૧૭.૧૮

રાજનંદગાંવથી રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

રાજમ કૃષ્ણન્, (શ્રીમતી)

રાજમ કૃષ્ણન્, (શ્રીમતી) કે. મિત્ર (જ. 5 નવેમ્બર 1925, મુસિરી; જિ. ત્રિચિનાપલ્લી, ત્રિવેન્દ્રમ) : તમિળ ભાષાનાં મહિલા-નવલકથાકાર. નાનપણથી જ તેમના પિતાએ તેમની લેખનકુશળતાને પ્રોત્સાહન આપ્યું. હાઈસ્કૂલમાં કેવળ 5 ધોરણનો જ અભ્યાસ કરી શકવા છતાં સ્વયંશિક્ષણ અને ધગશને પરિણામે તેમણે અંગ્રેજી તેમ તમિળ નવલકથાકારોનો ઊંડો અભ્યાસ કર્યો. 1946થી તેમની ટૂંકી વાર્તાઓ…

વધુ વાંચો >

રાજમહાલ

રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું…

વધુ વાંચો >

રાજમહાલ ટેકરીઓ

રાજમહાલ ટેકરીઓ : ઝારખંડ રાજ્યના ડુમકા જિલ્લામાં આવેલી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : આ ટેકરીઓ 24° 40´ ઉ. અ. અને 87° 75´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલી છે. આ ટેકરીઓની ઉત્તરે બિહાર અને પૂર્વે પ. બંગાળ રાજ્યોની સીમા આવેલી છે. પ્રાકૃતિક પરિસ્થિતિ : છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ભાગરૂપે આવેલી આ ટેકરીઓ ઉત્તર-દક્ષિણે એક ચાપ…

વધુ વાંચો >

રાજમહેલ-સ્થાપત્ય

રાજમહેલ-સ્થાપત્ય : રાજાના નિવાસ માટેનું સ્થાપત્ય. વાસ્તુગ્રંથોમાં રાજમહેલ માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ‘અમરકોશ’માં દેવ અને રાજાના ભવન માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજમહેલ માટે અનેક પર્યાયો છે; જેમ કે, રાજપ્રાસાદ, રાજભવન, રાજગેહ, રાજવેશ્મ વગેરે. નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. મય મુનિ પ્રમાણે નગરના ક્ષેત્રફળના સાતમા…

વધુ વાંચો >

રાજમા

રાજમા : જુઓ ફણસી

વધુ વાંચો >

રાજમુંદ્રી

રાજમુંદ્રી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 0´ ઉ. અ. અને 81° 50´ પૂ. રે. તે ગોદાવરી નદીના મુખ પરના ત્રિકોણપ્રદેશના મથાળે આવેલું છે, તેમજ ચેન્નાઈ-હાવરા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે તાલુકાનું તેમજ મહેસૂલી વિભાગનું મુખ્ય મથક પણ છે. વળી તે રેલ ઉપરાંત સડક અને…

વધુ વાંચો >

રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) :

રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) : એક દુર્ધર રોગ. તેને ‘રોગરાજ’ કહેવામાં આવે છે. ‘યક્ષ્મા’ એટલે ક્ષયનો રોગ. ‘રોગોનો રાજા’ એટલે ‘રાજયક્ષ્મા’. આધુનિક વૈદક પ્રમાણે ‘ટ્યુબરક્યુલૉસિસ’ (ટી.બી.) નામથી જે રોગ પ્રસિદ્ધ છે તેને આયુર્વેદમાં ‘રાજયક્ષ્મા’ કહેવામાં આવે છે. આ રોગમાં દેહની ધાતુઓમાં કાર્યક્ષય થાય છે તેથી તેને ક્ષયરોગ કહે છે. રસાદિ…

વધુ વાંચો >

રાજરાજ

રાજરાજ (શાસનકાળ 985-1014) : દક્ષિણ ભારતનો ચોલવંશનો મહાન રાજા. તે રાજરાજ સુંદર ચોલનો પુત્ર હતો અને ઈ. સ. 985માં ગાદીએ આવ્યો હતો. તે વિજેતા, સામ્રાજ્યનો સ્થાપક અને ઉચ્ચ કક્ષાનો વહીવટકાર હતો. ગાદી ઉપર બેઠો તે પહેલાં રાજકીય અને જાહેર કામકાજનું જ્ઞાન અને અનુભવ તેણે મેળવ્યાં હતાં. તેણે સામ્રાજ્ય સ્થાપવા ઉપરાંત…

વધુ વાંચો >

રાજરાજ વર્મા, એ. આર.

રાજરાજ વર્મા, એ. આર. (જ. 1863, ચંગનાશશેરિ, ત્રાવણકોર; અ. 18 જૂન 1918, ત્રિવેન્દ્રમ્) : મલયાળમ વૈયાકરણ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ એ. આર. રાજરાજ વર્મા. કોઈત્તમ્પુરાન અને બાળપણનું નામ કોચ્ચપ્પન હતું. તેમનો જન્મ ચંગનાશશેરિના લક્ષ્મીપુરમ્ નામના મહેલમાં થયો હતો, જેનો પરંપરાગત લગ્નસંબંધ ત્રાવણકોર રાજ્યના…

વધુ વાંચો >

રાજ રાવ, આર.

રાજ રાવ, આર. (જ. 6 એપ્રિલ 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરનાર ભારતીય લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1979માં એમ.એ. અને 1986માં પીએચ.ડી.ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ પુણે યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના રીડર નિમાયા. તે સાથે તેમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમની માતૃભાષા અંગ્રેજીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

રાજનંદગાંવ

Jan 18, 2003

રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ…

વધુ વાંચો >

રાજનારાયણ

Jan 18, 2003

રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…

વધુ વાંચો >

રાજનારાયણન્, કિ.

Jan 18, 2003

રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.…

વધુ વાંચો >

રાજપીપળા

Jan 18, 2003

રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ…

વધુ વાંચો >

રાજપીપળા (દેશી રાજ્ય) :

Jan 18, 2003

રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા…

વધુ વાંચો >

રાજપુર

Jan 18, 2003

રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન…

વધુ વાંચો >

રાજપૂતાના

Jan 18, 2003

રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…

વધુ વાંચો >

રાજપ્રાસાદ

Jan 18, 2003

રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક…

વધુ વાંચો >

રાજમ આયર, બી. આર.

Jan 18, 2003

રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે…

વધુ વાંચો >

રાજમ્, એન.

Jan 18, 2003

રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ…

વધુ વાંચો >