૧૫.૦૯

મનશ્ચિકિત્સાવિદ્યા સમાજલક્ષીથી મનોવિજ્ઞાન

મનહર રસકપૂર

મનહર રસકપૂર (જ. 8 મે 1922, સૂરત; અ. 14 ફેબ્રુઆરી 1980, હાલોલ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મનહર રસકપૂરનાં ઉછેર-શિક્ષણ મુંબઈમાં થયાં. ઉચ્ચ શિક્ષણ ઇસ્માઇલ યૂસુફ કૉલેજ તથા વિલ્સન કૉલેજ, મુંબઈમાંથી પ્રાપ્ત કર્યું. 1942ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે ભાગ લીધો હતો. ગુજરાતી ચલચિત્રસર્જક વિજય ભટ્ટની ફિલ્મોમાં પ્રકાશ પિક્ચર્સની ‘વિક્રમાદિત્ય’ અને ‘સમાજ કો બદલ ડાલો’માં…

વધુ વાંચો >

મન:શસ્ત્રક્રિયા

મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને…

વધુ વાંચો >

મનાઈહુકમ

મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્ ચાલુ ન રહે તે માટે ન્યાયાલય દ્વારા આપેલ આજ્ઞા અથવા ચુકાદો. મનાઈહુકમ એ એક ન્યાયિક પ્રક્રિયા છે, જેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા થતા ગેરકાયદેસરના કૃત્યને અટકાવી શકે…

વધુ વાંચો >

મનાબે સુકુરો (Manabe Syukuro)

મનાબે, સુકુરો (Manabe, Syukuro) (જ. 21 સપ્ટેમ્બર 1931, શિંગુ, જાપાન) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે, હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક  ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ સ્યુકુરો મનાબે તથા સ હૅસલમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…

વધુ વાંચો >

મનામા

મનામા : ઈરાની અખાતના પશ્ચિમ ભાગમાં ટાપુરૂપે આવેલા બહેરિન રાજ્યનું તેમજ અમીરાતનું મોટામાં મોટું શહેર તથા પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 26° 05´ ઉ. અ. અને 50° 25´ પૂ. રે. પર બહેરિન ટાપુના ઈશાન છેડા પર આવેલું છે. સમગ્ર અમીરાતની આશરે 40 % જેટલી વસ્તી આ શહેરમાં વસે છે. તેનો…

વધુ વાંચો >

મનાલી

મનાલી : હિમાચલપ્રદેશના કુલુ જિલ્લામાં આવેલું ગિરિનગર. ભૌગોલિક સ્થાન : 32° 15´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,134 મીટરની ઊંચાઈએ આવેલું છે. સિમલાથી તે 274 કિમી.ને અંતરે તથા કુલુથી કુલુ–લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર 40 કિમી.ને અંતરે આવેલું છે. આ ગિરિનગર તેનાં કુદરતી રમણીય…

વધુ વાંચો >

મનિયર, કૉન્સ્ટન્ટીન

મનિયર, કૉન્સ્ટન્ટીન (જ. 1831, બેલ્જિયમ; અ. 1905) : બેલ્જિયન શિલ્પી. ઓગણીસમી સદીના બેલ્જિયમમાં પ્રવર્તી રહેલ સામાજિક-આર્થિક વિષમતા અને મજૂર વર્ગની બેહાલી અને પાયમાલીની સીધી અસર મનિયરની કલા પર જોવા મળે છે. મનિયરે કલાને સામાજિક ક્રાંતિના સાધન તરીકે સ્વીકારી હતી. ચિત્રકાર તરીકે પ્રારંભ કરી 1885 સુધીમાં મનિયરે ચિત્રકલાનો પૂર્ણતયા ત્યાગ કરી…

વધુ વાંચો >

મની ઍટ કૉલ

મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે…

વધુ વાંચો >

મનીલા

મનીલા : ફિલિપાઇન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14° 35´ ઉ. અ. અને 121° 0´ પૂ. રે. તે દેશનું મુખ્ય આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદરી પ્રવેશદ્વાર પણ છે. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય ભાષા ફિલિપીનોના મે (may) અર્થાત્ ‘છે’ તથા નિલાડ (nilad) અર્થાત્ ‘મનીલા ઉપસાગરને…

વધુ વાંચો >

મનીલા ઉપસાગર

મનીલા ઉપસાગર : ફિલિપાઇન્સમાં લ્યુઝોન ટાપુના દક્ષિણ નૈર્ઋત્ય ભાગમાં, મનીલાથી પશ્ચિમ તરફ આવેલો ઉપસાગર. તે દક્ષિણ ચીની સમુદ્ર તરફ પથરાયેલો છે. તેની લંબાઈ 65 કિમી. અને પહોળાઈ 55 કિમી. જેટલી છે. તેનાં જળ મોટાં જહાજો આવી શકે એટલાં ઊંડાં છે. મનીલા અને કેવિટ તેના કિનારા પર આવેલાં ઉત્તમ કક્ષાનાં બારાં…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી

Jan 9, 2002

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનસા

Jan 9, 2002

મનસા : પંજાબ રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 59´ ઉ. અ. અને 75° 23´ પૂ. રે.ની આજુબાજુનો 2,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં સંગરૂર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ હરિયાણા રાજ્યનો હિસ્સાર જિલ્લો, પશ્ચિમમાં હરિયાણાનો સિરસા અને પંજાબનો બથિંડા (ભટિંડા) જિલ્લો…

વધુ વાંચો >

મનસામંગલ

Jan 9, 2002

મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો…

વધુ વાંચો >

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી

Jan 9, 2002

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી : વન્ય પ્રાણીઓ માટેનું આસામમાં આવેલું અભયારણ્ય. કામરૂપ જિલ્લામાં આવેલું હોવાથી તે કામરૂપ અભયારણ્ય નામે પણ ઓળખાય છે. હિમાલયની તળેટીમાં મનસા નદીના કાંઠે, ગૌહતી શહેરથી 153 કિમી. દૂર. 1928માં તેની રચના થઈ. તે 272 ચોકિમી.માં પથરાયેલું છે. ગાઢ, સદાય હરિયાળા અને ભીનાશવાળા પર્ણપાતી જંગલ-વિસ્તારમાં તે આવેલું…

વધુ વાંચો >

મનસુખલાલ મજીઠિયા

Jan 9, 2002

મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી…

વધુ વાંચો >

મનસૂર

Jan 9, 2002

મનસૂર (સત્તરમી સદી) : પશુ-પંખીઓના મુઘલકાલીન ભારતીય ચિત્રકાર. તેઓ જહાંગીરના ખાસ પ્રીતિપાત્ર હતા. જહાંગીરે તેમને ‘નાદિર-ઉલ-અસ્ર’ (વિશ્વનું વિસ્મય) ખિતાબ આપીને નવાજ્યા હતા. મનસૂરે પંશુપંખીઓનાં ચિત્રો પ્રાકૃતિક ઇતિહાસવિદના ર્દષ્ટિકોણથી આલેખ્યાં છે. તેમાં જે તે પશુપંખીની શરીરરચનાનું યથાર્થ અને હૂબહૂ આલેખન અવશ્ય જોવા મળે છે; પરંતુ વૈયક્તિક અભિવ્યક્તિ અને પશુ-પંખીના વિશિષ્ટ જુસ્સાની…

વધુ વાંચો >

મનસૂર, મલ્લિકાર્જુન

Jan 9, 2002

મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…

વધુ વાંચો >

મનસૂરી, નબીબખ્શ મહંમદ

Jan 9, 2002

મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…

વધુ વાંચો >

‘મનસ્વી’ પ્રાંતિજવાળા

Jan 9, 2002

‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…

વધુ વાંચો >

મનહર નટકલા મંડળ

Jan 9, 2002

મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…

વધુ વાંચો >