૧૧.૦૯

પાર્થેનિયમથી પાંડ્ય શિલ્પકલા

પાળિયા

પાળિયા : પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાનના કાર્યને – એના કરનારાઓને પૂજ્યા છે. આદિકાળથી આજ પર્યંત વીર પૂર્વજોને, તેમના વંશજો કે અનુયાયીઓએ સન્માન્યા છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ઢબે પોતાના પૂર્વજોને પૂજે…

વધુ વાંચો >

પાળિયાદ

પાળિયાદ : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં ગોમા નદીના દક્ષિણ કાંઠે આવેલું ગામ. ભૌ. સ્થાન : 22o 10′ ઉ. અ. અને 71o 35′ પૂ. રે. તે બોટાદથી વાયવ્ય કોણમાં 16 કિમી.ને અંતરે અને રાણપુરથી નૈર્ઋત્ય કોણમાં 17 કિમી.ને અંતરે આવેલું છે. તે બોટાદ-જસદણ રેલમાર્ગ પરનું રેલમથક છે, પરંતુ ગામ…

વધુ વાંચો >

પાંખ (wings)

પાંખ (wings) : ઉડ્ડયન માટે અનુકૂલન પામેલાં પ્રાણીઓનાં પ્રચલનાંગો. સંધિપાદ સમુદાયના મોટા ભાગના કીટકો અને પૃષ્ઠવંશી પક્ષીઓ ઊડવા માટે જાણીતાં છે. સસ્તન વર્ગનું પ્રાણી ચામાચીડિયું પણ ઊડવા માટે અનુકૂલન પામેલું છે. ઉડ્ડયન કરતા કીટકોમાં પાંખની એક અથવા બે જોડ આવેલી હોય છે, જે ઉરસના પૃષ્ટ ભાગમાંથી બહિરુદભેદ રૂપે પેદા થાય…

વધુ વાંચો >

પાંગી વૅલી

પાંગી વૅલી : હિમાલયના તળેટી-વિસ્તારમાં ઝંસ્કાર અને પાંગી નામની બે સમાંતર હારમાળા વચ્ચે આવેલું સ્થળ. તે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. પર્વતખેડુઓ માટે અહીંનાં શિખરો અને ઢોળાવો ખરેખર પડકારરૂપ છે. પાંગી વૅલીનાં જોવાલાયક સ્થળોમાં મીઢલવાસનું મંદિર તથા પુરથી મંદિર ઉલ્લેખનીય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પાંચાલનો મિત્રવંશ

પાંચાલનો મિત્રવંશ : ભારતમાં સોળ મહાજનપદોમાં પાંચાલ જનપદ ઘણું શક્તિશાળી હતું. ઉત્તર ભારતના રુહેલખંડ અને અન્તર્વેદીના કેટલાક વિસ્તાર પર પ્રાચીન પાંચાલ મહાજનપદનું આધિપત્ય હતું. ગંગા નદીને કારણે આ જનપદ બે ભાગ-ઉત્તર પાંચાલ અને દક્ષિણ પાંચાલમાં વહેંચાયેલું હતું. ઉત્તર પાંચાલ(હાલનો રુહેલખંડ)ની રાજધાની અહિચ્છત્ર (હાલનું રામનગર, જિ. બરેલી) હતી. અહીં સત્તા ભોગવતા…

વધુ વાંચો >

પાંચાલી

પાંચાલી : મધ્યકાલીન બંગાળી કાવ્યપ્રકાર. સંસ્કૃત શબ્દ `પાંચાલી’ પરથી બંગાળીમાં `પાંચાલી’ આવ્યો છે, જેનો અર્થ ઢીંગલી થાય છે. એ શબ્દ ગાવાની એક શૈલી માટે પણ પ્રચલિત છે. શરૂઆતમાં આ જાતનાં કાવ્યોનું ગાન પૂતળીનાચ જોડે સંકળાયેલું હતું અને એ કાવ્યપ્રકાર ‘પાંચાલિકા’ તરીકે પણ ઓળખાતો. આ કાવ્યપ્રકાર પંદરમા શતકના છેલ્લા દાયકામાં પ્રચારમાં…

વધુ વાંચો >

પાંચાલીશપથમ્ (1912)

પાંચાલીશપથમ્ (1912) : તમિળ કૃતિ. વ્યાસના મહાભારતને આધારે દ્રૌપદીની પ્રતિજ્ઞાનો પ્રસંગ તમિળના વિખ્યાત કવિ ભારતીએ વર્ણવેલો છે. કવિએ એમાં સમકાલીન રંગ પૂર્યા છે અને અત્યંત સરળ ભાષાનો પ્રયોગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવી છે. એનો પહેલો ભાગ 1912માં પ્રગટ થયો અને અત્યંત લોકપ્રિય થયો. બીજો ભાગ એમના મૃત્યુ પછી પ્રગટ થયો.…

વધુ વાંચો >

પાંડરા

પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે.  તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે…

વધુ વાંચો >

પાંડવપુરાણ

પાંડવપુરાણ : પાંડવોની વાર્તા જૈન પરંપરા મુજબ વર્ણવતો ગ્રંથ. તે સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. તેના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેઓ ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. પોતાના શિષ્ય શ્રીપાલવર્ણીની સહાયથી શુભચન્દ્રે આ કૃતિની રચના વાગડ પ્રાન્તના સાગવાડા નગરના આદિનાથ મંદિરમાં રહીને વિક્રમસંવત 1608(ઈ. સ. 1552)ના ભાદ્રપદ માસની બીજના દિવસે…

વધુ વાંચો >

પાંડવોનો દિગ્વિજય

પાંડવોનો દિગ્વિજય : પાંડવોએ રાજસૂય યજ્ઞ પહેલાં કરેલા વિજયો. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા પાંડવો માટે મયદાનવે અદ્ભુત સભાગૃહ બાંધ્યું. પછી પાંડવોને દિગ્વિજય કરી રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. એ પહેલાં શ્રીકૃષ્ણની સલાહ મુજબ પ્રબલ પ્રતિસ્પર્ધી જરાસંધનો વધ કરવામાં આવ્યો. પછી વડીલ બંધુ યુધિષ્ઠિરને સમ્રાટપદ અપાવવા ચાર ભાઈઓ ચાર દિશાઓ પર વિજય…

વધુ વાંચો >

પાર્થેનિયમ

Jan 9, 1999

પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…

વધુ વાંચો >

પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા

Jan 9, 1999

પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…

વધુ વાંચો >

પાર્વતી

Jan 9, 1999

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાર્વતીકુમાર

Jan 9, 1999

પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…

વધુ વાંચો >

પાર્વતીપરિણય (1400)

Jan 9, 1999

પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…

વધુ વાંચો >

પાર્શ્વચન્દ્રસૂરિ

Jan 9, 1999

પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

Jan 9, 1999

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પાર્શ્વનાથ

Jan 9, 1999

પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…

વધુ વાંચો >

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

Jan 9, 1999

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…

વધુ વાંચો >

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)

Jan 9, 1999

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…

વધુ વાંચો >