૧૭.૧૯

રાજાધિરાજ-1થી રાજ્યસભા

રાજિમતી

રાજિમતી (ઈ. પૂ. દસમી સદી) : મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી. ઉગ્રસેન ભોજવૃષ્ણિના પુત્ર હતા. મથુરાના યાદવોની સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસેલા અન્ધક વૃષ્ણિને દશ પુત્ર હતા. એમાંના સમુદ્રવિજય જ્યેષ્ઠ હતા અને વસુદેવ કનિષ્ઠ હતા. વસુદેવના પુત્ર કૃષ્ણે સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનો વિવાહ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે કરાવ્યો હતો. અરિષ્ટનેમિની જાન લગ્નમંડપે…

વધુ વાંચો >

રાજીવ

રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ  અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના…

વધુ વાંચો >

રાજુ, પલાલા રાધાકૃષ્ણ

રાજુ, પલાલા રાધાકૃષ્ણ (જ. 9 ડિસેમ્બર 1928, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરી 1951માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. જલરંગોમાં ત્રિપરિમાણ-આભાસી ચિત્રોનું સર્જન તેમની કલાનું મુખ્ય અંગ છે. તેમણે ચેન્નાઈમાં (1951, ’56), ચિત્તૂરમાં (1953) અને હૈદરાબાદમાં (1973, ’74, ’76 અને ’77) પોતાની કલાનાં વૈયક્તિક…

વધુ વાંચો >

રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય

રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય (જ. 3 ડિસેમ્બર 1907, મૈસૂર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. રાજુ પ્રણાલીગત તાંજોર શૈલીથી પ્રભાવિત શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. બૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ અને જગત મોહન ચિત્રશાલા ખાતે તેમનાં ચિત્રોનો કાયમી સંગ્રહ થયેલો…

વધુ વાંચો >

રાજુલા (તાલુકો)

રાજુલા (તાલુકો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા અમરેલી જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 00´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે.ની આજુબાજુનો 850 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાની ઉત્તરે અને પૂર્વમાં ભાવનગર જિલ્લાના કુંડલા અને મહુવા તાલુકા, દક્ષિણે અરબી સમુદ્ર અને…

વધુ વાંચો >

રાજેન્દ્ર-1

રાજેન્દ્ર-1 (શાસનકાળ 1012-1044) : દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેનાં બિરુદો હતાં. તેનું રાજ્ય ‘ચોલમંડલ’ એટલે કે વર્તમાન સમયના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની પ્રથમ તાંજોર(તંજૈવુર)માં અને પછી ગંગૈકોંડ ચોલપુરમમાં હતી. ચોલો સૂર્યવંશી હતા. રાજેન્દ્ર-1ની કારકિર્દી…

વધુ વાંચો >

રાજેન્દ્રકુમાર

રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી. હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ…

વધુ વાંચો >

રાજેન્દ્રનાથ

રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ…

વધુ વાંચો >

રાજેન્દ્રપ્રસાદ (ડૉ.)

રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા…

વધુ વાંચો >

રાજેન્દ્રસિંહજી (જનરલ)

રાજેન્દ્રસિંહજી (જનરલ) (જ. 1899 સરોદર, ગુજરાત; અ. 1 જાન્યુઆરી 1964) : ભારતના લશ્કરના પૂર્વ સરસેનાપતિ. તેઓ લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ જનરલ કે. એમ. કરિઅપ્પા(પાછળથી ફીલ્ડ માર્શલ)ના અનુગામી અને લશ્કરના આ સર્વોચ્ચ પદ પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. મૂળ વતન જામનગર અને જાડેજા રાજવંશના નબીરા હોવાથી તેમની આગળ ‘મહારાજ’નું બિરુદ મૂકવામાં…

વધુ વાંચો >

રાજાધિરાજ-1

Jan 19, 2003

રાજાધિરાજ-1 (શાસનકાળ 1018-1052) : દક્ષિણ ભારતના ચોલ વંશનો રાજા. ઈ. સ. 1018માં તેને તેના પિતા રાજેન્દ્ર પહેલા સાથે સંયુક્ત રાજા બનાવવામાં આવ્યો હતો. તેણે 1044થી 1052 સુધી સ્વતંત્ર શાસન કર્યું હતું. 104344માં ચોલ વંશના રાજાધિરાજે મોટા લશ્કર સાથે દખ્ખણમાં આવેલા ચાલુક્યોના રાજ્ય પર આક્રમણ કર્યું. ચાલુક્યોના સામંત વિરછય અથવા બાચ્ચરસે…

વધુ વાંચો >

રાજાપાલયમ્

Jan 19, 2003

રાજાપાલયમ્ : જુઓ રામનાથપુરમ્

વધુ વાંચો >

રાજા, પી.

Jan 19, 2003

રાજા, પી. (જ. 7 ઑક્ટોબર 1952, પાડિચેરી) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1975માં અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને 1992માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે પુદુચેરી ખાતે ટાગોર આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના સિનિયર લેક્ચરર તરીકે સેવા આપી. તેમની માતૃભાષા તમિળ હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 13 ગ્રંથો પ્રગટ કર્યા છે;…

વધુ વાંચો >

રાજા, ભલીન્દ્રસિંઘ

Jan 19, 2003

રાજા, ભલીન્દ્રસિંઘ : ભારતમાં ઑલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપનાર તથા રમતગમતના સફળ આયોજક. 1960માં તેઓ ભારતીય ઑલિમ્પિક સંઘ(Indian Olympic Association)ના પ્રમુખ ચૂંટાયા હતા અને વર્ષો સુધી પ્રમુખ તરીકે તેમણે ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ પ્રતિ સદ્ભાવના જાગ્રત થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ઑલિમ્પિક ભાવના’ વિકસાવવાના ફળસ્વરૂપે તેમની આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

રાજા રાધિકારમણ પ્રસાદસિંગ

Jan 19, 2003

રાજા રાધિકારમણ પ્રસાદસિંગ (જ. 1890, સૂર્યપુર, શાહબાદ, બિહાર; અ. 1971) : હિંદીના સાહિત્યકાર. તેમની સર્વપ્રથમ વાર્તા ‘કાનોં મેં કંગન’ પ્રખ્યાત સામયિક ‘ઇન્દુ’માં પ્રગટ થતાવેંત 1913માં તેમને બહોળી ખ્યાતિ સાંપડી. તેઓ જયશંકર પ્રસાદ પરંપરાના લેખક હતા. નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો તથા સંસ્મરણો જેવાં તેમનાં તમામ ગદ્ય લખાણોમાં આદર્શવાદ ભારોભાર વણાયેલો જોવા…

વધુ વાંચો >

રાજારામ

Jan 19, 2003

રાજારામ (જ. 1664; અ. 2 માર્ચ 1700, સિંહગઢ) : ભોંસલે કુટુંબના છત્રપતિ શિવાજી અને સોયરાબાઈનો પુત્ર. શિવાજીનું મૃત્યુ થતાં (એપ્રિલ 1680) માતા સોયરાબાઈની મદદથી નાની ઉંમરમાં જ તેને ગાદી મળી હતી. શિવાજીનો તેમની બીજી પત્ની સઈબાઈથી થયેલો પુત્ર શંભાજી તેમનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદીનો વારસદાર હતો; પરંતુ તે કેફી પદાર્થો…

વધુ વાંચો >

રાજા રાવ

Jan 19, 2003

રાજા રાવ (જ. 5 નવેમ્બર 1908, હસન, મૈસૂર; અ. ?) : અંગ્રેજીમાં લખતા ભારતીય સર્જક તથા પત્રકાર. તેમનો જન્મ પ્રખ્યાત અદ્વૈત તત્ત્વજ્ઞાની વિદ્યારણ્યના વંશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હૈદરાબાદમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી અલીગઢ યુનિવર્સિટીમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1929માં નિઝામ કૉલેજમાંથી ઇતિહાસ તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા…

વધુ વાંચો >

રાજાશાહી

Jan 19, 2003

રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે…

વધુ વાંચો >

રાજા હરિશ્ચંદ્ર

Jan 19, 2003

રાજા હરિશ્ચંદ્ર : ભારતનું પ્રથમ કથાચિત્ર. નિર્માણ-વર્ષ : 1913. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક-પટકથા : દાદાસાહેબ ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : ડી. ડી. દાબકે, પી. જી. સાને, ભાલચંદ્ર ફાળકે, જી. વી. સાને, એ. સાળુંકે, દત્તાત્રેય ક્ષીરસાગર, દત્તાત્રેય તેલંગ. ભારતનું પ્રથમ મૂક કથાચિત્ર બનાવવાનું…

વધુ વાંચો >

રાજિન્દર, મદનમોહન

Jan 19, 2003

રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની…

વધુ વાંચો >