૧૧.૦૩

પંક-જ્વાળામુખીથી પંડિત, કેશવદેવ

પંક-જ્વાળામુખી

પંક–જ્વાળામુખી : નાના જ્વાળામુખી જેવો દેખાતો કાદવમાંથી બનેલો શંકુ આકારનો ટેકરો. તે સામાન્ય જ્વાળામુખીની પ્રતિકૃતિ હોય છે અને સંભવત: ભૂકંપપ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલી ફાટો મારફતે બહાર નીકળી આવેલા તરલ, અર્ધઘટ્ટ કે ઘટ્ટ પ્રવાહી પંકમાંથી તૈયાર થાય છે. જ્વાળામુખી-વિસ્તારમાંના ગરમ પાણીના ઝરા દ્વારા જ્વાળામુખી-ભસ્મ કે મૃણ્મય દ્રવ્યનો જથ્થો ભળીને પંકસ્વરૂપે બહાર…

વધુ વાંચો >

પંકતડ (mud-crack sun-crack)

પંકતડ (mud-crack, sun-crack) : પંક સુકાઈ જવાથી તૈયાર થતી તડ. છીછરા ખાડાઓ, ગર્ત કે થાળાંઓનાં તળ પર ભીનો કે ભેજવાળો કાદવ કે કાંપકાદવનો જે જથ્થો હોય છે તે વાતાવરણમાં ખુલ્લો રહેવાથી, તેને સૂર્યની ગરમી મળવાથી તેમાંનો પાણીનો ભાગ ઊડી જાય છે અને સૂક્ષ્મદાણાદાર કાદવનો ભાગ તનાવના બળ હેઠળ સંકોચાતો જાય…

વધુ વાંચો >

પંકપાષાણ

પંકપાષાણ : પંકમાંથી બનેલો પાષાણ. શેલ જેવા કણજન્ય ખડકપ્રકાર માટે પણ આ શબ્દ વપરાય છે.  કણકદ 1/256 મિમી.થી ઓછું હોય,  શેલ જેવો બિન-પ્લાસ્ટિક, કણપકડ-ક્ષમતા તેમજ ઓછી જળસંગ્રહક્ષમતાના ગુણધર્મો ધરાવતો હોય પરંતુ સ્તરસપાટીજન્ય વિભાજકતાનો જેમાં અભાવ હોય એવો ખડકપ્રકાર તે છે. આ પર્યાય સર રૉડરિક મરકિસને વેલ્સ(પશ્ચિમ ઇંગ્લૅન્ડ)માં સાઇલ્યુરિયન રચનાના ઘેરા…

વધુ વાંચો >

પંકપ્રવાહ

પંકપ્રવાહ : પંક પથરાવાથી અને પ્રસરણ પામવાથી તૈયાર થતી રચના. પહાડી પ્રદેશોમાં અવારનવાર થતા ભૂપાતના ભીના દ્રવ્યજથ્થાનો વિનાશકારી પ્રકાર. સૂક્ષ્મ માટીદ્રવ્ય તેમાં આગળ પડતું હોય છે. પહાડોના ઉગ્ર ઢોળાવો પર કે કોતરોમાં આ પ્રકારનું દ્રવ્ય જળધારક બનતાં નરમ બને તો તેમાંથી પ્રવાહની રચના થાય છે. આ પ્રકારના દ્રવ્યનો 50 %થી…

વધુ વાંચો >

પંકભૂમિ (marsh)

પંકભૂમિ (marsh) : પંકમિશ્રિત છીછરા જળથી લદબદ રહેતી ભૂમિ. કોહવાતી વનસ્પતિ સહિત ભેજવાળી રહેતી જમીનો, દરિયા-કંઠાર પરના ભેજવાળા રહેતા ખુલ્લા ભાગો, પર્વતોની વચ્ચેના ખીણવિસ્તારોના નીચાણવાળા ભાગો, સમશીતોષ્ણ વિસ્તારોમાંનાં તદ્દન છીછરાં રહેતાં બંધિયાર સરોવરો, અયનવૃત્તોમાંનાં ગરમ ભેજવાળી આબોહવાવાળાં સંખ્યાબંધ સ્થળો, જ્યાં ઝાડનાં ઝુંડ તેમજ વનસ્પતિ ઊગી નીકળતાં હોય; તેમની વચ્ચે વચ્ચે…

વધુ વાંચો >

પંક્તિ

પંક્તિ : જુઓ છંદ.

વધુ વાંચો >

પંખાકાર કાંપસમૂહ (Bajada Bahada)

પંખાકાર કાંપસમૂહ (Bajada, Bahada) : (1) શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પૂર-પટ(flood-sheet)ને પરિણામે શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા દ્વારા વિસ્તૃત પંખાકારમાં રચાતું મેદાની સ્વરૂપ. (2) પર્વત અને થાળાની વચ્ચેના વિસ્તારમાં પર્વત-તળેટીથી થાળા સુધીના ભાગમાં પંખાકારે કાંપના ભેગા થતા જવાથી રચાતું લગભગ સપાટ મેદાની આવરણ. (3) પર્વતની હારમાળાના તળેટી-વિસ્તારમાં પર્વતની ધારે ધારે કાંપના સંગમથી શ્રેણીબંધ…

વધુ વાંચો >

પંખો (air-fan)

પંખો (air-fan) : હવા ફેંકતું સાધન. હવાના દબાણમાં ફેરફાર કરીને હવાના પ્રવાહ દ્વારા ઠંડક ઉત્પન્ન કરવા માટેનાં અનેક ઉપકરણોમાં પંખો મુખ્ય છે. રાજમહેલોથી માંડી સામાન્ય જનસમાજમાં હાથથી ચલાવાતા જાતજાતના પંખાઓ ખાસ કરીને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા વપરાતા રહ્યા છે. હાલ વિદ્યુત-પંખાઓ આ માટે વપરાય છે. વિદ્યુત-પંખાઓ બે, ત્રણ કે ચાર…

વધુ વાંચો >

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં…

વધુ વાંચો >

પંચકર્મ

પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે. (1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ,…

વધુ વાંચો >

પંચરાત્ર

Jan 3, 1999

પંચરાત્ર : વૈદિક આગમોનો એક પ્રકાર. ભારતીય સંસ્કૃતિ આગમ (તંત્ર) અને નિગમ (વેદ) – ઉભયમૂલિકા છે. ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિના સમ્યગ્ જ્ઞાન માટે જેટલું નિગમનું મહત્વ છે તેટલું જ આગમનું પણ છે. બલકે, વર્તમાન બધાં જ ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિ પર વેદોની અપેક્ષાએ આગમશાસ્ત્રોનો અત્યધિક પ્રગાઢ પ્રભાવ જોવા…

વધુ વાંચો >

પંચશીલ

Jan 3, 1999

પંચશીલ : ભિન્ન ભિન્ન રાજકીય વિચારસરણી અને આર્થિક વિચારધારાઓ ધરાવતા જુદા જુદા દેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ માટે નિર્ધારિત કરવામાં આવેલી આચારસંહિતા. 1954માં તિબેટની સમસ્યા અંગે ભારત-ચીન વચ્ચે ઐતિહાસિક મૈત્રીકરાર થયા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રજૂ કરેલા ‘શાંતિમય સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ પર આધારિત આ કરાર પર ભારત-ચીને હસ્તાક્ષર કર્યા હતા. 1955માં…

વધુ વાંચો >

પંચસખાયુગ

Jan 3, 1999

પંચસખાયુગ : જુઓ, ઊડિયા ભાષા અને સાહિત્ય.

વધુ વાંચો >

પંચસખા-સંપ્રદાય

Jan 3, 1999

પંચસખા–સંપ્રદાય : ઓરિસામાં સ્થપાયેલો ભક્તિમાર્ગી પંથ. સોળમી સદીની શરૂઆતમાં ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીમાં થોડાં વર્ષો નિવાસ કર્યો હોવાથી ત્યાં ચૈતન્ય મત ફેલાવા લાગ્યો. ચૈતન્યના પ્રભાવથી ત્યાંના રાજા રુદ્રપ્રતાપદેવે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો. એના દરબારના પાંચ કવિઓ બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુતાનંદ ચૈતન્યના પ્રભાવથી વૈષ્ણવ થયા હતા. તેઓ પંચસખાને નામે પ્રસિદ્ધ…

વધુ વાંચો >

પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)

Jan 3, 1999

પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે.…

વધુ વાંચો >

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548)

Jan 3, 1999

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548) : વરાહમિહિરરચિત જ્યોતિષશાસ્ત્રનો ‘કરણ’ ગ્રંથ. તેમણે આ ગ્રંથનો ઉલ્લેખ ક્યાંય ‘પંચસિદ્ધાંતિકા’ના નામથી કર્યો નથી. જોકે એમાં ‘પ્રાચીનસિદ્ધાંત – પંચક’ના નિયમો તેમજ સૌરાદિ પાંચ સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પૂર્વાચાર્યોએ જે જે બાબતો કહી નથી, તે તે બાબતો તેમણે ઉમેરી છે. ગણિતસ્કંધ એવા નામે પણ ઓળખવામાં આવતો…

વધુ વાંચો >

પંચામૃત-પર્પટી

Jan 3, 1999

પંચામૃત–પર્પટી : આયુર્વેદિક રસ-ઔષધિ. તેમાં શુદ્ધ કરેલો પારો 4 ભાગ, શુદ્ધ કરેલો ગંધક 8 ભાગ, લોહભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 1 ભાગ તથા તામ્રભસ્મ 1 ભાગ લઈ પ્રથમ લોખંડના ખરલમાં પારો અને ગંધકનો ખૂબ લસોટી કાજળ જેવું બનાવી તેમાં બાકીની ત્રણેય ભસ્મો થોડા થોડા પ્રમાણમાં નાખતા જઈ લોખંડના બત્તા વડે ખૂબ…

વધુ વાંચો >

પંચામૃત-લૌહ-ગૂગળ

Jan 3, 1999

પંચામૃત–લૌહ–ગૂગળ : માથા તેમજ મગજના રોગો પર વપરાતી આયુર્વેદિક ઔષધિ. તે ગોળીના સ્વરૂપમાં તૈયાર થાય છે. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, અભ્રકભસ્મ, સુવર્ણમાક્ષિકભસ્મ અને રૌપ્યભસ્મ  એ દરેક એક એક ભાગ, લૌહ ભસ્મ બે ભાગ તથા શુદ્ધ કરેલો ગૂગળ સાત ભાગ લઈ પ્રથમ પારદગંધકને લોખંડની ખરલમાં ઘૂંટી તેમાં બાકીની ભસ્મો મેળવીને ખૂબ…

વધુ વાંચો >

પંચાયતન (1)

Jan 3, 1999

પંચાયતન (1) : મંદિરોનો એક પ્રકાર. તેની રચનામાં મુખ્ય મંદિરના ચારેય ખૂણે એક એક નાના મંદિરની રચના કરાયેલ હોય છે. આ નાનાં મંદિરોમાં મુખ્ય મંદિરના આધારે દેવદેવીઓની પ્રતિમા સ્થપાયેલી હોય છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય સ્થાપત્યમાં આવા પ્રકારનાં મંદિરો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં ઓસિયાનાં પ્રતિહાર-શૈલીનાં મંદિરો, ખજુરાહોનાં તથા…

વધુ વાંચો >

પંચાયતન (2)

Jan 3, 1999

પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને…

વધુ વાંચો >