૧૧.૦૯

પાર્થેનિયમથી પાંડ્ય શિલ્પકલા

પાર્થેનિયમ

પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…

વધુ વાંચો >

પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા

પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…

વધુ વાંચો >

પાર્વતી

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાર્વતીકુમાર

પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…

વધુ વાંચો >

પાર્વતીપરિણય (1400)

પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…

વધુ વાંચો >

પાર્શ્વચન્દ્રસૂરિ

પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પાર્શ્વનાથ

પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…

વધુ વાંચો >

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…

વધુ વાંચો >

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…

વધુ વાંચો >

પાલખ

Jan 9, 1999

પાલખ : દ્વિદળી વર્ગના ચિનોપોડિયેસી કુળની એક વનસ્પતિ. તેની બે પ્રજાતિઓ છે : (1) Beta vulgaris Linn.; (2) Spinacia oleracea Linn. [પાલખ-1] પ્રથમ પ્રજાતિને ‘બીટ’ પણ કહે છે અને તેની આર્થિક અગત્યને આધારે તેને બે જૂથમાં વહેંચવામાં આવે છે : (I) સિસ્લા જૂથ : (i) ચાર્ડ અથવા સ્વિસ ચાર્ડ, (ii)…

વધુ વાંચો >

પાલખીવાલા નાની

Jan 9, 1999

પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા અર્થશાસ્ત્રી. પિતાનું નામ અરદેશર, માતાનું નામ શેહરબાનુ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે 1942માં એમ. એ. તથા 1944માં એલએલ.બી.ની પદવી પ્રથમ વર્ગમાં મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ટૂંકસમયમાં…

વધુ વાંચો >

પાલઘાટ (પલક્કડ)

Jan 9, 1999

પાલઘાટ (પલક્કડ) : દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામનું શહેર. જિલ્લો : ક્ષેત્રફળ : 4,480 ચોકિમી. વસ્તી : 2011 મુજબ 28,10,892ની છે. આ જિલ્લાની ઉત્તરે મલ્લાપુરમ્ જિલ્લો, નૈર્ઋત્યમાં ત્રિચુર જિલ્લો અને પૂર્વમાં તમિળનાડુ રાજ્ય આવેલાં છે. જિલ્લાનો સમગ્ર વિસ્તાર પશ્ચિમ ઘાટના પર્વતો અને અરબી સમુદ્રના કિનારાનાં…

વધુ વાંચો >

પાલતુ પ્રાણી

Jan 9, 1999

પાલતુ પ્રાણી : માણસ દ્વારા અનેકવિધ હેતુઓ માટે પાળવામાં આવતાં પ્રાણી. પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા એવી છે કે અપવાદરૂપ પ્રાણી જ અલિપ્ત કે એકલદોકલ પરિસ્થિતિમાં જીવતું જોવા મળે છે. મોટેભાગે પ્રાણીઓ નાનામોટા સમાજો રચીને એકબીજાને આધારે જીવે છે. માનવી વિશિષ્ટ પ્રાણી છે. ઉત્ક્રાંતિનાં પાછલાં વર્ષોમાં તેની બુદ્ધિનો વિકાસ થયો; પણ દૃષ્ટિ, ઘ્રાણ,…

વધુ વાંચો >

પાલનપુર

Jan 9, 1999

પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહલાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો…

વધુ વાંચો >

પાલના

Jan 9, 1999

પાલના : રશિયાના કોર્યાક સ્વાયત્ત પ્રદેશનું નગર તથા પ્રમુખ કેન્દ્ર. તે પાલના નદીના મુખપ્રદેશથી 8 કિમી. અંતરે કામચાટકા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પર વસેલું છે. તે રશિયાના દૂર પૂર્વના પ્રજાસત્તાકનું મુખ્ય કેન્દ્ર છે. તેની પશ્ચિમે ઓખૉત્સ્ક સમુદ્ર, છેક ઉત્તરે કામેનકોજ નગર, ઈશાન દિશામાં ઓસોરા બંદર, અગ્નિ દિશામાં ઉકા બંદર તથા દક્ષિણે…

વધુ વાંચો >

પાલની (ટેકરીઓ)

Jan 9, 1999

પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ…

વધુ વાંચો >

પાલ બચેન્દ્રી

Jan 9, 1999

પાલ, બચેન્દ્રી (જ. 24 મે 1954, ઉત્તરકાશી, ઉત્તરપ્રદેશ) : એવરેસ્ટ આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક. બચેન્દ્રી પાલે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી, ઉત્તરકાશીમાં આવેલી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગમાં પર્વતારોહણનો પ્રાથમિક અને એડવાન્સ કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. 1982-1983માં એવરેસ્ટની તૈયારી રૂપે યોજાયેલાં બે આરોહણોમાં ભાગ લીધો અને 23,000 ફૂટની ઊંચાઈ…

વધુ વાંચો >

પાલ બિપિનચંદ્ર રામચંદ્ર

Jan 9, 1999

પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…

વધુ વાંચો >

પાલ બેન્જામિન પિયરી

Jan 9, 1999

પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુક્ધદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર…

વધુ વાંચો >