૧૩.૦૯

બહુસ્નાયુશોથથી બંગાળી ભાષા અને સાહિત્ય

બહુસ્નાયુશોથ

બહુસ્નાયુશોથ : જુઓ ત્વક્સ્નાયુશોથ

વધુ વાંચો >

બહૂદર પશુ (વ્યાલ)

બહૂદર પશુ (વ્યાલ) : ભારતીય શિલ્પકલામાં અલંકરણ રૂપે પ્રયોજાતું વિશિષ્ટ રૂપ પ્રતીક. ‘વ્યાલ’ નામથી જાણીતા થયેલાં વ્યાલશિલ્પો કે ઇહામૃગોની ભારતીય પરંપરા ઋગ્વેદ (7-104-22) જેટલી જૂની છે. ત્યાં મનુષ્યસ્વભાવનું વર્ણન કરતાં એના છ પ્રકારો ઉલૂક, શુશુલૂક, શ્વા, કોક, સુપર્ણ, ગૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ, ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે જે…

વધુ વાંચો >

બહેડાં

બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં…

વધુ વાંચો >

બહેરામપુર

બહેરામપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઈશાન ભાગમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી તથા વેપારી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 06´ ઉ. અ. અને 88° 15´ પૂ. રે. પર ભાગીરથી નદીના પૂર્વ ભાગમાં વસેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી તેની આબોહવા વિષમ રહે છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી. જેટલું રહે…

વધુ વાંચો >

બહેરાશ

બહેરાશ ઓછું સંભળાવું તે. તેને બધિરતા (deafness) પણ કહે છે. તેને કારણે સામાજિક અને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં તકલીફ ઉદભવે છે. કોઈ અંધ કે અપંગ વ્યક્તિની પંગુતા સહેલાઈથી દેખાઈ આવે છે, જેને કારણે તેને માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જાય છે. બહેરી વ્યક્તિને માટે તેવું વાતાવરણ સહેલાઈથી સર્જાતું નથી. આ તેની વિશિષ્ટ વિટંબણા છે.…

વધુ વાંચો >

બહેરિન

બહેરિન : અરબસ્તાન અને ઈરાન વચ્ચે ઈરાનના અખાતમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° ઉ. અ. અને 50° 30´ પૂ. રે.ની આજુબાજુનો ટાપુ-વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઈરાની અખાત તથા પશ્ચિમ તરફ બહેરિનનો અખાત આવેલા છે. આ આરબ ભૂમિ પરના 30થી વધુ ટાપુઓનો ઘણોખરો ભાગ ઉજ્જડ રણથી…

વધુ વાંચો >

બહેરેબુવા

બહેરેબુવા (જ. 1890, કુરધા, રત્નાગિરિ; અ. 12 સપ્ટેમ્બર 1965, રત્નાગિરિ) : કિરાના ઘરાણાના અગ્રણી સંગીતકાર. આખું નામ ગણેશ રામચંદ્ર બહેરે; પરંતુ ‘બહેરેબુવા’ના ટૂંકા નામે જ ઓળખાતા થયા. પિતા સંગીતપ્રેમી હોવાથી નાનપણથી જ તેમને કુટુંબના વાતાવરણમાં સંગીત પ્રત્યે ચાહના ઊભી થઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી 14 વર્ષની ઉંમરે વતન…

વધુ વાંચો >

બહ્ર-અલ્-ગઝલ (નદી)

બહ્ર-અલ્-ગઝલ (નદી) : આફ્રિકાના સુદાન દેશમાં આવેલી નદી. પશ્ચિમ તરફથી નીકળીને આવતી આ નદી આશરે 716 કિમી.ની લંબાઈમાં વહીને નાઇલને મલે છે. બહ્ર-અલ-ગઝલની શાખાનદીઓમાં જર, ટોન્જ અને બહ્ર-અલ-અરબ નદીઓનો સમાવેશ થાય છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકની ચારી નદીના જળવિભાજક સુધી વિસ્તરેલું તેનું જલગ્રહણ-ક્ષેત્ર (catchment area) 8,51,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…

વધુ વાંચો >

બળતણકોષ

બળતણકોષ : જુઓ ઇંધનકોષ

વધુ વાંચો >

બળદ

બળદ ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી. વર્ગીકરણની ર્દષ્ટિએ તેનો સમાવેશ સસ્તન વર્ગ, સમખુરી (artiodactyle) શ્રેણીના બોવિડે કુળમાં થાય છે. ભારતીય બળદનું શાસ્ત્રીય નામ Bos indicus છે. પરદેશમાં ખૂંધ વગરના (દા.ત., જર્સી) બળદ પણ હોય છે. તેમને Bos taurus કહે છે. આદિકાળમાં…

વધુ વાંચો >

બંગાળના ગ્રામ-આવાસો

Jan 9, 2000

બંગાળના ગ્રામ-આવાસો : બંગાળ અને પૂર્વીય  હિમાલયના વિસ્તારોમાં વનસ્પતિજન્ય માલસામાન તથા નદીના તટપ્રદેશોની માટીના ઉપયોગવાળાં બાંધકામની પદ્ધતિઓ. તે ઘણી જ પ્રચલિત છે. વાંસ તથા વળીના ઉપયોગની સાથે સાથે આ કુદરતી રીતે પ્રાપ્ય સામાનને લગતી કારીગીરીનો પણ ખૂબ જ વિકાસ થયેલો છે. પ્રણાલિકાગત ઘરોમાં, ગામડાંઓમાં વળી તથા વાંસના આધારો પર લાંબાં…

વધુ વાંચો >

બંગાળનો ઉપસાગર

Jan 9, 2000

બંગાળનો ઉપસાગર : હિન્દી મહાસાગરનું પૂર્વ તરફનું વિસ્તરણ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : આ ઉપસાગર આશરે 5° ઉ. અ.થી 22° ઉ. અ. અને 80° પૂ. રે.થી 90° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 21,73,000 ચોકિમી. જેટલો છે તથા તેની પહોળાઈ આશરે 1,600 કિમી.…

વધુ વાંચો >

બંગાળ શૈલીની કળા

Jan 9, 2000

બંગાળ શૈલીની કળા : ઓગણીસમી સદીના અંતભાગમાં ઉદભવેલા બંગાળના નવજાગરણ નિમિત્તે લાધેલી કલાશૈલી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરંપરાગત ભારતીય કળાની દુર્દશા થવાની સાથોસાથ યુરોપિયન શૈલીની, ત્રિપરિમાણની ભ્રમણા કરાવતી વાસ્તવમૂલક ચિત્રકળા વ્યાપક બનવા લાગી. તેનું સૌથી લાક્ષણિક ઉદાહરણ રાજા રવિ વર્મા છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમીની ઢબે આબેહૂબ આલેખનના અભિગમ દ્વારા…

વધુ વાંચો >

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

Jan 9, 2000

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર (1961) : કન્નડ સાહિત્યના અગ્રણી વિવેચક અને બંગાળી સાહિત્યના અઠંગ અભ્યાસી એ. આર. કૃષ્ણશાસ્ત્રીએ કન્નડમાં લખેલો બંકિમચંદ્રની નવલકથાઓ વિશેનો વિવેચનગ્રંથ. તેમાં બંગાળી વિવેચકોનું ધ્યાન ન ગયું હોય એવા કેટલાક મુદ્દાઓ છે; જેમ કે, બંકિમચંદ્રની કઈ કઈ નવલકથાઓ પર પશ્ચિમની કઈ કઈ નવલકથાઓની કેવી અને કેટલી અસર છે,…

વધુ વાંચો >

બંગાળી ભાષા અને સાહિત્ય

Jan 9, 2000

બંગાળી ભાષા અને સાહિત્ય બંગાળી ભાષા ભારત-ઈરાની તરીકે ઓળખાતી ભારત-યુરોપીય ભાષાકુળની છેક પૂર્વેની શાખામાંથી ઊતરી આવી છે. તેની સીધી પૂર્વજ તો છે પ્રાકૃત, જે સંસ્કૃત–પ્રાચીન ભારતીય આર્યભાષા–માંથી ઊતરી આવી છે. લગભગ ઈ. પૂ. 500 સુધી સંસ્કૃત આર્યાવર્તની બોલચાલની તેમજ સાહિત્યની ભાષા હતી, જે પછીનાં લગભગ બે હજાર વર્ષ સુધી મુખ્ય…

વધુ વાંચો >