પોતાના ‘અર્થશાસ્ત્ર’માં છ જગ્યાએ બાર્હસ્પત્યોના મત જણાવે છે. એ અનુસાર તેઓ દંડનીતિ અને વાર્તા એ બે જ વિદ્યા હોવાનું, મંત્રી-પરિષદ 16 સભ્યોની હોવાનું અને નીતિમાં અવિશ્ર્વાસનું પ્રાધાન્ય…

વધુ વાંચો >