૧૭.૨૧

રાનડે મહાદેવ ગોવિંદથી રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બૅંગલોર

રાનડે, મહાદેવ ગોવિંદ

રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…

વધુ વાંચો >

રાનડે, રમાબાઈ

રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ…

વધુ વાંચો >

રાનન્ક્યુલેસી

રાનન્ક્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉપવર્ગ મુક્તદલા (Polypetalae), શ્રેણી પુષ્પાસનપુષ્પી (Thalamiflorae) અને ગોત્ર રાનેલ્સમાં આવેલું છે અને લગભગ 35 પ્રજાતિઓ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે. દુનિયાના સમશીતોષ્ણ અને વધારે ઠંડા પ્રદેશોમાં તેનું વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં હિમાલયમાં વધારે ઊંચાઈએ તેની ઘણી જાતિઓ જોવા…

વધુ વાંચો >

રાની હબ્બાખાતૂન

રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550  સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે. શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં…

વધુ વાંચો >

રા’નોંઘણ-1

રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું…

વધુ વાંચો >

રા’નોંઘણ-2

રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા. રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા…

વધુ વાંચો >

રાપર (તાલુકો)

રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

રાપાકિવી કણરચના (Rapakivi texture)

રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની…

વધુ વાંચો >

રાપાકી, ઍડમ

રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…

વધુ વાંચો >

રાબિયા બસરી

રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી…

વધુ વાંચો >

રામ

Jan 21, 2003

રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’…

વધુ વાંચો >

રામકુમાર

Jan 21, 2003

રામકુમાર (જ. 1924, સિમલા) : આધુનિક ભારતીય ચિત્રકાર. રામકુમાર તૈલરંગોમાં અમૂર્ત નિસર્ગદૃશ્યોનાં ચિત્રો સર્જવા માટે જાણીતા છે. 1950થી ’51 સુધી પૅરિસમાં આંદ્રે લ્હોતે (Andre Lhote) અને ફર્નાન્ડ લેહાર (Fernand Leger) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. રામકુમારે 1951થી 1977 સુધીમાં દિલ્હીમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1951થી 1973 સુધીમાં મુંબઈમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1965માં…

વધુ વાંચો >

રામકૃષ્ણ દેવ

Jan 21, 2003

રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ

Jan 21, 2003

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રામકૃષ્ણ પિલ્લઈ, કે.

Jan 21, 2003

રામકૃષ્ણ પિલ્લઈ, કે. (જ. 1870; અ. 1916) : મલયાળમ પત્રકાર. કેરળના પત્રકારત્વક્ષેત્રે તેમનું નામ અવિસ્મરણીય છે. તેઓ ‘સ્વદેશાભિમાની’ના કારણે વિશેષ જાણીતા હતા. એ નામ તેમના અખબારનું હતું. મલયાળમ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે નિષ્ઠા, ત્યાગભાવના તથા નિર્ભીક સંપાદનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ તેમના બળવાખોર મિજાજના પરિણામે તેમણે વહીવટી ભ્રષ્ટાચાર…

વધુ વાંચો >

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ

Jan 21, 2003

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી,…

વધુ વાંચો >

રામકૃષ્ણ મિશન

Jan 21, 2003

રામકૃષ્ણ મિશન (સ્થાપના 1 મે 1897) : રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમજનતા સુધી પહોંચાડી શકે તેમજ સંતપ્ત, દુ:ખી અને પીડિત માનવજાતની નિ:સ્વાર્થ સેવા કરી શકે એવા સાધુઓ અને સંન્યાસીઓનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલું સંગઠન. તેઓ આ સંગઠન દ્વારા વેદાંતદર્શનના ‘तत्वमसि’ સિદ્ધાંતને વ્યાવહારિક રૂપ આપવા માગતા હતા.…

વધુ વાંચો >

રામગંગા નદી યોજના

Jan 21, 2003

રામગંગા નદી યોજના : ઉત્તરાંચલ રાજ્યના ગઢવાલ જિલ્લામાં કાલાગઢથી આશરે 3 કિમી.થી ઉપરવાસમાં આવેલા સ્થળે રામગંગા નદી પર તૈયાર કરવામાં આવેલો બહુહેતુક યોજના ધરાવતો બંધ. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 78° 45´ પૂ. રે. તેના જળરાશિથી સિંચાઈ, ઊર્જા-ઉપલબ્ધિ અને પૂરનિયંત્રણના હેતુ સર્યા છે. ઇતિહાસ : 1943માં સર્વપ્રથમ…

વધુ વાંચો >

રામગુપ્ત

Jan 21, 2003

રામગુપ્ત (ઈ. સ.ની ચોથી સદી) : ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તનો વારસદાર અને જ્યેષ્ઠ પુત્ર. સમ્રાટ સમુદ્રગુપ્તનું શાસન ઈ. સ. 375માં પૂરું થયું, ત્યારબાદ ગુપ્ત વંશાવળી અનુસાર ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો; પરંતુ કેટલાક વિદ્વાનોના મતાનુસાર સમુદ્રગુપ્ત પછી રામગુપ્તે પાંચ વર્ષ રાજ્ય કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો સમ્રાટ બન્યો. વિશાખદત્તે ‘देवीच-द्रगुप्तम्’…

વધુ વાંચો >

રામગોપાલ

Jan 21, 2003

રામગોપાલ (જ. 20 નવેમ્બર 1912, મૈસૂર) : અગ્રણી ભારતીય નર્તક. ઓગણીસ સો વીસનાં વર્ષો દરમિયાન યુવાનર્તક ઉદયશંકરને યુરોપ અને અમેરિકામાં મળેલી જ્વલંત સફળતાથી ભારતમાં ભારતીય નૃત્ય વિશે નવી ચેતના તથા ઉત્સાહપ્રેરક વાતાવરણનો જન્મ થયો. ભારતીય નૃત્યના પુનરુત્થાનની પ્રક્રિયા ઉદયશંકરની સફળતાથી વેગીલી બની. ઉદયશંકરથી પ્રેરાઈ ઉચ્ચ કુટુંબનાં શિક્ષિત યુવા-યુવતીઓ નૃત્ય શીખવા…

વધુ વાંચો >