૧૧.૦૩

પંક-જ્વાળામુખીથી પંડિત, કેશવદેવ

પંજાબી ભાષા અને સાહિત્ય

પંજાબી ભાષા અને સાહિત્ય : પંજાબી ભાષા એટલે ઇન્ડો-આર્યન ભાષાકુલની એક આધુનિક ભારતીય ભાષા. લિપિ ગુરુમુખી. કેટલાક લોકો માત્ર અરબી લિપિનો ઉપયોગ કરે છે. તે ભારતના પંજાબ રાજ્ય અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રમુખ ભાષા છે. ગઝનીના મેહમૂદે ઈ. સ.ની અગિયારમી સદીની શરૂઆતમાં પંજાબ ઉપર જીત મેળવી તે સમયથી પ્રચલિત ભાષા.…

વધુ વાંચો >

પંડિત આનંદનારાયણ મુલ્લા

પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી…

વધુ વાંચો >

પંડિત એકનાથ

પંડિત, એકનાથ (જ. 1870–1936; અ. 30 એપ્રિલ 1950, ગ્વાલિયર) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ભારતીય ગાયક. એમના પિતા વિષ્ણુશાસ્ત્રી પંડિત જાણીતા કીર્તનકાર હતા. તેમના મોટા ભાઈ શંકર પંડિત પણ સુપ્રસિદ્ધ ગાયક હતા. પિતાએ બેઉ ભાઈઓને ગ્વાલિયર ઘરાણાના પ્રકાંડ ઉસ્તાદો હદ્દુખાં તથા હસ્સુખાં પાસેથી તાલીમ મળે એ માટેનો પ્રબંધ કર્યો હતો. ત્યારે…

વધુ વાંચો >

પંડિત કૃપાશંકર બહેચરદાસ

પંડિત, કૃપાશંકર બહેચરદાસ (જ. 1877, લાડોલ, તા. વિજાપુર; અ. 4 એપ્રિલ 1970, અમદાવાદ) : સ્વદેશીના પ્રચારક, ક્રાંતિકાર અને શિલ્પી. વિસનગરા નાગર જ્ઞાતિના બહેચરદાસ આજીવિકા મેળવવા સતારા જિલ્લાના તાસગાંવમાં રહેતા હોવાથી કૃપાશંકરનો બાળપણનો ઉછેર ત્યાં થયો. તેમના મોસાળ ભુજમાં રહી અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણી, ત્યાંના રાજકુમારોના શિક્ષક કેશવ હર્ષદ ધ્રુવની…

વધુ વાંચો >

પંડિત કૃષ્ણરાવ શંકરરાવ

પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (જ. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; અ. 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી…

વધુ વાંચો >

પંડિત કેશવદેવ

પંડિત, કેશવદેવ (જ. 1271; અ. 1309) : આયુર્વેદના વિદ્વાન ગ્રંથકાર. પંડિત કેશવદેવ વૈદ્ય હોવા ઉપરાંત દક્ષિણ ભારતના દેવગિરિના રાજાના પ્રધાન હતા. તેમનો પુત્ર બોપદેવ ‘શાર્ઙ્ગધરસંહિતા’નો પ્રખ્યાત ટીકાકાર હતો. પંડિત કેશવદેવે ‘સિદ્ધમંત્રપ્રકાશ’ નામનો એક વૈદકીય ગ્રંથ લખેલો છે. તેમાં તેમણે ઔષધદ્રવ્યોનું વર્ગીકરણ ગુણો અનુસાર કરેલું છે; જેમ કે વાતનાશક, પિત્તનાશક અને…

વધુ વાંચો >

પંક-જ્વાળામુખી

Jan 3, 1999

પંક–જ્વાળામુખી : નાના જ્વાળામુખી જેવો દેખાતો કાદવમાંથી બનેલો શંકુ આકારનો ટેકરો. તે સામાન્ય જ્વાળામુખીની પ્રતિકૃતિ હોય છે અને સંભવત: ભૂકંપપ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલી ફાટો મારફતે બહાર નીકળી આવેલા તરલ, અર્ધઘટ્ટ કે ઘટ્ટ પ્રવાહી પંકમાંથી તૈયાર થાય છે. જ્વાળામુખી-વિસ્તારમાંના ગરમ પાણીના ઝરા દ્વારા જ્વાળામુખી-ભસ્મ કે મૃણ્મય દ્રવ્યનો જથ્થો ભળીને પંકસ્વરૂપે બહાર…

વધુ વાંચો >

પંકતડ (mud-crack sun-crack)

Jan 3, 1999

પંકતડ (mud-crack, sun-crack) : પંક સુકાઈ જવાથી તૈયાર થતી તડ. છીછરા ખાડાઓ, ગર્ત કે થાળાંઓનાં તળ પર ભીનો કે ભેજવાળો કાદવ કે કાંપકાદવનો જે જથ્થો હોય છે તે વાતાવરણમાં ખુલ્લો રહેવાથી, તેને સૂર્યની ગરમી મળવાથી તેમાંનો પાણીનો ભાગ ઊડી જાય છે અને સૂક્ષ્મદાણાદાર કાદવનો ભાગ તનાવના બળ હેઠળ સંકોચાતો જાય…

વધુ વાંચો >

પંકપાષાણ

Jan 3, 1999

પંકપાષાણ : પંકમાંથી બનેલો પાષાણ. શેલ જેવા કણજન્ય ખડકપ્રકાર માટે પણ આ શબ્દ વપરાય છે.  કણકદ 1/256 મિમી.થી ઓછું હોય,  શેલ જેવો બિન-પ્લાસ્ટિક, કણપકડ-ક્ષમતા તેમજ ઓછી જળસંગ્રહક્ષમતાના ગુણધર્મો ધરાવતો હોય પરંતુ સ્તરસપાટીજન્ય વિભાજકતાનો જેમાં અભાવ હોય એવો ખડકપ્રકાર તે છે. આ પર્યાય સર રૉડરિક મરકિસને વેલ્સ(પશ્ચિમ ઇંગ્લૅન્ડ)માં સાઇલ્યુરિયન રચનાના ઘેરા…

વધુ વાંચો >

પંકપ્રવાહ

Jan 3, 1999

પંકપ્રવાહ : પંક પથરાવાથી અને પ્રસરણ પામવાથી તૈયાર થતી રચના. પહાડી પ્રદેશોમાં અવારનવાર થતા ભૂપાતના ભીના દ્રવ્યજથ્થાનો વિનાશકારી પ્રકાર. સૂક્ષ્મ માટીદ્રવ્ય તેમાં આગળ પડતું હોય છે. પહાડોના ઉગ્ર ઢોળાવો પર કે કોતરોમાં આ પ્રકારનું દ્રવ્ય જળધારક બનતાં નરમ બને તો તેમાંથી પ્રવાહની રચના થાય છે. આ પ્રકારના દ્રવ્યનો 50 %થી…

વધુ વાંચો >

પંકભૂમિ (marsh)

Jan 3, 1999

પંકભૂમિ (marsh) : પંકમિશ્રિત છીછરા જળથી લદબદ રહેતી ભૂમિ. કોહવાતી વનસ્પતિ સહિત ભેજવાળી રહેતી જમીનો, દરિયા-કંઠાર પરના ભેજવાળા રહેતા ખુલ્લા ભાગો, પર્વતોની વચ્ચેના ખીણવિસ્તારોના નીચાણવાળા ભાગો, સમશીતોષ્ણ વિસ્તારોમાંનાં તદ્દન છીછરાં રહેતાં બંધિયાર સરોવરો, અયનવૃત્તોમાંનાં ગરમ ભેજવાળી આબોહવાવાળાં સંખ્યાબંધ સ્થળો, જ્યાં ઝાડનાં ઝુંડ તેમજ વનસ્પતિ ઊગી નીકળતાં હોય; તેમની વચ્ચે વચ્ચે…

વધુ વાંચો >

પંક્તિ

Jan 3, 1999

પંક્તિ : જુઓ છંદ.

વધુ વાંચો >

પંખાકાર કાંપસમૂહ (Bajada Bahada)

Jan 3, 1999

પંખાકાર કાંપસમૂહ (Bajada, Bahada) : (1) શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પૂર-પટ(flood-sheet)ને પરિણામે શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા દ્વારા વિસ્તૃત પંખાકારમાં રચાતું મેદાની સ્વરૂપ. (2) પર્વત અને થાળાની વચ્ચેના વિસ્તારમાં પર્વત-તળેટીથી થાળા સુધીના ભાગમાં પંખાકારે કાંપના ભેગા થતા જવાથી રચાતું લગભગ સપાટ મેદાની આવરણ. (3) પર્વતની હારમાળાના તળેટી-વિસ્તારમાં પર્વતની ધારે ધારે કાંપના સંગમથી શ્રેણીબંધ…

વધુ વાંચો >

પંખો (air-fan)

Jan 3, 1999

પંખો (air-fan) : હવા ફેંકતું સાધન. હવાના દબાણમાં ફેરફાર કરીને હવાના પ્રવાહ દ્વારા ઠંડક ઉત્પન્ન કરવા માટેનાં અનેક ઉપકરણોમાં પંખો મુખ્ય છે. રાજમહેલોથી માંડી સામાન્ય જનસમાજમાં હાથથી ચલાવાતા જાતજાતના પંખાઓ ખાસ કરીને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા વપરાતા રહ્યા છે. હાલ વિદ્યુત-પંખાઓ આ માટે વપરાય છે. વિદ્યુત-પંખાઓ બે, ત્રણ કે ચાર…

વધુ વાંચો >

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)

Jan 3, 1999

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં…

વધુ વાંચો >

પંચકર્મ

Jan 3, 1999

પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે. (1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ,…

વધુ વાંચો >