મલ્ફૂઝાતે તીમૂરી

January, 2002

મલ્ફૂઝાતે તીમૂરી : ચૌદમી સદીમાં લખાયેલ સમરકંદના સુલતાન તીમૂરની આત્મકથાનો ગ્રંથ. આ ગ્રંથ મૂળ તુર્કી ભાષામાં છે. તેનો અબૂ તાલિબ હુસેનીએ ફારસી ભાષામાં અનુવાદ કરીને મુઘલ શહેનશાહ શાહજહાંને અર્પણ કર્યો હતો. તેમાંથી તીમૂરના ભારત પરના આક્રમણનું આધારભૂત વર્ણન પ્રાપ્ત થાય છે. તેના ખરાપણા(અસલિયત)ની સર્વ શંકાઓ દૂર થઈ છે અને તેમાંનું વર્ણન ઇતિહાસવિદો દ્વારા આધારભૂત માનવામાં આવ્યું છે. આ ગ્રંથ ‘તુઝુકે તિમૂરી’ નામથી પણ ઓળખાય છે.

જયકુમાર ર. શુક્લ