૧૭.૨૦

રાજ્યાભિષેકથી રાનડે જી. એચ.

રાજ્યાભિષેક

રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે…

વધુ વાંચો >

રાજ્યાશ્રય

રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું.…

વધુ વાંચો >

રાજ્યોની ભાષાવાર પુનર્રચના

રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને…

વધુ વાંચો >

રાઝદાન, કૃષ્ણ

રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી…

વધુ વાંચો >

રાઝી

રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો…

વધુ વાંચો >

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ…

વધુ વાંચો >

રાઠવા

રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં…

વધુ વાંચો >

રાઠોડ

રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…

વધુ વાંચો >

રાઠોડ, અરવિંદ

રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…

વધુ વાંચો >

રાઠોડ, કાનજીભાઈ

રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક…

વધુ વાંચો >

રાઠોડ, કાન્તિલાલ

Jan 20, 2003

રાઠોડ, કાન્તિલાલ (જ. 12 ડિસેમ્બર 1924, રાયપુર; અ. 28 સપ્ટેમ્બર 1988, મુંબઈ) : કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાન્તિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન-કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. 1954થી ’56 દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન…

વધુ વાંચો >

રાઠોડ, કેશવ

Jan 20, 2003

રાઠોડ, કેશવ (જ. 16 ઑગસ્ટ 1954, ગાંડલા) : ગુજરાતી ફિલ્મોના કથા-પટકથાકાર, દિગ્દર્શક ઉપરાંત ગાયક, ગીતકાર અને સંગીતકાર. ઑલ ઇન્ડિયા રેડિયો પર લોકસંગીત અને સુગમસંગીતના કાર્યક્રમો આપી કારકિર્દી આરંભનાર કેશવ રાઠોડની લોકકથા કહેવાની શૈલીથી પ્રભાવિત થઈ ગાયક-કવિ-સંગીતકાર નીનુ મઝુમદારે તેમને લેખન તરફ વાળ્યા. 1971માં તેઓ મુંબઈ આવ્યા અને મનહર રસકપૂર-દિગ્દર્શિત ‘વાલો…

વધુ વાંચો >

રાઠોડ, દુર્ગાદાસ

Jan 20, 2003

રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં…

વધુ વાંચો >

રાઠોડ, રામસિંહજી

Jan 20, 2003

રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

રાણકદેવી

Jan 20, 2003

રાણકદેવી : ગુજરાતી ચલચિત્ર. ઐતિહાસિક કથાનક પર આધારિત ‘રાણકદેવી’નું નિર્માણ 1946 અને ફરી 1973માં થયું. સનરાઇઝ પિક્ચર્સનું ‘રાણકદેવી’ વિષ્ણુકુમાર વ્યાસના નિર્દેશન સાથે 1946માં રજૂ થયું હતું. સ્વાર્પણ અને ત્યાગની આ પ્રેમકથાનું આલેખન મોહનલાલ ગોપાળજી દવે અને પટકથાનું આલેખન વિષ્ણુકુમાર વ્યાસનાં હતાં. પ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા અને ગીતો…

વધુ વાંચો >

રાણકદેવીનું મંદિર

Jan 20, 2003

રાણકદેવીનું મંદિર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ,…

વધુ વાંચો >

રાણકપુરનું મંદિર

Jan 20, 2003

રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50…

વધુ વાંચો >

રાણપુર

Jan 20, 2003

રાણપુર : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સુકભાદર નદીને કાંઠે આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 21´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે. પર તાલુકામથક ધંધુકાથી 28 કિમી. દૂર આવેલું છે. રાણજી ગોહિલે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રાણપુર પડેલું છે. રાણપુર સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ…

વધુ વાંચો >

રાણપુરા, દિલીપ નાગજીભાઈ

Jan 20, 2003

રાણપુરા, દિલીપ નાગજીભાઈ (જ. 14 નવેમ્બર 1931, ધંધુકા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતા છબલબહેન. પ્રાથમિક શાળાંત પાસ (1959) પછી જુનિયર પી.ટી.સી. થઈને શિક્ષક બન્યા. લગ્ન 1951માં મનુભાઈ જોધાણીની ભત્રીજી સવિતાબહેન સાથે. તેઓ પણ લેખિકા. ઉત્તમ ગૃહિણી પણ. શિક્ષક હોવાથી પંચાયતીરાજ પછી અનેક સ્થળોએ બદલી થઈ. છેલ્લે દસાડા તાલુકાના બજાણા…

વધુ વાંચો >

રાણાઘાટ

Jan 20, 2003

રાણાઘાટ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાનું વડું વહીવટી મથક અને અગત્યનું નગર. કૃષ્ણનગરનો એક વહીવટી ઉપવિભાગ. ભૌગોલિક સ્થાન : 23° 11´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે. પ્રાકૃતિક રચના-આબોહવા : આ નગર ભાગીરથી નદી(હુગલી નદી)ના કાંપ-માટીનિર્મિત નિક્ષેપોના સમતળ મેદાની વિસ્તારમાં આવેલું છે. હુગલી નદી આ નગરથી પશ્ર્ચિમે આશરે…

વધુ વાંચો >