ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ

ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ : પદાર્થના નમૂનામાં રહેલાં તત્વ અથવા તત્વોના સમૂહની ઓળખ (નિર્ધારણ) સાથે સંકળાયેલી રસાયણશાસ્ત્રની શાખા. તેમાં વપરાતી કાર્યરીતિની જટિલતા નમૂનાના પ્રકાર પ્રમાણે બદલાય છે. કેટલાક કિસ્સામાં અમુક તત્ત્વ અથવા તત્વસમૂહની હાજરી જ ચકાસવાની હોય છે અને તે માટે નમૂના ઉપર સીધી પ્રયોજી શકાય તેવી વિશિષ્ટ કસોટીઓ (દા.ત., જ્યોત…

વધુ વાંચો >

ગુણમતિ

ગુણમતિ : ગુપ્તયુગના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ. સ્થિરમતિ અને ગુણમતિ નામના બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ ગુપ્તયુગમાં વલભી અને નાલંદામાં થઈ ગયા. સ્થિરમતિ અસંગ નામના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુના અને ગુણમતિ એવા જ વસુબંધુના શિષ્ય હતા. પ્રખ્યાત ચીની યાત્રી યુ અન શાંગ સાતમી સદીમાં છેક વલભી સુધી આવેલા. તેમણે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ લીધી…

વધુ વાંચો >

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’…

વધુ વાંચો >

ગુણવિષ્ણુ

ગુણવિષ્ણુ : છાન્દોગ્યમંત્રભાષ્ય ગ્રંથના કર્તા. આ છાન્દોગ્ય ઉપનિષદ પરનું ભાષ્ય નથી; પરંતુ સામવેદની કૌથુમ શાખાના મંત્રો પરનું ભાષ્ય છે. આમાંના મોટા ભાગના મંત્રો સામવેદના મંત્ર બ્રાહ્મણમાં મળી આવે છે. જે મંત્રો નથી મળતા તે માટે આ ગ્રંથના સંપાદક શ્રી દુર્ગમોહન ભટ્ટાચાર્યનો મત છે કે એ કોઈ લુપ્ત સામમંત્રો હશે. ગુણવિષ્ણુ…

વધુ વાંચો >

ગુણ સિંહ, હિજામ

ગુણ સિંહ, હિજામ (જ. માર્ચ 1927, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘વીર ટિકેન્દ્રજિત રોડ’ (1983) માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી 1944માં તેઓ રાજ્ય ન્યાયતંત્રમાં જોડાયા અને 1985માં સેવાનિવૃત્ત થયા. તેમણે 5 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો અને 1 નિબંધસંગ્રહ આપ્યાં…

વધુ વાંચો >

ગુણસુંદરી

ગુણસુંદરી : જાણીતું સામાજિક ગુજરાતી ચલચિત્ર. મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન (1924) નિર્માણ પામેલ આ ચલચિત્ર સવાક્ ફિલ્મકાળમાં બે વાર (1934 અને 1948) નિર્માણ પામ્યું હતું. મૂક ફિલ્મોના સમયગાળા દરમિયાન માત્ર પૌરાણિક ફિલ્મો જ સફળ નીવડી શકે તેવી માન્યતા ર્દઢ થવા લાગી હતી. તત્કાલીન મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા…

વધુ વાંચો >

ગુણસ્થાન

ગુણસ્થાન : આત્માના ગુણની અવસ્થા અથવા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આધ્યાત્મિક વિકાસ એક પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આવી ભૂમિકાઓ અસંખ્યાત છે; પરંતુ વર્ણન કરવાની સગવડ ખાતર જૈનદર્શને 14 ગુણસ્થાનો માનેલાં છે. એ નીચે પ્રમાણે છે : (1) મિથ્યાર્દષ્ટિ : આધ્યાત્મિકતાની વિરોધી ર્દષ્ટિ. આ ભૂમિકાએ આધ્યાત્મિક-કલ્યાણગામી ર્દષ્ટિનો અભાવ હોય…

વધુ વાંચો >

ગુણાકર

ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, બુજરૂક, જિ. અમરાવતી; અ. 16 ઑક્ટોબર 2009) : આયુર્વેદીય ગ્રંથના કર્તા. આયુર્વેદના રોગનિદાનના મહત્વના ગ્રંથ ‘માધવનિદાન’ ઉપર વાચસ્પતિએ ‘આતંકદર્પણ’ નામની ટીકા લખી છે. આ વાચસ્પતિનો સમય ઈ. સ. 1260ની આસપાસ છે. માધવનિદાનના બીજા ટીકાકાર વિજયરક્ષિતે (ઈ. સ. 1240 આશરે) સૌપ્રથમ પોતાની ‘મધુકોશ’ નામની ટીકામાં ‘ગુણાકર’નો…

વધુ વાંચો >

ગુથરી, ટાઇરોન સર

ગુથરી, ટાઇરોન સર (જ. 2 જુલાઈ 1900, ટનબ્રિજ વેલ્સ, કૅન્ટ; અ. 15 મે 1971, ન્યૂ બ્લિસ, મૉનહન, આયર) : બ્રિટનના ક્રાન્તિકારી અને પ્રયોગશીલ નાટ્યદિગ્દર્શક. ઓલ્ડવિક અને સેડલર્સ વેલ્સ જેવાં થિયેટરોમાં તેમણે બાર વરસ સુધી દિગ્દર્શક અને સંચાલક તરીકે કામ કરતાં, શેક્સપિયરનાં ‘હૅમ્લેટ’, ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ જેવાં નાટકોનું એલિઝાબેથાઈ નહિ પણ…

વધુ વાંચો >

ગુદમાર્ગના રોગો અને સારવાર

ગુદમાર્ગના રોગો અને સારવાર : અપાનવાયુના નિવાસસ્થાનમાં કોઈ પણ પ્રકારના અવરોધથી થતા રોગો. આમાં નીચે મુજબના રોગો થવા સંભવ હોય છે : 1. અર્શ, 2. ભગંદર, 3. ગુદભ્રંશ તથા 4. ગુદવિદાર. 1. અર્શ : દોષોને કારણે ગુદાની માંસલ ત્વચામાં ઉત્પન્ન થનાર માંસાંકુરને અર્શ કહે છે. આ માંસાંકુર જ્યારે ગુદામાં ઉત્પન્ન…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >