૧૭.૧૦

રણજિતસિંહથી રબડીદેવી

રણજિતસિંહ

રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…

વધુ વાંચો >

રણજિતસિંહ, મહારાજા

રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી.…

વધુ વાંચો >

રણજી ટ્રૉફી

રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે. 193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે…

વધુ વાંચો >

રણથંભોર

રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…

વધુ વાંચો >

રણદિવે, બી. ટી.

રણદિવે, બી. ટી. : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ મહામંત્રી. આખું નામ ભાલચંદ્ર ત્ર્યંબક રણદિવે. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. શિક્ષણ દરમિયાન આઝાદીની લડતમાં ભાગ લીધો અને તે માટે ચારેક વાર જેલવાસ પણ ભોગવ્યો. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન ડાબેરી વિચારસરણી તરફ ઝૂક્યા અને સામ્યવાદી પક્ષના નેજા હેઠળના ‘આઇટુક’(ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન…

વધુ વાંચો >

રણદ્વીપ (oasis)

રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં…

વધુ વાંચો >

રણમલ્લ છંદ

રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા…

વધુ વાંચો >

રતન

રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી…

વધુ વાંચો >

રતનજોત

રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી…

વધુ વાંચો >

રતનબાઈ

રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની…

વધુ વાંચો >

રતનમાળ

Jan 10, 2003

રતનમાળ : નર્મદા જિલ્લામાં નર્મદા નદીની ઉત્તરે આવેલો વિંધ્યાચલની ડુંગરધારોથી બનેલો વિસ્તાર. તે રતનમાળની ડુંગરમાળાના નામથી પણ ઓળખાય છે. ડુંગરમાળાના જુદા જુદા ભાગોમાં 244 મીટરથી 366 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આવેલી છે. અહીં આશરે 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, સીસમ, શીમળો, ખેર, ખાખરો, ટીમરુ, કાકડ,…

વધુ વાંચો >

રતલામ

Jan 10, 2003

રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને…

વધુ વાંચો >

રતવેલિયો

Jan 10, 2003

રતવેલિયો : દ્વિદળી વર્ગના વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lippia nodiflora Rich. syn. Phyla nodiflora (Linn) Greene (સં. જલપિપ્પલી, હિં. અને બં. ભૂઈ-ઓક્રા, મ. રતોલિયા, ગુ. રતવેલિયો, તે. બોકેનાકુ, બોક્કેના; ત. પોડુથાલાઈ, ક. નેલાહિપ્પાલી, મલ. કાટ્ટુ-થીપ્પાલી) છે. તે બહુશાખિત, ભૂપ્રસારી અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરતી શાકીય વનસ્પતિ છે…

વધુ વાંચો >

રતાળુ

Jan 10, 2003

રતાળુ : જુઓ ડાયૉસ્કોરીઆ

વધુ વાંચો >

રતિ

Jan 10, 2003

રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ…

વધુ વાંચો >

રતિલાલ ‘અનિલ’

Jan 10, 2003

રતિલાલ ‘અનિલ’ (જ. 22 ફેબ્રુઆરી 1919, સૂરત) : ગઝલકાર, પત્રકાર. આખું નામ :  રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામો ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’. તેમના કુટુંબનો વ્યવસાય જરીબૉર્ડર બનાવવાનો. તેમની બે વર્ષની વયે પિતાનું અવસાન થતાં, કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના…

વધુ વાંચો >

રત્નગુંજ (વાલ)

Jan 10, 2003

રત્નગુંજ (વાલ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adenanthera pavonina Linn. (સં. રત્નગુંજ; મ. થોરલાગુંજ, રતનગુંજ; હિં. બડી ગુમચી; બં. રક્તચંદન; ત. મંજદી સેમ; તે. બંદી ગુરિતેન્ડ; અં. કૉરલ વુડ, રેડ બીડ ટ્રી, રેડ વુડ) છે. તે એક પર્ણપાતી, ઝડપથી વૃદ્ધિ પામતું, 18…

વધુ વાંચો >

રત્નપરખવિદ્યા (gemology)

Jan 10, 2003

રત્નપરખવિદ્યા (gemology) : રત્નોની પરખ અને મૂલ્યાંકન કરતું વિજ્ઞાન. તે ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા ખનિજવિદ્યાનો એક પેટાવિભાગ ગણાય, કારણ કે રત્નો મૂળભૂત રીતે તો ખનિજો જ હોય છે. કુદરતી રીતે મળતાં ખનિજોને કાપીને, ઘસીને, ચમક આપીને રત્નો – ઉપરત્નો તૈયાર કરવામાં આવતાં હોય છે. રત્નોનો વ્યવસાય કરનારા ઝવેરી કહેવાય છે. મોટા ભાગના…

વધુ વાંચો >

રત્નપુર

Jan 10, 2003

રત્નપુર : નૈર્ઋત્ય શ્રીલંકાનું વહીવટી કેન્દ્રરૂપ શહેર. ભૌગોલિક સ્થાન :  6° 41´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે. તે કોલંબોથી અગ્નિકોણમાં કાલુગંગા નદીને કાંઠે વસેલું છે. અહીંની એક ટેકરી પર પૉર્ટુગીઝોએ કિલ્લો બાંધેલો. અહીં આજુબાજુના ખાણ-ભાગોમાંથી રત્નો મળતાં હોવાથી તેને ‘રત્નપુર’ કહે છે. માણેક, નીલમ અને માર્જારચક્ષુ (બિડાલાક્ષ –…

વધુ વાંચો >

રત્નપ્રભસૂરિ

Jan 10, 2003

રત્નપ્રભસૂરિ (બારમી સદી) : આચાર્ય વાદી દેવસૂરિના શિષ્ય, વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ. તેઓ પ્રાકૃત ભાષાના પણ અપ્રતિમ કવિ હતા. એમણે ‘પ્રમાણનયતત્ત્વાલોક’ પર 5,000 શ્લોકપ્રમાણ ‘રત્નાકરાવતારિકા’ નામનો વિવેચનગ્રંથ લખ્યો છે. ‘અવતારિકા’નો પ્રથમ ફકરો કાવ્યમય અનુપ્રાસરચના તથા ગદ્યશૈલીનો સરસ નમૂનો છે. ‘ઇન્દ્રિયપ્રાપ્યકારિતા’નું પ્રકરણ આશરે એક સો (100) વિવિધ છંદોનાં કાવ્યોમાં કરેલી રચના…

વધુ વાંચો >