૧૫.૧૩

મલાવ તળાવથી મસ્તાની

મલાવ તળાવ

મલાવ તળાવ : અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ. તે મીનળદેવીના નામ સાથે જોડાયેલું છે. આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકસ્થલ પર પહોંચવાનો…

વધુ વાંચો >

મલિક અયાઝ

મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો…

વધુ વાંચો >

મલિક અહમદ

મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર…

વધુ વાંચો >

મલિક કાલુ

મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…

વધુ વાંચો >

મલિક કુમ્મી

મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી.…

વધુ વાંચો >

મલિક ખુશનૂદ

મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની…

વધુ વાંચો >

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ (જ. 1906, યુક્રેન, રશિયા; અ. 1980) : સોવિયેત દેશના રાજકારણી. તેઓ સ્ટેલિનના કૃપાપાત્ર ગણાતા હતા. 1942થી ’45 દરમિયાન તેમણે જાપાન ખાતે એલચી તરીકે કામગીરી બજાવી. 1946માં તેઓ નાયબ વિદેશપ્રધાન નિયુક્ત થયા. આન્દ્રે ગૉમિકોના અનુગામી તરીકે તેઓ 1948માં રાષ્ટ્રસંઘ ખાતે સોવિયેત દેશના પ્રવક્તા બની રહ્યા. 1953થી ’60 સુધી…

વધુ વાંચો >

મલિક મુહમ્મદ ઇખ્તિયાર

મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન  સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર…

વધુ વાંચો >

મલિક શાબાન

મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી…

વધુ વાંચો >

મલિક સારંગ

મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે…

વધુ વાંચો >

મલેક ગોપી

Jan 13, 2002

મલેક ગોપી (જ. ? ; અ. 1515) : ગુજરાતના  સુલતાન મહમૂદશાહ બેગડા (1459–1511) તથા મુઝફ્ફરશાહ બીજા(1511–1526)ના શાસનકાળ દરમિયાન વજીર અને સૂરતનો પ્રતિષ્ઠિત વેપારી. ગોપી મૂળે વડનગરનો નાગર બ્રાહ્મણ હતો અને વેપારાર્થે પંદરમી સદીની અંતિમ પચીશી દરમિયાન સૂરત જઈને વસ્યો હતો. મહમૂદ બેગડાના શાસનનાં અંતિમ વર્ષો દરમિયાન ગોપી ત્યાંનો આગળપડતો અને…

વધુ વાંચો >

મલેક તગી

Jan 13, 2002

મલેક તગી (જ. ?; અ. 1351) : દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલુક વિરુદ્ધ ઈ. સ. 1347માં ગુજરાતમાં બળવો કરનાર અમીર. ઝિયાઉદ્દીન બરનીના જણાવ્યા મુજબ શરૂઆતના જીવનમાં તે એક ગુલામ હતો. ત્યારબાદ સુલતાનનો શહનએ બારગાહ એટલે કે દરબારનો પ્રબંધ કરનાર અમીર બન્યો હતો. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતો થયો હતો.…

વધુ વાંચો >

મલેશિયા

Jan 13, 2002

મલેશિયા મલાયા, સાબાહ-સારાવાક (ઉત્તર બૉર્નિયો) મળીને બનતો મલેશિયા સંઘ. ભૌગોલિક સ્થાન : તે આશરે 1°થી 7° ઉ. અ. અને 100°થી 105° તથા 110°થી 119° પૂ. રે. વચ્ચેનો 3,29,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી મલાયા (પૂર્વ-પશ્ચિમના ટાપુઓ સહિત 1,31,347 ચોકિમી.), સાબાહ (76,134 ચોકિમી.) અને સારાવાક (1,25,000 ચોકિમી.) જેટલો…

વધુ વાંચો >

મલ્કાનગિરિ

Jan 13, 2002

મલ્કાનગિરિ : ઓરિસાના છેક નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 18° 15´ ઉ. અ. અને 82° 00´ પૂ. રે.ની આજુબાજુનો 6,115 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં રાજ્યનો કોરાપુટ જિલ્લો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ આંધ્રના પૂર્વ ગોદાવરી અને વિશાખાપટનમ્ જિલ્લા…

વધુ વાંચો >

મલ્ફૂઝાતે તીમૂરી

Jan 13, 2002

મલ્ફૂઝાતે તીમૂરી : ચૌદમી સદીમાં લખાયેલ સમરકંદના સુલતાન તીમૂરની આત્મકથાનો ગ્રંથ. આ ગ્રંથ મૂળ તુર્કી ભાષામાં છે. તેનો અબૂ તાલિબ હુસેનીએ ફારસી ભાષામાં અનુવાદ કરીને મુઘલ શહેનશાહ શાહજહાંને અર્પણ કર્યો હતો. તેમાંથી તીમૂરના ભારત પરના આક્રમણનું આધારભૂત વર્ણન પ્રાપ્ત થાય છે. તેના ખરાપણા(અસલિયત)ની સર્વ શંકાઓ દૂર થઈ છે અને તેમાંનું…

વધુ વાંચો >

મલ્લવાદી સૂરિ

Jan 13, 2002

મલ્લવાદી સૂરિ : ચોથી સદીમાં ગુજરાતમાં થયેલ જૈન સૂરિ. મલ્લવાદી નામના શ્વેતપટ ક્ષમાશ્રમણે શીલાદિત્ય રાજાની સભામાં બૌદ્ધોને ઈ. સ. 357(વિ. સં. 414)માં હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યાની વિગત ‘પ્રભાવકચરિત’માં નોંધવામાં આવી છે. મલ્લવાદીએ બારખંડનો ‘દ્વાદશાનયચક્ર’ નામે નયગ્રંથ તૈયાર કર્યો હતો. એ જૈન ન્યાયનો ઘણો મહત્વનો પ્રાચીન ગ્રંથ ગણાય છે. મૈત્રકકાલમાં આ…

વધુ વાંચો >

મલ્લ સન

Jan 13, 2002

મલ્લ સન : જુઓ સંવત

વધુ વાંચો >

મલ્લિક, ગુરુદયાલ

Jan 13, 2002

મલ્લિક, ગુરુદયાલ [જ. 7 જુલાઈ 1897, ડેરા ઇસ્માઈલખાન (હાલ પ. બંગાળ); અ. 14 એપ્રિલ 1970] : સૂફી સંત. ‘ચાચાજી’ના નામે જાણીતા. એમના પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી. પરિણામે ભાઈ-બહેનો માતા પાસે જ રહેતાં. માતાએ જ ગુરુદયાલને પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ હોવાનું શીખવેલું. શાળાનું શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં અને કૉલેજનું શિક્ષણ…

વધુ વાંચો >

મલ્લિક, પંકજ

Jan 13, 2002

મલ્લિક, પંકજ (જ. 10 મે 1905; અ. 19 ફેબ્રુઆરી 1978) : ભારતીય ચલચિત્રોના સંગીતમાં રવીન્દ્ર સંગીત તેમજ આધુનિકતાનો પ્રયોગ કરનાર બંગાળી ગાયક અને સંગીતકાર. બાળપણથી જ સંગીત પ્રત્યે તેમને લગાવ હતો. સંગીતકાર દુર્ગાદાસ બંદ્યોપાધ્યાય પાસે તેમણે ગાયકીની તાલીમ લીધી હતી. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાં જ તેમના પર કુટુંબની જવાબદારી…

વધુ વાંચો >

મલ્લિકામકરંદ

Jan 13, 2002

મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો…

વધુ વાંચો >