૧૧.૦૯

પાર્થેનિયમથી પાંડ્ય શિલ્પકલા

પાર્થેનિયમ

પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…

વધુ વાંચો >

પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા

પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…

વધુ વાંચો >

પાર્વતી

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાર્વતીકુમાર

પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…

વધુ વાંચો >

પાર્વતીપરિણય (1400)

પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…

વધુ વાંચો >

પાર્શ્વચન્દ્રસૂરિ

પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પાર્શ્વનાથ

પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…

વધુ વાંચો >

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…

વધુ વાંચો >

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…

વધુ વાંચો >

પાલમપુર

Jan 9, 1999

પાલમપુર : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું સૌંદર્યધામ. ભૌ. સ્થાન : 32o 07′ ઉ. અ. અને 76o 32′ પૂ. રે.. તે રાજ્યના કાંગરા વૅલી વિસ્તારમાં 1,219 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ચાના બગીચા તથા પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલા પાલમપુરની પાછળ આખુંય વર્ષ હિમાચ્છાદિત રહેતાં શિખરોવાળી ધવલધર પર્વતમાળા આવેલી છે. તે કુલુ,…

વધુ વાંચો >

પાલયનકોટ્ટઈ

Jan 9, 1999

પાલયનકોટ્ટઈ : તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 9o 43′ ઉ. અ. અને 77o 44′ પૂ. રે.. તે પાલમકોટ્ટાહ તરીકે પણ ઓળખાય છે. તિરુનેલવેલી શહેરના પૂર્વ ભાગમાં તેના જોડિયા શહેર તરીકે તામ્રપર્ણી નદીની આસપાસ તે વસેલું છે. અગાઉ તે આ જિલ્લાનું મુખ્ય વહીવટી જિલ્લામથક હતું, પરંતુ તિરુનેલવેલીમાં ભેળવી…

વધુ વાંચો >

પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી)

Jan 9, 1999

પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી) : બંગાળ પર શાસન કરનાર બૌદ્ધ ધર્મના પાલ વંશના શાસકો. બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજા હતો. બંગાળના સરદારો અને લોકોએ સર્વસંમતિથી તેની રાજા તરીકે પસંદગી કરી હતી. ગોપાલે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કરી લોકોને શાંતિ તથા સલામતી આપી.…

વધુ વાંચો >

પાલ શિલ્પ શૈલી

Jan 9, 1999

પાલ શિલ્પ શૈલી : બિહાર અને બંગાળમાં 8મીથી 13મી સદી દરમિયાન પાલ રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પ શૈલી. આ શૈલીનાં શિલ્પોમાં કેન્દ્રસ્થાને માનવઆકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યક્તિ સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત…

વધુ વાંચો >

પાલાટીના ચૅપલ

Jan 9, 1999

પાલાટીના ચૅપલ : 113-240 વચ્ચે પાલેર્મો(દક્ષિણ ઇટાલી અને સિસિલી ટાપુ)માં રોમનેસ્ક શૈલીમાં બંધાયેલ દેવળ. તે રાજમહેલના એક ભાગરૂપે હતું. તત્કાલીન બાઇઝેન્ટાઇન શૈલીની અસરને પરિણામે આ દેવળનો ઘુમ્મટ 5.5 મીટરના વ્યાસનો હતો અને દેવળની અંદરનું સુંદર નકશીકામ મુસ્લિમ અસર પ્રમાણે થયેલું. આ સમયના યુરોપીય સ્થાપત્યમાં આ પ્રકારનો સમન્વય એ સહજ બાબત…

વધુ વાંચો >

પાલિ

Jan 9, 1999

પાલિ : રાજસ્થાનમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે નાગૌર, ઈશાનમાં અજમેર, પૂર્વ અને અગ્નિમાં ઉદેપુર, પૂર્વમાં રાજસમંદ, નૈર્ઋત્યમાં સિરોહી, પશ્ચિમમાં જાલોર અને બાડમેર તથા વાયવ્યમાં જોધપુર જિલ્લા આવેલા છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર આશરે 12,387 ચોકિમી. જેટલો છે. 1948 પહેલાં આ જિલ્લો જોધપુરના દેશી રજવાડાનો…

વધુ વાંચો >

પાલિત દિવ્યેન્દુ

Jan 9, 1999

પાલિત, દિવ્યેન્દુ (જ. 5 માર્ચ, 1939, ભાગલપુર, બિહાર ; અ. 3 જાન્યુઆરી 2019 કૉલકાત્તા) : બંગાળી કવિ, નવલકથાકાર, પત્રકાર, ટૂંકી વાર્તા તથા ફિલ્મ અને નાટકોના સમીક્ષક. પશ્ચિમ બંગાળના જાદવપુર વિશ્વવિદ્યાલયમાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરી તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. પત્રકારત્વનો વ્યવસાય સ્વીકારી ‘આનંદ બાજાર’ પત્રિકા કૉલકાત્તામાં તેઓ વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે…

વધુ વાંચો >

પાલિતાણા

Jan 9, 1999

પાલિતાણા : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો એક તાલુકો તથા નગર, જે તાલુકામથક તથા જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ પણ છે. આ તાલુકાની ઉત્તરે તથા ઈશાનમાં શિહોર, અગ્નિમાં તળાજા તાલુકાઓ, પશ્ચિમે ગારિયાધાર તાલુકો, અગ્નિખૂણે સાવરકુંડલા તાલુકો, અને દક્ષિણે મહુવા તાલુકો આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડ્યું છે.  પાલિતાણાથી અર્ધો કિમી. દૂર 603…

વધુ વાંચો >

પાલિ સાહિત્ય

Jan 9, 1999

પાલિ સાહિત્ય : બૌદ્ધ ધર્મવિષયક પાલિ ભાષામાં લખાયેલું સાહિત્ય. વિદ્વાનોએ ‘પાલિ’ શબ્દનો સંબંધ પંક્તિ, પરિયાય, પલ્લિ, પાટલિપુત્ર વગેરે સાથે બતાવ્યો છે; પણ તેની ખરી વ્યુત્પત્તિ, જેમાં બુદ્ધ-વચનો-વાણી સુરક્ષિત રહી છે તે પાલિ (पाति रक्खतीति बुद्धवचनं इति पालि ।) એવી છે. પાલિ ભાષા મૂલત: કયા પ્રદેશની હશે એ બાબતે વિદ્વાનોમાં ઠીક…

વધુ વાંચો >

પાલેકર અમોલ

Jan 9, 1999

પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતાદિગ્દર્શક. જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1965. 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. 1972માં તેમણે પોતાનું સ્વતંત્ર ‘અનિકેત’ ગ્રૂપ સ્થાપ્યું…

વધુ વાંચો >