૧૭.૧૦

રણજિતસિંહથી રબડીદેવી

રત્નમાલ

રત્નમાલ : 17મા કે 18મા સૈકાનું કવિ કૃષ્ણનું હિંદી કાવ્ય. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતના ચાવડા વંશના વનરાજનો પિતા જયશિખરી પંચાસરનો રાજા હતો અને એને યુદ્ધમાં મારી નાખી કનોજના રાજા ભુવડે એનું રાજ્ય લઈ લીધું હતું. કનોજના રાજા ભુવડે પંચાસર જીતવા વાસ્તે શરૂમાં પોતાના સોળે પટાવતો(ગામગરાસનો પટો ધરાવનાર)ને મોકલ્યા હતા; છતાં…

વધુ વાંચો >

રત્નાકર

રત્નાકર : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. ‘બાલબૃહસ્પતિ’ ઉપાધિ ધારણ કરનાર કાશ્મીરાધિપતિ મિપ્પટ જયાપીડ(800)ના આ સભાપંડિત અત્યંત પ્રતિભાશાળી કવિ હતા. તેઓ અમૃતભાનુના પુત્ર હતા. એમણે લખેલા ‘હરવિજય’ મહાકાવ્યમાં 50 સર્ગો સાથે 4,351 પદ્યરત્નો સમાયેલાં છે. તે મહાકાવ્ય નિર્ણયસાગર પ્રેસે મુંબઈથી પ્રસિદ્ધ કરેલું છે. કવિની અન્ય બે રચનાઓનાં નામ છે – ‘वक्रोक्ति-पञ्चाशिका’…

વધુ વાંચો >

રત્નાગિરિ

રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ,  સહ્યાદ્રિની પેલી પાર…

વધુ વાંચો >

રત્નાવલી

રત્નાવલી (ઈ. સ. 650 આશરે) : નાટ્યકાર હર્ષે સંસ્કૃત ભાષામાં રચેલી નાટિકા. ચાર અંકની બનેલી આ નાટિકામાં રાજા ઉદયન અને સિંહલદેશની રાજકુમારી રત્નાવલીની પ્રણયકથા રજૂ થઈ છે. પ્રથમ અંકમાં ‘સિંહલદેશની રાજકુમારી રત્નાવલી જેને પરણશે તે ચક્રવર્તી રાજા બનશે’ એવી ભવિષ્યવાણી પર આધાર રાખી યૌગંધરાયણ નામનો પ્રધાન રાજા ઉદયન સાથે રાજકુમારી…

વધુ વાંચો >

રત્નેશ્વર

રત્નેશ્વર (સત્તરમી સદી ઉત્તરાર્ધ) : કવિ અને અનુવાદક. પિતા મેઘજી, માતા સૂરજ. ડભોઈનો. ક. મા. મુનશી પ્રમાણે શ્રીમાળી અથવા અ. મ. રાવળ પ્રમાણે મેવાડા બ્રાહ્મણ. કાશી જઈ સંસ્કૃત શીખી આવ્યા પછી કવિતા રચવાનો આરંભ. આજીવિકાર્થે પુરાણની કથા કરવા જતાં પુરાણીઓ સાથે ઝઘડામાં જાનનું જોખમ લાગતાં ડભોઈ છોડી નર્મદાકિનારે કૈણેદ જઈ…

વધુ વાંચો >

રત્નો (gems, gemstones)

રત્નો (gems, gemstones) ઝવેરાતના ઉપયોગમાં લઈ શકાય એવા મૂલ્યવાન સુંદર સ્ફટિકો. જે ખનિજ અલંકાર તરીકે ઉપયોગમાં લેવા માટે સુંદર દેખાતું હોય અને સુંદર દેખાતું ટકી રહેવા માટે ટકાઉપણાનો પણ ગુણધર્મ ધરાવતું હોય તે રત્ન કહેવાને પાત્ર ગણાય. ચમક, તેજ, અનેકરંગિતા, રંગદીપ્તિ, રંગવૈવિધ્ય, માર્જાર-ચક્ષુ-ચમક (chatoyancy) અને દ્વિરંગવિકાર (dichroism) એ રત્ન તરીકે…

વધુ વાંચો >

રથચક્ર

રથચક્ર (1962) : મરાઠી નવલકથાકાર એસ. એન. પેંડસેની એક મહત્વની કૃતિ. સામાન્ય રીતે પેંડસેની નવલકથાઓમાં ઉત્તર કોંકણના અમુક સ્થળ-વાતાવરણનું તેમજ તેનાં રહેવાસીઓનું ચિત્રાત્મક આલેખન હોય છે. ‘રથચક્ર’ની વાર્તા એક અનામી યુવાન સ્ત્રીની આસપાસ ગૂંથાઈ છે; એ અનામી મહિલાને તેના પતિ તથા સ્વાર્થી સાસરિયાંએ તજી દીધી છે. તેણે પોતાનું અને પોતાનાં…

વધુ વાંચો >

રથ, ચંદ્રશેખર

રથ, ચંદ્રશેખર (જ. 17 ઑક્ટોબર 1929, બાલનગિર, ઓરિસા) : ઊડિયા નિબંધકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1952માં લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ ઓરિસા સરકારની શિક્ષણસેવામાં રીડર તરીકે જોડાયા અને 1975 સુધી ઉપાચાર્ય તથા આચાર્ય તરીકે સેવા આપી. 1975થી 1978 સુધી તેમણે પાઠ્યપુસ્તક બ્યુરોના સેક્રેટરી અને 1987 સુધી…

વધુ વાંચો >

રથ, જયન્તી (શ્રીમતી)

રથ, જયન્તી (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1960; ભુવનેશ્વર, ઓરિસા) : ઊડિયા લેખિકા. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર ખાતેના ઓરિસા રાજ્ય મ્યુઝિયમના મદદનીશ ક્યુરેટર તરીકે જોડાયાં તે સાથે લેખનકાર્ય પણ કરતાં રહ્યાં. તેમણે કેટલાક ગ્રંથો આપ્યા છે : ‘જાત્રારંભ’ (1984), ‘ભિન્ન વર્ણબોધ’…

વધુ વાંચો >

રથનેમિ

રથનેમિ (ઈ. પૂ. દસમી સદી) : જૈન અનુશ્રુતિ અનુસાર દ્વારવતીના રાજા અંધકવૃષ્ણિના પુત્ર સમુદ્રવિજયના પુત્ર અને અરિષ્ટનેમિના ભાઈ. અરિષ્ટનેમિ વૈરાગ્ય પામ્યા બાદ, ઉગ્ર તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પામી, બાવીસમા તીર્થંકર નેમિનાથ થયા. ત્યારબાદ એમના ભાઈ રથનેમિએ એમની પાસે દીક્ષા લીધી હતી. એક દિવસ વર્ષાઋતુમાં, દીક્ષિત રાજિમતીનું દેહલાવણ્ય જોઈ તેઓ વિકારવશ થયા;…

વધુ વાંચો >

રણજિતસિંહ

Jan 10, 2003

રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…

વધુ વાંચો >

રણજિતસિંહ, મહારાજા

Jan 10, 2003

રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી.…

વધુ વાંચો >

રણજી ટ્રૉફી

Jan 10, 2003

રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે. 193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે…

વધુ વાંચો >

રણથંભોર

Jan 10, 2003

રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…

વધુ વાંચો >

રણદિવે, બી. ટી.

Jan 10, 2003

રણદિવે, બી. ટી. : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ મહામંત્રી. આખું નામ ભાલચંદ્ર ત્ર્યંબક રણદિવે. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. શિક્ષણ દરમિયાન આઝાદીની લડતમાં ભાગ લીધો અને તે માટે ચારેક વાર જેલવાસ પણ ભોગવ્યો. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન ડાબેરી વિચારસરણી તરફ ઝૂક્યા અને સામ્યવાદી પક્ષના નેજા હેઠળના ‘આઇટુક’(ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન…

વધુ વાંચો >

રણદ્વીપ (oasis)

Jan 10, 2003

રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં…

વધુ વાંચો >

રણમલ્લ છંદ

Jan 10, 2003

રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા…

વધુ વાંચો >

રતન

Jan 10, 2003

રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી…

વધુ વાંચો >

રતનજોત

Jan 10, 2003

રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી…

વધુ વાંચો >

રતનબાઈ

Jan 10, 2003

રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની…

વધુ વાંચો >