૧૧.૦૪

પંડિત, ગટ્ટુલાલજીથી પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પંડિત ગટ્ટુલાલજી

પંડિત, ગટ્ટુલાલજી (જ. 1844, જૂનાગઢ; અ. 1898, ભાવનગર) : ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધાદ્વૈતી પુષ્ટિમાર્ગના પ્રકાંડ વિદ્વાન. શતાવધાની દાર્શનિક, પ્રજ્ઞાચક્ષુ મહાપંડિત. મૂળ ગોકુળના તૈલંગ બ્રાહ્મણ. પિતા પંચનદી ઘનશ્યામ શર્મા કોટા-રાજસ્થાનમાં સ્થિર થયેલા. માતા લાડુબેટીજી જૂનાગઢના ગોસ્વામી વ્રજવલ્લભ મહારાજનાં પુત્રી. બાળપણનું નામ ગોવર્ધન શર્મા પણ સ્નેહથી સહુ ‘ગટ્ટુલાલ’ કહેતા, જે નામ પાછળથી…

વધુ વાંચો >

પંડિત પરમાનંદ ‘ઝાંસી’

પંડિત, પરમાનંદ ‘ઝાંસી’ (જ. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; અ. 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા.…

વધુ વાંચો >

પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963)

પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963) : તેલુગુ લેખક ત્રિપુરાનેની ગોપીચંદ(1910-1962)ની નવલકથા. આ નવલકથાના લેખકને 1963નો સાહિત્ય અકાદમીનો મરણોત્તર ઍવૉર્ડ અપાયો હતો. આ નવલકથાનો નાયક કેશવમૂર્તિ ઉચ્ચ કક્ષાનો લેખક છે. આદર્શવાદી છે અને સાત્વિક જીવન જીવે છે. એ પરમેશ્વર શાસ્ત્રીની પુત્રી સત્યવતીની જોડે પ્રેમલગ્ન કરે છે. બંને ભિન્ન ભિન્ન જ્ઞાતિનાં હોવાથી…

વધુ વાંચો >

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી)

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી) : કાશ્મીરી કવિ. કાશ્મીરના  કુર્કગ્રામમાં જન્મ. ત્યાં જ એમની લેખનપ્રવૃત્તિ ચાલતી હતી. એ ‘દિવાકર’ નામથી પણ જાણીતા હતા. એમણે કાશ્મીરના રાજા સુખજીવનના રાજ્યકાળ (1754-1762) દરમિયાન ‘રામાવતાર-ચરિતકાવ્ય’ની રચના કરી હતી. એવી લોકવાયકા છે કે પંડિત પ્રકાશરાવ આંધળા હતા. એમના કાવ્યનો મૂલાધાર વાલ્મીકિ-રામાયણ છે. એમણે એમના કાવ્યમાં અનેક પ્રસંગો…

વધુ વાંચો >

પંડિત બેચરદાસ દોશી

પંડિત, બેચરદાસ દોશી (જ. 2 નવેમ્બર 1889, વળા – વલભીપુર, જિ. ભાવનગર; અ. 11 ઑક્ટોબર 1982, અમદાવાદ) : સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અપભ્રંશના બહુશ્રુત ગુજરાતી વિદ્વાન. પિતા : જીવરાજ લાધાભાઈ દોશી. માતા : ઓતમબાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. લગ્ન અમરેલીમાં અજવાળી ઝવેરચંદ દોશી સાથે થયેલાં. દસ વર્ષની ઉંમરે પિતા…

વધુ વાંચો >

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’

પંડિત બ્રિજમોહન દત્તાત્રેય ‘કૈફી’ (જ. 13 ડિસેમ્બર 1866, દિલ્હી; અ. 1 નવેમ્બર 1955, ગાઝિયાબાદ) : કૈફીના પૂર્વજો મુઘલ બાદશાહ ફર્રુખસિયરના સમયમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા અને રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત થયા. બ્રિજમોહનના પિતા પંડિત કનૈયાલાલ નાભા ભરતપુરના રાજાના સમયમાં કોટવાલ હતા; પરંતુ પિતાનું અકાળે અવસાન થતાં પંડિત કૈફી દિલ્હી આવી…

વધુ વાંચો >

પંડિત રામનારાયણ

પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…

વધુ વાંચો >

પંડિત વિજયાલક્ષ્મી

પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…

વધુ વાંચો >

પંડિત શંકરરાવ વિષ્ણુ

પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…

વધુ વાંચો >

પંડિત શિવશર્મા

પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા…

વધુ વાંચો >

પંડ્યા કૈલાસ

Jan 4, 1999

પંડ્યા, કૈલાસ (જ. 1925, મહુવા, જિ. ભાવનગર; અ. 2007) : અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યનિર્માતા. અભ્યાસ મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધી. કૉલેજકાળ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા યોગેન દેસાઈ, વજુ કોટક અને મધુકર રાંદેરિયા દિગ્દર્શિત નૃત્યનાટિકા તથા નાટકોમાં અભિનય (1940). 1941થી 1943 દરમિયાન મહેન્દ્ર મોદી, નટરાજ વશી…

વધુ વાંચો >

પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર

Jan 4, 1999

પંડ્યા, ચંદ્રશંકર નર્મદાશંકર (જ. 16 જૂન 1884, નડિયાદ; અ. 23 ડિસેમ્બર 1937) : કવિ, નિબંધકાર. ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં કર્યો. સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી જ ફૂટ્યા હતા. અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે ‘તાબૂત’ વિશે પહેલો નિબંધ લખ્યો હતો. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે નાટક અને કવિતા લખવાની શરૂઆત કરેલી. આ…

વધુ વાંચો >

પંડ્યા છગનલાલ હરિલાલ

Jan 4, 1999

પંડ્યા, છગનલાલ હરિલાલ (જ. 17 ઑક્ટોબર 1859, નડિયાદ; અ. 23 મે 1936, નડિયાદ) : ગુજરાતી વિદ્વાન. 11 વર્ષની વયે અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1871થી 1875 સુધી હાઈસ્કૂલમાં રહ્યા. 1876માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મ. ન. દ્વિવેદી અને તેઓ એકસાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા, ત્યારે તેમના સહાધ્યાયીઓમાં કેશવલાલ હ. ધ્રુવ,…

વધુ વાંચો >

પંડ્યા જયપ્રકાશ ‘જ્યોતિપુંજ’

Jan 4, 1999

પંડ્યા, જયપ્રકાશ ‘જ્યોતિપુંજ’ (જ. 28 સપ્ટેમ્બર 1952, તમતિયા, જિ. ગંગાનગર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કંકૂ કબંધ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત અને રાજસ્થાનીમાં એમ.એ. અને ઇતિહાસમાં પીએચ.ડી.ની ડિગ્રી, શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત પત્રકારત્વમાં ડિપ્લોમા અને…

વધુ વાંચો >

પંડ્યા જ્યોતિ હીરાલાલ

Jan 4, 1999

પંડ્યા, જ્યોતિ હીરાલાલ (જ. 1928, ગ્વાલિયર; અ. 20 ફેબ્રુઆરી 1998, વડોદરા) : ગુજરાતનાં સ્ત્રી-ચિત્રકાર. ભાઈ વિનાયક પંડ્યા પણ ચિત્રકાર તથા બીજા ભાઈ અનંત પંડ્યા મુદ્રિત ‘કુમાર’ની પહેલાં હસ્તલિખિત ‘કુમાર’ શરૂ કરનારા જે બે મિત્રો તેમાંના એક. બાળપણમાં ઘરમાં ચિત્ર, સંગીત, નૃત્ય, નાટકનું સંસ્કારલક્ષી વાતાવરણ. કિશોર-વયમાં રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના…

વધુ વાંચો >

પંડ્યા દોલતરામ કૃપાશંકર

Jan 4, 1999

પંડ્યા, દોલતરામ કૃપાશંકર (જ. 8 માર્ચ 1856, નડિયાદ; અ. 18 નવેમ્બર 1915, નડિયાદ) : ગુજરાતી કવિ. પોતાના વતન નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ લઈ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં વધુ અભ્યાસાર્થે જોડાયા. પિતાના અવસાનને કારણે અભ્યાસ છોડી વતન પાછા ફર્યા. શરૂઆતમાં વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો અને ત્યારપછી લુણાવાડામાં તેર વર્ષ દીવાનપદે રહ્યા. તેમણે ગુજરાત બૅંચ…

વધુ વાંચો >

પંડ્યા ધાર્મિકલાલ

Jan 4, 1999

પંડ્યા, ધાર્મિકલાલ (જ. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રીનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ…

વધુ વાંચો >

પંડ્યા ધ્રુવકુમાર

Jan 4, 1999

પંડ્યા, ધ્રુવકુમાર (જ. 12 ફેબ્રુઆરી 1923; અ. 10 જૂન 1990) : ગુજરાતના જાણીતા પર્વતારોહક તથા પર્વતારોહણ-પ્રશિક્ષક. ગુજરાતને 1,600 કિમી. જેટલો વિશાળ સાગરકાંઠો હોવાથી તરણપ્રવૃત્તિ માટે અનુકૂળતા હતી. સ્વતંત્રતા પૂર્વેના દિવસોમાં, સપાટ ગુજરાત દેશમાં પર્વતારોહકો હિમાલયનો સાદ સાંભળી અધીરા બન્યા હતા. ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના થયા પછી પર્વતારોહણક્ષેત્રે જે નામો આગળ…

વધુ વાંચો >

પંડ્યા નટવરલાલ

Jan 4, 1999

પંડ્યા, નટવરલાલ : જુઓ, ઉશનસ્.

વધુ વાંચો >

પંડ્યા નવલરામ લક્ષ્મીરામ

Jan 4, 1999

પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ (જ. 3 માર્ચ 1836, સૂરત; અ. 7 ઑગસ્ટ 1888, રાજકોટ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક અને સર્જક. પિતા મહેતાજીની નોકરી કરતા. માતા નંદકોર નિરક્ષર છતાંય ધર્મપરાયણ. સ્વભાવે શરમાળ. બાળપણમાં તંદુરસ્તી સારી રહેતી નહોતી. છતાંય એમની વિદ્યાપ્રીતિ અનન્ય; પ્રારંભે ગોવિંદ મહેતાની ગામઠી નિશાળમાં દાખલ થયા, પરંતુ ત્યાં…

વધુ વાંચો >