ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >

ગ્રહણ

Feb 17, 1994

ગ્રહણ : ખગોલીય પિંડના તેજનું અન્ય ખગોલીય પિંડ દ્વારા આંશિક કે પૂર્ણતયા કપાઈ જવું. સૂર્ય જેવા જ્યોતિની સામે સ્વતેજવિહીન અપારદર્શક ગ્રહ કે ઉપગ્રહ આવે તો તેના પડછાયામાંથી જોનારને જ્યોતિબિંબનું તેજ ઓછું થતું અથવા ઢંકાઈ જતું દેખાય છે. સૂર્ય-પૃથ્વી રેખામાં ચંદ્ર આવે ત્યારે આપણી ર્દષ્ટિરેખામાં આવી પહોંચેલા ચંદ્રબિંબને કારણે, સૂર્યગ્રહણ થાય…

વધુ વાંચો >

ગ્રહણકારી તારાઓ

Feb 17, 1994

ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના…

વધુ વાંચો >

ગ્રહણચક્ર

Feb 17, 1994

ગ્રહણચક્ર (saros) : પૃથ્વી ઉપરના કોઈ નિશ્ચિત સ્થળેથી જોવા મળતી સૂર્યચંદ્રગ્રહણશ્રેણીઓનો આવર્તનકાળ. કઈ અમાસે આપણને સૂર્યગ્રહણ અને કઈ પૂનમે ચંદ્રગ્રહણ દેખાશે તેનો સમગ્ર આધાર, તે યુતિ સમયે ચંદ્રની પાતરેખા (line of nodes) તેમજ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની રેખા એકાકાર (coincide) થાય છે કે કેમ તેની ઉપર છે. સૂર્યચંદ્રની યુતિ એટલે અમાસ કે પૂનમ…

વધુ વાંચો >

ગ્રહણી (સંગ્રહણી)

Feb 17, 1994

ગ્રહણી (સંગ્રહણી) : માનવશરીરમાં હોજરીની નીચેનું અને નાના આંતરડાની વચ્ચેનું આઠ આંગળનું અંગ. તેને આયુર્વેદમાં ‘પિત્તધરાકલા’ અને અંગ્રેજીમાં ‘ડ્યુઓડિનમ’ કહે છે. આ અંગનું કાર્ય હોજરીએ પચાવેલ આહારરસમાં અન્ય પાચક રસો (પાચક પિત્ત) ભેળવીને અન્નનું વધુ સારી રીતે પાચન કરવાનું અને આહાર-અંશમાંથી સારભાગરૂપ રસ અને મળને અલગ પાડવાનું છે. ગ્રહણી ગ્રહણ…

વધુ વાંચો >

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર

Feb 17, 1994

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી…

વધુ વાંચો >

ગ્રહલાઘવ

Feb 17, 1994

ગ્રહલાઘવ : ઈ. સ 1863માં ગણેશ દૈવજ્ઞરચિત કરણ ગ્રંથ. ખગોળ ગણિતના લેખનમાં ‘સિદ્ધાંત’ ‘તંત્ર’ અને ‘કરણ’ એવાં વિશેષણો સાથેના ગણિતગ્રંથો હોય છે. એક અર્થમાં તો સિદ્ધાંત ‘તંત્ર’ બધા શબ્દો સમાનાર્થી છે; પરંતુ અમુક વર્ષ(સંવત કે શક)થી તે વખતના ઇષ્ટ સમયના મધ્યમ ગ્રહો નક્કી કરી તેમને ધ્રુવાંક માની તે પછીના સમયના…

વધુ વાંચો >

ગ્રહલાઘવી પંચાંગ

Feb 17, 1994

ગ્રહલાઘવી પંચાંગ : જુઓ પંચાંગ.

વધુ વાંચો >

ગ્રહવર્મા

Feb 17, 1994

ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ…

વધુ વાંચો >

ગ્રહશાન્તિ

Feb 17, 1994

ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક…

વધુ વાંચો >

ગ્રહશાસ્ત્ર (planetology)

Feb 18, 1994

ગ્રહશાસ્ત્ર (planetology) : ગ્રહનિર્માણ, તેની આંતરિક રચના, બંધારણ તથા ગ્રહપૃષ્ઠ અંગેનું શાસ્ત્ર. ગ્રહની ઉત્પત્તિ વિકાસના વિવિધ તબક્કા તેમજ ગ્રહસપાટી અને ગ્રહીય વાતાવરણની પરસ્પર અસરનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહનો ખૂબ પાસેથી અભ્યાસ કરવા માટે માનવનિર્મિત ઉપગ્રહ દ્વારા ગ્રહની નજીક મોકલેલાં સૂક્ષ્મગ્રાહી સાધનોનો ફાળો પણ મહત્વનો છે.…

વધુ વાંચો >