૧૫.૦૯

મનશ્ચિકિત્સાવિદ્યા સમાજલક્ષીથી મનોવિજ્ઞાન

મનોલિંગ ક્રિયાઓ

મનોલિંગ ક્રિયાઓ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, તીવ્ર

મનોવિકાર, તીવ્ર : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, દેહાંતરી

મનોવિકાર, દેહાંતરી :જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિકાર, સૌમ્ય

મનોવિકાર, સૌમ્ય : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર) એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી

Jan 9, 2002

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનસા

Jan 9, 2002

મનસા : પંજાબ રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 59´ ઉ. અ. અને 75° 23´ પૂ. રે.ની આજુબાજુનો 2,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં સંગરૂર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ હરિયાણા રાજ્યનો હિસ્સાર જિલ્લો, પશ્ચિમમાં હરિયાણાનો સિરસા અને પંજાબનો બથિંડા (ભટિંડા) જિલ્લો…

વધુ વાંચો >

મનસામંગલ

Jan 9, 2002

મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો…

વધુ વાંચો >

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી

Jan 9, 2002

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી : વન્ય પ્રાણીઓ માટેનું આસામમાં આવેલું અભયારણ્ય. કામરૂપ જિલ્લામાં આવેલું હોવાથી તે કામરૂપ અભયારણ્ય નામે પણ ઓળખાય છે. હિમાલયની તળેટીમાં મનસા નદીના કાંઠે, ગૌહતી શહેરથી 153 કિમી. દૂર. 1928માં તેની રચના થઈ. તે 272 ચોકિમી.માં પથરાયેલું છે. ગાઢ, સદાય હરિયાળા અને ભીનાશવાળા પર્ણપાતી જંગલ-વિસ્તારમાં તે આવેલું…

વધુ વાંચો >

મનસુખલાલ મજીઠિયા

Jan 9, 2002

મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી…

વધુ વાંચો >

મનસૂર

Jan 9, 2002

મનસૂર (સત્તરમી સદી) : પશુ-પંખીઓના મુઘલકાલીન ભારતીય ચિત્રકાર. તેઓ જહાંગીરના ખાસ પ્રીતિપાત્ર હતા. જહાંગીરે તેમને ‘નાદિર-ઉલ-અસ્ર’ (વિશ્વનું વિસ્મય) ખિતાબ આપીને નવાજ્યા હતા. મનસૂરે પંશુપંખીઓનાં ચિત્રો પ્રાકૃતિક ઇતિહાસવિદના ર્દષ્ટિકોણથી આલેખ્યાં છે. તેમાં જે તે પશુપંખીની શરીરરચનાનું યથાર્થ અને હૂબહૂ આલેખન અવશ્ય જોવા મળે છે; પરંતુ વૈયક્તિક અભિવ્યક્તિ અને પશુ-પંખીના વિશિષ્ટ જુસ્સાની…

વધુ વાંચો >

મનસૂર, મલ્લિકાર્જુન

Jan 9, 2002

મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…

વધુ વાંચો >

મનસૂરી, નબીબખ્શ મહંમદ

Jan 9, 2002

મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…

વધુ વાંચો >

‘મનસ્વી’ પ્રાંતિજવાળા

Jan 9, 2002

‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…

વધુ વાંચો >

મનહર નટકલા મંડળ

Jan 9, 2002

મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…

વધુ વાંચો >