૧૭.૨૧

રાનડે મહાદેવ ગોવિંદથી રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બૅંગલોર

રાનડે, મહાદેવ ગોવિંદ

રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…

વધુ વાંચો >

રાનડે, રમાબાઈ

રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ…

વધુ વાંચો >

રાનન્ક્યુલેસી

રાનન્ક્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉપવર્ગ મુક્તદલા (Polypetalae), શ્રેણી પુષ્પાસનપુષ્પી (Thalamiflorae) અને ગોત્ર રાનેલ્સમાં આવેલું છે અને લગભગ 35 પ્રજાતિઓ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે. દુનિયાના સમશીતોષ્ણ અને વધારે ઠંડા પ્રદેશોમાં તેનું વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં હિમાલયમાં વધારે ઊંચાઈએ તેની ઘણી જાતિઓ જોવા…

વધુ વાંચો >

રાની હબ્બાખાતૂન

રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550  સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે. શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં…

વધુ વાંચો >

રા’નોંઘણ-1

રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું…

વધુ વાંચો >

રા’નોંઘણ-2

રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા. રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા…

વધુ વાંચો >

રાપર (તાલુકો)

રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

રાપાકિવી કણરચના (Rapakivi texture)

રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની…

વધુ વાંચો >

રાપાકી, ઍડમ

રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…

વધુ વાંચો >

રાબિયા બસરી

રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી…

વધુ વાંચો >

રામદાસ (ગુરુ)

Jan 21, 2003

રામદાસ (ગુરુ) (જ. 1534; અ. 1581) : અમૃતસરનો પાયો નાખનાર શીખોના ચોથા ગુરુ. મૂળ નામ જેઠા. લાહોર પાસે ચુનેમંડી ગામે ખત્રી જાતિના સોધિ કુટુંબમાં જન્મ. પિતા હરિદાસ, માતા દયાકુંવરી. બાર વર્ષની વયે માતાપિતાનું અવસાન થતાં દાદી પાસે ઊછર્યા. નાનપણથી સાધુસંતોનાં દર્શન કરવા અને કથાવાર્તા સાંભળવા જતા. એક વાર શીખોના ગુરુ…

વધુ વાંચો >

રામદાસ, સ્વામી

Jan 21, 2003

રામદાસ, સ્વામી (જ. ચૈત્ર સુદ 9, શક સંવત 1530 (ઈ. સ. 1608), જાંબ, મહારાષ્ટ્ર; અ. મહા સુદ 6, શક સંવત 1603 (ઈ. સ. 1682), સજ્જનગડ, જિ. સાતારા) : મહારાષ્ટ્રના મહાન માનવધર્મી સંતપુરુષ તથા રામદાસી સંપ્રદાયના સ્થાપક, વિરક્ત રાજકારણી, શક્તિના ઉપાસક અને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. સૂર્યોપાસક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ…

વધુ વાંચો >

રામદાસી સંપ્રદાય

Jan 21, 2003

રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો…

વધુ વાંચો >

રામદાસુ

Jan 21, 2003

રામદાસુ (જ. 1630, નેલકોંડાપલ્લી, ભદ્રાચલમ, જિ. ખમ્મમ, આંધ્રપ્રદેશ; અ. ?) : સત્તરમી સદીના તેલુગુ કવિ. તેઓ ‘પરમ ભાગવત’ નામથી પ્રસિદ્ધ હતા. પિતા લિંગન્ના તેલુગુ તથા સંસ્કૃત ભાષાઓના વિદ્વાન હતા. માતા કામન્નાના બંને ભાઈ અક્ધના અને માદન્ના પણ વિદ્વાન અને યુદ્ધકલા તથા અન્ય કલાઓમાં પ્રવીણ હતા. તેઓ બંને 1640 આસપાસ ગોલકોંડાના…

વધુ વાંચો >

રામધારી સિંહ

Jan 21, 2003

રામધારી સિંહ : જુઓ દિનકર

વધુ વાંચો >

રામન અસર

Jan 21, 2003

રામન અસર : પ્રકાશની કિરણાવલીને પ્રવાહી કે વાયુમાંથી પસાર કરતાં આવૃત્તિના ફેરફાર સાથે મળતી પ્રકાશના પ્રકીર્ણનની ઘટના (અસર). આકાશના નીલવર્ણ અને સમુદ્રના ભૂરાશ પડતા રંગના પાણીનું રહસ્ય જાણવાના ઇરાદાથી જ્યારે રામન પ્રકાશના પ્રકીર્ણનનો અભ્યાસ કરતા હતા ત્યારે એકવર્ણી પ્રકાશની કિરણાવલીને બેન્ઝીન, ટૉલ્યૂન જેવા કાર્બનિક પ્રવાહીમાં પસાર કરતાં પ્રકાશના પ્રકીર્ણનની ઘટના…

વધુ વાંચો >

રામન, ચંદ્રશેખર વેંકટ (સર)

Jan 21, 2003

રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની. રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.…

વધુ વાંચો >

રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર

Jan 21, 2003

રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર : જગપ્રસિદ્ધ વિજ્ઞાની સી. વી. રામનની સ્મૃતિમાં સ્થપાયેલી બૅંગલોરસ્થિત અદ્યતન સંશોધન સંસ્થા. બૅંગલોરમાં નંદી હિલ્સ ખાતે મૈસૂરના મહારાજાએ ભેટ આપેલી 10 એકર જમીન પર આવેલી આ સંશોધન સંસ્થાની સ્થાપના એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહાન ભારતીય વિજ્ઞાની સર ચંદ્રશેખર વેંકટ રામનની સ્મૃતિમાં થયેલી. 2 એપ્રિલ 1934ના…

વધુ વાંચો >