૧.૧૯

અરાલવાળા રમણીક બલદેવદાસથી અર્ધચંદ્ર

અર્થશાસ્ત્ર-3

અર્થશાસ્ત્ર-3 : સંસ્કૃત ભાષામાં ‘અર્થ’ એટલે ધન અથવા સંપત્તિ. અર્થને લગતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર. એ પ્રાચીન વિદ્યા છે અને અર્વાચીન વિજ્ઞાન છે. આ વિદ્યાશાખામાં ભારતનું પ્રદાન બે હજાર વર્ષથી વધારે જૂનું છે. પશ્ચિમના જગતમાં અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની શરૂઆત અઢારમી સદીમાં થઈ. ઈ. સ. 1776માં બ્રિટિશ અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે…

વધુ વાંચો >

અર્થોપક્ષેપક

અર્થોપક્ષેપક : ભારતીય નાટ્યશાસ્ત્ર અનુસાર અભિનીત ન કરી શકાય તેવા વસ્તુનું સૂચન કરતી નાટ્યપ્રયુક્તિ (dramatic device). અભિનયના ઔચિત્યની દૃષ્ટિએ નાટક આદિ રૂપકોનું કથાવસ્તુ અભિનેય અને સૂચ્ય એમ બે ભાગમાં વહેંચાય છે. બે ક્રમિક અંકોની ઘટનાઓની વચ્ચે વીતેલા લાંબા સમયગાળા દરમ્યાન બનેલી ઘટનાઓ કે કોઈ અંકમાં અભિનીત કથાવસ્તુ પછી તરતમાં બનેલી…

વધુ વાંચો >

અર્ધઆયુષ

અર્ધઆયુષ (half-life period) : વિકિરણધર્મી (radio-active) સમસ્થાનિકના પરમાણુકેન્દ્રોના અર્ધજથ્થાના વિઘટન (disintegration) કે ક્ષય (decay) માટે લાગતો સમય અથવા રેડિયોઍક્ટિવ પદાર્થના નમૂનાનાં દર સેકન્ડે થતાં વિઘટનોની સંખ્યા અડધી થવા માટેનો સમય. દા.ત., રેડિયમ–226નું અર્ધઆયુષ 1,600 વર્ષ છે. એટલે આ સમયના અંતે રેડિયમ–226ના મૂળ જથ્થાનો અડધો ભાગ વિઘટિત (રેડૉન–222 + હીલિયમ–4માં) થઈ…

વધુ વાંચો >

અર્ધકીમતી ખનિજો

અર્ધકીમતી ખનિજો (semiprecious minerals) : મૂલ્યવાન રત્નોની સરખામણીમાં ઓછાં કીમતી રત્નો-ઉપરત્નો. મૂલ્યવાન રત્નોમાં હીરા, પન્ના, માણેક, નીલમ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરત્નોમાં અર્ધકીમતી ખનિજો જેવાં કે પોખરાજ, સ્પિનેલ (બેલાસ રૂબી, સ્પિનેલ રૂબી અને રૂબી સેલી), ઝરકૉન (હાયાસિન્થ અને જારગૉન), ઍક્વામરીન, બેરિલ, ક્રાયસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ અને કૅટ્સ આઇ), ટુર્મેલિન (રૂબેલાઇટ અને ઇન્ડિકોલાઇટ),…

વધુ વાંચો >

અર્ધચંદ્ર

અર્ધચંદ્ર : મંદિરમાં ગર્ભગૃહમાં દાખલ થવા માટે ઉંબરામાં આવેલ અર્ધવૃત્તાકાર પગથિયું. એને ચંદ્રશિલા પણ કહે છે. અત્યંત સંભાળપૂર્વક કોતરાયેલું આ પગથિયું દરવાજાની રચના સાથે સંલગ્ન કરવામાં આવતું. પશ્ચિમ ભારતનાં મંદિરોમાં અને ખાસ કરીને જૈન મંદિરો અને રાજસ્થાનના ગૂર્જર સ્થાપત્યનાં મંદિરોમાં આવી રચના જોવા મળે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અરાલવાળા રમણીક બલદેવદાસ

Jan 19, 1989

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…

વધુ વાંચો >

અરાહ

Jan 19, 1989

અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…

વધુ વાંચો >

અરાળુ-બરાળુ

Jan 19, 1989

અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક…

વધુ વાંચો >

અરિષ્ટનેમિ

Jan 19, 1989

અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…

વધુ વાંચો >

અરિસિંહ

Jan 19, 1989

અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે. અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ…

વધુ વાંચો >

અરીઠી/અરીઠો

Jan 19, 1989

અરીઠી/અરીઠો : દ્વિદળી વર્ગના સૅપિંડેસી કુળની એક વનસ્પતિ. તેની બે જાતિઓ છે : (1) Sapindus mukorossi Gaertn. (ઉત્તર ભારતનાં અરીઠાં) અને (2) S. trifoliatus Linn syn. S. laurifolius Vahl. (સં. अरिष्ट, अरिष्टक, फेनिल, गर्भपातनमंगल्य; હિં. रिठा ગુ., દક્ષિણ ભારતનાં અરીઠાં.) કાગડોળિયાનાં વેલ. લીચી, ડોડોનિયા વગેરે તેનાં સહસભ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં…

વધુ વાંચો >

અરુચિ મનોવિકારી

Jan 19, 1989

અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…

વધુ વાંચો >

અરુણ કમલ

Jan 19, 1989

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

Jan 19, 1989

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અરુણાચલ પ્રદેશ

Jan 19, 1989

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >