૧૭.૧૮

રાજનંદગાંવથી રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

રાજનંદગાંવ

રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ…

વધુ વાંચો >

રાજનારાયણ

રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…

વધુ વાંચો >

રાજનારાયણન્, કિ.

રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.…

વધુ વાંચો >

રાજપીપળા

રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ…

વધુ વાંચો >

રાજપીપળા (દેશી રાજ્ય) :

રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા…

વધુ વાંચો >

રાજપુર

રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન…

વધુ વાંચો >

રાજપૂતાના

રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…

વધુ વાંચો >

રાજપ્રાસાદ

રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક…

વધુ વાંચો >

રાજમ આયર, બી. આર.

રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે…

વધુ વાંચો >

રાજમ્, એન.

રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ…

વધુ વાંચો >

રાજસ્થાની ભાષા અને સાહિત્ય

Jan 18, 2003

રાજસ્થાની ભાષા અને સાહિત્ય ભાષા : રાજસ્થાન પ્રદેશમાં પ્રયોજાતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. બહુધા ભાષાઓનું નામકરણ પ્રદેશના આધારે થતું રહ્યું છે; જેમ કે પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી અને રાજસ્થાનની રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું નામકરણ આધુનિક સમયની દેન છે. રાજસ્થાનનું હાલનું રાજ્ય 21 નાનાંમોટાં રજવાડાં, અજમેર, મેરવાડા અને આબુપ્રદેશના એકત્રીકરણના ફળ…

વધુ વાંચો >

રાજસ્થાની લઘુચિત્રકલા

Jan 18, 2003

રાજસ્થાની લઘુચિત્રકલા (ચૌદમીથી ઓગણીસમી સદી) : પશ્ચિમ અને મધ્ય ભારતનાં હિંદુ રાજકુટુંબોના રાજ્યાશ્રયે પાંગરેલી લઘુચિત્રોની કલાપરંપરા. હિંદુ ધર્મ, પુરાકથાઓ, ઇતિહાસકથાઓ, મધ્યયુગીન સાહિત્ય અને અન્ય આનુષંગિક વિષયોનું આલેખન તેનો મુખ્ય વિષય છે. ઈ. સ. 648માં કનોજના રાજા હર્ષના અવસાન બાદ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળતો બંધ થઈ…

વધુ વાંચો >

રાજહંસ (barheaded goose)

Jan 18, 2003

રાજહંસ (barheaded goose) : ભારતનું જળચર પંખી. તેનું વૈજ્ઞાનિક નામ છે Anser indicus Latham. વૈદિક નામ ‘આડ્યો’, સંસ્કૃત ‘आति’. તે ducksના કુળનું ભિન્ન ગોત્રનું પંખી છે. આ હંસ એટલે swan નહિ. તે દેખાવે બતક જેવું અને શરીરે ભરાવદાર હોય છે. તેની લંબાઈ આશરે 62 સેમી. હોય છે. તેના દેહના પ્રમાણમાં…

વધુ વાંચો >

રાજા અભયસિંહ

Jan 18, 2003

રાજા અભયસિંહ : મુઘલ હકૂમત હેઠળ ગુજરાતનો સૂબેદાર (1730-1737). તે જોધપુરનો મહારાજા હતો અને અગાઉ સોરઠના ફોજદાર તરીકે (1715-16) સેવા કરી હતી. તેના પિતા મહારાજા અજિતસિંહ પણ 1715થી 1717 દરમિયાન ગુજરાતના મુઘલ સૂબેદાર હતા. અગાઉના મુઘલ સૂબેદાર સરબુલંદખાનને અભયસિંહે હરાવ્યો અને પછી મિત્રોની દરમિયાનગીરીથી સમાધાન કર્યું, અને તેને અમદાવાદમાંથી વિદાય…

વધુ વાંચો >

રાજાઈઆહ, કે.

Jan 18, 2003

રાજાઈઆહ, કે. (જ. 14 મે 1942, સિદ્દીપેટ, મેડક, આંધ્ર) : આધુનિક ભારતીય ચિત્રકાર. હૈદરાબાદની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી રાજાઈઆહે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તે શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. સિદ્દીપેટ (1953, 1975), વરાંગલ (1954), હૈદરાબાદ (1964, ’70, ’74), તિરુપતિ (1975) અને સંગારેડ્ડી(1976)માં તેમની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. 1955,…

વધુ વાંચો >

રાજા કૃષ્ણન વી.

Jan 18, 2003

રાજા કૃષ્ણન વી. (જ. 23 ડિસેમ્બર 1948, પાલઘાટ, કેરળ) : મલયાળમ લેખક અને ફિલ્મવિવેચક. તેમણે અંગ્રેજીમાં એમ.એ.ની અને અમેરિકન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. 1989માં તેઓ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્ઝ જૂરીના સભ્ય થયા હતા. તે પછી તેમણે ફિલ્મ-વિવેચક અને ફિલ્મનિર્માણ કરનાર…

વધુ વાંચો >

રાજાજી (જિલ્લો)

Jan 18, 2003

રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર…

વધુ વાંચો >

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

Jan 18, 2003

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ભારતનું એક પ્રેરણાદાયી સંગ્રહસ્થાન. આ મ્યુઝિયમમાં ભારતીય કલાને વરેલા સ્વ. દિનકર કેળકરનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમણે 60 વર્ષ સુધી અવિરત પ્રવાસ ખેડીને ભારતનાં અતિ અંતરિયાળ ગામો અને નગરોમાંથી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી લાવી મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં તેનો સંગ્રહ કર્યો હતો. તેમના સંગ્રહની એકેએક…

વધુ વાંચો >