૧૧.૦૪

પંડિત, ગટ્ટુલાલજીથી પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પંડિત શ્રીનાથ

પંડિત, શ્રીનાથ : દક્ષિણ ભારતીય આયુર્વેદજ્ઞાતા. પંડિત શ્રીનાથનું નામ વર્તમાન પંડિત ડી. ગોપાલાચાર્લુએ કરેલ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથકર્તાઓની યાદીમાં છે. પંડિત શ્રીનાથ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથોના કર્તા હતા. તેમણે ‘રસરત્ન’ તથા ‘પરહિતસંહિતા’ (અન્ય ઇતિહાસકારના મતે ‘પારાશરસંહિતા’) નામના બે સંગ્રહગ્રંથો લખ્યા હોવાના ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ છે. પંડિત શ્રીનાથે લખેલ ‘પરહિતસંહિતા’ નામના…

વધુ વાંચો >

પંડિત સુખલાલજી

પંડિત સુખલાલજી (જ. 8 ડિસેમ્બર 1880, લીમલી; અ. 2 માર્ચ 1978, અમદાવાદ) : ભારતના પ્રથમ પંક્તિના દાર્શનિક વિદ્વાન. પંડિત સુખલાલજી સંઘવી જૈન ધર્મ પાળતા સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મેલા. તેમનું વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલું લીમલી નામનું ગામ હતું. લીમલીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ પછી આગળ અભ્યાસ કરવા જતાં સોળ…

વધુ વાંચો >

પંડિત સુંદરલાલ

પંડિત, સુંદરલાલ (જ. 26 સપ્ટેમ્બર 1886, ખટોલી, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ; અ. 9 મે 1981) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસૈનિક, પત્રકાર, વિદ્વાન લેખક, હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમવર્ગના કાયસ્થ કુટુંબમાં. તેમના પિતા તોતારામ સામાન્ય સરકારી નોકર હતા. માતાનું નામ ભગવતીદેવી હતું. સુંદરલાલે નાની ઉંમરે ફારસી, હિંદી અને ઉર્દૂ ભાષાઓનું…

વધુ વાંચો >

પંડિત સોમનાથ (પંદરમી સદી)

પંડિત, સોમનાથ (પંદરમી સદી) : કાશ્મીરી કવિ. કાશ્મીરનો સુલતાન જૈનુલાબેદીન બાદશાહ (1420થી 1470) પ્રજાપ્રિય બાદશાહ હતો. હિંદુ તથા મુસલમાન પ્રત્યે સમાનતાથી અને પ્રેમથી વર્તતો હતો. એણે સાહિત્ય તથા કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું. વિદ્વાનોને તથા કલાકારોને આશ્રય આપતો હતો. એના દરબારમાં પંડિત સોમનાથ રાજકવિ હતા. એમણે બાદશાહની પ્રશસ્તિમાં ‘જૈનચરિત’ નામનું ચરિત્રકાવ્ય…

વધુ વાંચો >

પંડ્યા (ડૉ.) અનંત હીરાલાલ

પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (જ. 11 જુલાઈ 1909, ભાવનગર; અ. 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી…

વધુ વાંચો >

પંડ્યા અમૃત વસંત

પંડ્યા, અમૃત વસંત ( જ. 28 સપ્ટેમ્બર 1917, જામનગર; અ. 28 જુલાઈ 1975, વલ્લભવિદ્યાનગર) : ગુજરાતના એક સમર્થ પુરાતત્વવિદ, ભૂસ્તરશાસ્ત્રી અને સંશોધક. ઔપચારિક પ્રશિક્ષણ વિના જ કેવળ વિષયમાં ઊંડી રુચિને કારણે પોતે જે કાર્ય કર્યું તેનાથી રાષ્ટ્રીય કક્ષાએ  તેમને વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. મધ્યમ વર્ગમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો…

વધુ વાંચો >

પંડ્યા અરવિંદ

પંડ્યા, અરવિંદ (જ. 21 માર્ચ 1923, ભાદરણ; અ. 22 જુલાઈ 1980) : ગુજરાતી ચિત્રોના ચરિત્ર-અભિનેતા. બચપણથી સંગીત-અભિનયના સંસ્કાર પામેલા અરવિંદ પંડ્યા 1937માં મુંબઈ આવ્યા. દેવધર ક્લાસીઝમાં પ્રારંભિક સંગીત-શિક્ષણ લઈને પછી પંઢરીનાથ કોલ્હાપુરે પાસે સંગીતની તાલીમ મેળવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એક સંગીતજલસામાં ફિલ્મી સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળીને ‘માનસરોવર’(1946)માં પાર્શ્વગાયક…

વધુ વાંચો >

પંડ્યા ઉપેન્દ્રભાઈ છગનલાલ

પંડ્યા, ઉપેન્દ્રભાઈ છગનલાલ (જ. 25 ડિસેમ્બર 1919, નડિયાદ; અ. 13 નવેમ્બર 1998, રાજકોટ) : ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક. વતન નડિયાદ. પિતા છગનલાલ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને મામા ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના યુગપુરુષ. બંનેની ઉપેન્દ્રભાઈ પર છાયા. 1937માં મૅટ્રિક થઈ ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત કૉલેજ(અમદાવાદ)માં જોડાયા અને 1941માં બી. એ. અને 1943માં…

વધુ વાંચો >

પંડ્યા કમળાશંકર

પંડ્યા, કમળાશંકર (જ. 20 ઑક્ટોબર 1904, રાજપીપળા; અ. 1 ઑગસ્ટ 1992, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતાનું નામ લલ્લુભાઈ અને માતાનું રાધિકાબહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ વાલિયા અને નાંદોદમાં તથા હાઈસ્કૂલનું શિક્ષણ વલસાડમાં લીધું હતું. તેઓ ‘ગુજરાતી’, ‘વીસમી સદી’ અને ‘નવજીવન’ કિશોરવયે વાંચતા અને તેની ફાઈલો રાખતા.…

વધુ વાંચો >

પંડ્યા કાન્તિલાલ છગનલાલ

પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (જ. 24 ઑગસ્ટ 1886, નડિયાદ; અ. 14 ઑક્ટોબર 1958, મુંબઈ) : સાહિત્યોપાસક અને વૈજ્ઞાનિક. પિતા છગનલાલ હરિલાલ પંડ્યા બાણભટ્ટકૃત ‘કાદંબરી’ના ભાષાંતરકર્તા હતા અને જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન સુધી બઢતી પામ્યા હતા. માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ મા. ત્રિપાઠીનાં નાનાં બહેન હતાં. કાન્તિલાલે 1896 સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદ સરકારી ‘મિડલ…

વધુ વાંચો >

પંડિત ગટ્ટુલાલજી

Jan 4, 1999

પંડિત, ગટ્ટુલાલજી (જ. 1844, જૂનાગઢ; અ. 1898, ભાવનગર) : ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધાદ્વૈતી પુષ્ટિમાર્ગના પ્રકાંડ વિદ્વાન. શતાવધાની દાર્શનિક, પ્રજ્ઞાચક્ષુ મહાપંડિત. મૂળ ગોકુળના તૈલંગ બ્રાહ્મણ. પિતા પંચનદી ઘનશ્યામ શર્મા કોટા-રાજસ્થાનમાં સ્થિર થયેલા. માતા લાડુબેટીજી જૂનાગઢના ગોસ્વામી વ્રજવલ્લભ મહારાજનાં પુત્રી. બાળપણનું નામ ગોવર્ધન શર્મા પણ સ્નેહથી સહુ ‘ગટ્ટુલાલ’ કહેતા, જે નામ પાછળથી…

વધુ વાંચો >

પંડિત પરમાનંદ ‘ઝાંસી’

Jan 4, 1999

પંડિત, પરમાનંદ ‘ઝાંસી’ (જ. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; અ. 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા.…

વધુ વાંચો >

પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963)

Jan 4, 1999

પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963) : તેલુગુ લેખક ત્રિપુરાનેની ગોપીચંદ(1910-1962)ની નવલકથા. આ નવલકથાના લેખકને 1963નો સાહિત્ય અકાદમીનો મરણોત્તર ઍવૉર્ડ અપાયો હતો. આ નવલકથાનો નાયક કેશવમૂર્તિ ઉચ્ચ કક્ષાનો લેખક છે. આદર્શવાદી છે અને સાત્વિક જીવન જીવે છે. એ પરમેશ્વર શાસ્ત્રીની પુત્રી સત્યવતીની જોડે પ્રેમલગ્ન કરે છે. બંને ભિન્ન ભિન્ન જ્ઞાતિનાં હોવાથી…

વધુ વાંચો >

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી)

Jan 4, 1999

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી) : કાશ્મીરી કવિ. કાશ્મીરના  કુર્કગ્રામમાં જન્મ. ત્યાં જ એમની લેખનપ્રવૃત્તિ ચાલતી હતી. એ ‘દિવાકર’ નામથી પણ જાણીતા હતા. એમણે કાશ્મીરના રાજા સુખજીવનના રાજ્યકાળ (1754-1762) દરમિયાન ‘રામાવતાર-ચરિતકાવ્ય’ની રચના કરી હતી. એવી લોકવાયકા છે કે પંડિત પ્રકાશરાવ આંધળા હતા. એમના કાવ્યનો મૂલાધાર વાલ્મીકિ-રામાયણ છે. એમણે એમના કાવ્યમાં અનેક પ્રસંગો…

વધુ વાંચો >

પંડિત બેચરદાસ દોશી

Jan 4, 1999

પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…

વધુ વાંચો >

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’

Jan 4, 1999

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’ (જ. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; અ. 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા. બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી…

વધુ વાંચો >

પંડિત રામનારાયણ

Jan 4, 1999

પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…

વધુ વાંચો >

પંડિત વિજયાલક્ષ્મી

Jan 4, 1999

પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…

વધુ વાંચો >

પંડિત શંકરરાવ વિષ્ણુ

Jan 4, 1999

પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…

વધુ વાંચો >

પંડિત શિવશર્મા

Jan 4, 1999

પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા…

વધુ વાંચો >