૧.૧૯

અરાલવાળા રમણીક બલદેવદાસથી અર્ધચંદ્ર

અર્જન હાસિદ

અર્જન હાસિદ (જ. 1930, કંદિયારો, સિંધ–હાલ પાકિસ્તાનમાં) : સિંધીના નામી ગઝલકાર. તેમને ‘મેરો સિજુ’ નામક તેમના ગઝલસંગ્રહ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમના વાચકવર્ગમાં તેઓ ‘ગઝલગો’ નામથી લોકપ્રિય બન્યા છે. 1966માં તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ‘સુવાસો–જી સુરહો’ પ્રગટ કર્યો. 1974માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પાથર-પાથર કપડા-કપડા’ પ્રગટ થવાની…

વધુ વાંચો >

અર્જુન (1)

અર્જુન (1) : કુન્તીએ દુર્વાસાના ઇન્દ્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરેલ ક્ષેત્રજ પુત્ર. હિમાલયના શતશૃંગ પર્વત ઉપર જન્મ. શ્રીકૃષ્ણના પ્રાણપ્રિય સખા અને શિષ્ય. નર ઋષિના અવતાર. વિદ્યાર્જનમાં અત્યંત એકાગ્ર, દક્ષ, ખંતીલા અને તેજસ્વી. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઉદ્યુક્ત. દ્રોણાચાર્યના શિષ્યોમાં સર્વોત્તમ. અર્જુનનો પરાભવ ન થાય તેથી દ્રોણે છળથી એકલવ્યનો…

વધુ વાંચો >

અર્જુન (2)

અર્જુન (2) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna (Roxb.) W. & A. (સં. अर्जुन; હિં. – अर्जुना; મ. અર્જુન સાદડા, બંર્જુનગાછ; ગુ. અર્જુન, અર્જુન સાજડ) છે. T. tomentosa W & A syn. T. alata Heyne ex. Roth. નો પણ આર્યભિષક્માં ‘અર્જુન સાજડ’ કે ‘અર્જુન’…

વધુ વાંચો >

અર્જુન ઍવૉર્ડ

અર્જુન ઍવૉર્ડ : ભારત સરકારે વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનવા માટે 1961માં સ્થાપેલો ઍવૉર્ડ. તે જુદી જુદી રમતોના શ્રેષ્ઠ રમતવીરોને પ્રતિવર્ષ અપાય છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના 300 ઉપરાંત ખેલાડીઓને 34 જેટલી જુદી જુદી રમતોમાં આ ઍવૉર્ડ અપાયો છે. અર્જુન ઍવૉર્ડ મેળવવા માટે ખેલાડીએ 3 વર્ષ સુધી સતત સર્વોચ્ચ દેખાવ…

વધુ વાંચો >

અર્જુનદેવ

અર્જુનદેવ (શાસનકાળ 1262–1275) : ગુજરાતનો વાઘેલા વંશનો રાજા. એના સમયના ઉપલબ્ધ લેખો પરથી એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર-પશ્ચિમ કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી પ્રસરી હતી. એ શૈવ ધર્મ પાળતો હતો. એણે સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરોજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. ‘વિચારશ્રેણી’માં એનો રાજ્યકાલ 1262-1275…

વધુ વાંચો >

અર્જુનદેવ (ગુરુ)

અર્જુનદેવ (ગુરુ) (જ. 15 એપ્રિલ 1563, ગોઇંદવાલ, જિ. અમૃતસર; અ. 30 મે 1606, લાહોર) : શીખોના પાંચમા ગુરુ, કવિ, વિદ્વાન તથા તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ અર્થાત્ ‘આદિગ્રંથ’ના સંકલનકર્તા. ગુરુ રામદાસના નાના પુત્ર. અમૃતસરના સુવર્ણમંદિરનું મુખ્ય દેવસ્થાન હરિમંદિર તેમણે 1589માં બંધાવ્યું અને તેના પાયાની ઈંટ મુસ્લિમ સૂફી સંત મિયાં મીરના…

વધુ વાંચો >

અર્જુન ભગત

અર્જુન ભગત (1856–1912) : ગડખોલ (તા.અંકલેશ્વર)ના નિર્ગુણમાર્ગી સંતપુરુષ. કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુનદાસનું હૈયું નાનપણથી જ હરિરંગી હતું. મોટા થયે ગૃહસ્થાશ્રમ માંડ્યો અને 4 પુત્રો થયા, પણ જીવન ભગવદ્ભક્તિમાં વ્યતીત થતું રહ્યું. સૂરતના નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે ગુરુમંત્ર લીધેલો. નામસ્મરણ અને મંત્રજપને લઈને ગુરુગમ પ્રાપ્ત થતાં આત્માનંદની ઝાંખી થઈ…

વધુ વાંચો >

અર્જુનાયનો

અર્જુનાયનો : જુઓ, આર્જુનાયન

વધુ વાંચો >

અર્ડટમાન ગુન્નાર

અર્ડટમાન, ગુન્નાર (જ. 18 નવેમ્બર 1897, સ્વિડન; અ. 17 ફેબ્રુઆરી 1973) : જગતભરમાં પરાગરજવિજ્ઞાન અથવા પદ્મરેણુવિદ્યા(palynology)ના પ્રમુખ આર્ષ દ્રષ્ટા. તેઓ સ્વિડનમાં બ્રોમ્મા–સ્ટૉકહોમની પરાગરજવિજ્ઞાનની પ્રયોગશાળાના મદદનીશ તરીકે જોડાઈને છેવટે અધ્યક્ષ બન્યા હતા. ઈ. સ. 1957માં તેમણે ભારતમાં વ્યાખ્યાનો આપેલાં તે વખતે પોતાનાં સંશોધનોની રૂપરેખા આપી હતી. સંશોધનમાં તેમનાં પત્ની ગુન્ની સાથીદાર…

વધુ વાંચો >

અર્ણિમિલ

અર્ણિમિલ (જ. આશરે 1734, કાશ્મીર; અ. 1778) : કાશ્મીરનાં ‘વાત્સન’ પ્રકારની કાવ્યરીતિનાં અગ્રણી કવયિત્રી. કાશ્મીરી પંડિતના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. કોઈ વિશેષ સગવડો તેમને સુલભ થઈ ન હતી; આમ છતાં, કવિતાનો પાઠ કરી શકવામાં તથા તેમાંથી અવતરણો ટાંકવામાં તેઓ પોતાના સાથીઓને ઝાંખા અને પાછા પાડી દે એવી તીવ્ર સ્મરણશક્તિ અને બુદ્ધિ…

વધુ વાંચો >

અરાલવાળા રમણીક બલદેવદાસ

Jan 19, 1989

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…

વધુ વાંચો >

અરાહ

Jan 19, 1989

અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…

વધુ વાંચો >

અરાળુ-બરાળુ

Jan 19, 1989

અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક…

વધુ વાંચો >

અરિષ્ટનેમિ

Jan 19, 1989

અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…

વધુ વાંચો >

અરિસિંહ

Jan 19, 1989

અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે. અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ…

વધુ વાંચો >

અરીઠી/અરીઠો

Jan 19, 1989

અરીઠી/અરીઠો : દ્વિદળી વર્ગના સૅપિંડેસી કુળની એક વનસ્પતિ. તેની બે જાતિઓ છે : (1) Sapindus mukorossi Gaertn. (ઉત્તર ભારતનાં અરીઠાં) અને (2) S. trifoliatus Linn syn. S. laurifolius Vahl. (સં. अरिष्ट, अरिष्टक, फेनिल, गर्भपातनमंगल्य; હિં. रिठा ગુ., દક્ષિણ ભારતનાં અરીઠાં.) કાગડોળિયાનાં વેલ. લીચી, ડોડોનિયા વગેરે તેનાં સહસભ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં…

વધુ વાંચો >

અરુચિ મનોવિકારી

Jan 19, 1989

અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…

વધુ વાંચો >

અરુણ કમલ

Jan 19, 1989

અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમણે 3 કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

Jan 19, 1989

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અરુણાચલ પ્રદેશ

Jan 19, 1989

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >