ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુજરાતી ગદ્ય

ગુજરાતી ગદ્ય : ગુજરાતી ગદ્ય મધ્યકાલીન તેમજ અર્વાચીન સ્વરૂપે ઉદભવ્યું અને લલિત-લલિતેતર એવી બે તરાહ(pattern)માં વિકસ્યું. ગુજરાતી ગદ્યનો આરંભ તેરમી સદીમાં જૈન સારસ્વતોએ ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો. ત્યારથી લગભગ 1850 સુધીમાં ખેડાયેલું ઉપલબ્ધ મધ્યકાલીન ગદ્ય મુખ્યત્વે ‘બાલાવબોધ’ કે ‘સ્તબક’, ‘ઔક્તિક’ અને ‘વર્ણક’ પ્રકારોમાં ખેડાયું, જે બહુધા શુષ્ક, રૂઢ અને અણઘડ…

વધુ વાંચો >

ગુજરાતી દલિત સાહિત્ય

ગુજરાતી દલિત સાહિત્ય : 1975ની આસપાસ ગુજરાતમાં જન્મેલું દલિત સાહિત્ય. આમ તો એનું ઉદભવસ્થાન મહારાષ્ટ્ર. 1981માં ગુજરાતમાં અનામત આંદોલન થયું. ત્યારપછી દલિત સાહિત્યના સાચા અર્થમાં પગરણ મંડાયાં. મહારાષ્ટ્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના પરિણામે દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મહારાષ્ટ્રમાં જે દલિત સાહિત્ય રચાયું તેની સભાનતાના પરિપાક રૂપે ગુજરાતમાં દલિત સાહિત્યમાં સભાનતા…

વધુ વાંચો >

ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર

ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર : ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે આધુનિક ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ અધ્યયન રજૂ કરતો મહત્વનો ગ્રંથ. તેના કર્તા ડૉ. પ્રબોધ પંડિત (1923–1975) ગુજરાતી ભાષાવિજ્ઞાનના સમર્થ વિદ્વાન હતા. આ પુસ્તકનું લખાણ 1957થી 1961 દરમિયાન થયેલું છે; જે કેટલાક લેખો રૂપે ‘સંસ્કૃતિ’ માસિકમાં તથા ‘ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સ’નાં કેટલાંક વૉલ્યૂમોમાં છપાયેલું. આ…

વધુ વાંચો >

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો…

વધુ વાંચો >

ગુજરાલ ઇન્દર કુમાર

ગુજરાલ, ઇન્દર કુમાર (જ. 4 ડિસેમ્બર 1919, ઝેલમ, પશ્ચિમ પંજાબ [હાલના પાકિસ્તાનનો વિસ્તાર] અ. 30 નવેમ્બર 2012, ગુરગાંવ) : ભારતના પૂર્વવડાપ્રધાન, રાજકારણી અને કલારસિક નેતા. પિતા અવતાર નરેન ગુજરાલ સ્વાતંત્ર્ય સેનાની અને પાકિસ્તાની બંધારણસભાના સભ્ય; પરંતુ હિન્દુસ્તાનના વિભાજનની બેકાબૂ પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડી ભારત આવ્યા અને જલંધરમાં સ્થાયી થયા. તેઓ નિરાશ્રિતોના…

વધુ વાંચો >

ગુજરાલ સતીશ

ગુજરાલ, સતીશ (જ. 25 ડિસેમ્બર 1926, ઝેલમ; અ. 26 માર્ચ 2020, ન્યૂદિલ્હી) : ચિત્રકાર, શિલ્પકાર, ભીંત-ચિત્રકાર. 1939થી 44 સુધી લાહોરની મેયો સ્કૂલમાં અને 1944થી 47 સુધી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ. 1952થી 54 સુધી મૅક્સિકોમાં વિશેષ અભ્યાસ, 1956–57માં તેમને લલિત કલા અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક અપાયું. 1947થી 50નાં ચિત્રોમાં…

વધુ વાંચો >

ગુજરી

ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ…

વધુ વાંચો >

ગુડઇયર, ચાર્લ્સ

ગુડઇયર, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1800, ન્યૂ હેવન, કનેક્ટિક્ટ, યુ.એસ.; અ. 1 જુલાઈ 1860, ન્યૂયૉર્ક) : રબરની વલ્કેનાઇઝેશન પ્રક્રિયાના અમેરિકન સંશોધક. તેમની શોધથી રબરના વ્યાપારી ઉપયોગો સંભવિત બન્યા છે. તેમના પિતાના હાર્ડવેરના ધંધામાં ભાગીદાર તરીકે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી પણ આ ધંધો 1830માં પડી ભાંગ્યો. તેમને ઇન્ડિયા રબરમાંનું ચીટકપણું…

વધુ વાંચો >

ગુડ ફ્રાઇડે

ગુડ ફ્રાઇડે : ઈસુની પીડા અને મરણની યાદગીરીમાં પવિત્ર રવિવાર (ઈસ્ટર સન્ડે) પહેલાંનો શુક્રવાર. ખ્રિસ્તીઓ તેને સાધના-ઉપાસના દિન તરીકે માને છે. તેને અંગ્રેજીમાં ‘ગુડ ફ્રાઇડે’ અને ગુજરાતીમાં ‘પવિત્ર શુક્રવાર’ કહેવામાં આવે છે. આ ‘ગુડ ફ્રાઇડે’નો દિવસ ઈસ્ટરની તૈયારી માટેના ચાળીસ દિવસના તપની ટોચ ગણાય છે. મોટા ભાગના તહેવારોમાં સામાજિક, સાંસ્કૃતિક…

વધુ વાંચો >

ગુડમાર

ગુડમાર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnema sylvestre R. Br. (સં. મેષશૃંગી, મધુનાશિની; હિં. ગુડમાર, મેઢાશિંગી, મેરસિંગી, છોટી દુધીલતા; બં. ગડલસિંગી, મેરા-શિંગી; મ. કાવળી, પિતાણી, વાખંડી; ગુ. ગુડમાર, ગુમાર, ખરશિંગી, ધુલેટી, મદરસિંગી; કો. રાનમોગરા; તે. પોડાપત્રી; તામ. આદિગમ, ચેરુકુરિન્જા) છે. તેના સહસભ્યોમાં ડોડી, કુંજલતા,…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >