૬(૨).૧૧

ગુરુત્વીય ત્રિજ્યા થી ગુંફિત ઝરણાં

ગુવાર

ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે. સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ,…

વધુ વાંચો >

ગુવેરા, ચે.

ગુવેરા, ચે. (જ. 14 જૂન 1928, આર્જેન્ટિના; અ. 9 ઑક્ટોબર 1967, બોલિવિયા) : દક્ષિણ અમેરિકાના ડાબેરી વિચારસરણી ધરાવતા ક્રાન્તિકારી તથા ગેરીલા યુદ્ધપદ્ધતિનો પ્રચાર કરી તેનો અમલ કરનાર નેતા. તેમના પિતા સ્થપતિ હતા. બુએનૉસ ઍરિસમાં તેમણે તબીબી શિક્ષણ લીધું હતું. વિદ્યાભ્યાસ દરમિયાન તે દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોની મુલાકાત લેતા રહ્યા હતા.…

વધુ વાંચો >

ગુહસેન

ગુહસેન : મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્કના પાંચમા પુત્ર ધરપટ્ટનો પુત્ર અને આ વંશનો છઠ્ઠો રાજા. ધ્રુવસેન પહેલાનો સીધો ઉત્તરાધિકાર મેળવનાર ગુહસેનનાં જ્ઞાત વર્ષો વલભી સંવત 240(ઈ. સ. 559)થી વ. સં. 248 (ઈ. સ. 567) ઉપલબ્ધ હોઈ તેમણે ઈ. સ. 555થી 570 દરમિયાન મૈત્રક રાજ્યનો કારોબાર સંભાળ્યો હોય. એની પ્રશસ્તિમાં એને…

વધુ વાંચો >

ગુહા, નરેશ

ગુહા, નરેશ (જ. માર્ચ 1923, બાંગ્લાદેશ; અ. 4 જાન્યુઆરી 2009) : પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કવિ, અનુવાદક, વિદ્વાન અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કવિતાસંગ્રહ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કોલકાતા યુનિવર્સિટી અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી, ઇલિનૉઇ, અમેરિકામાં પ્રતિભાશાળી શૈક્ષણિક કારકિર્દી બાદ ફુલબ્રાઇટ સ્કૉલરશિપ તથા રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ…

વધુ વાંચો >

ગુહાન્તર્નિરીક્ષા (endoscopy)

ગુહાન્તર્નિરીક્ષા (endoscopy) : શરીરમાંનાં પોલાણોમાં નળી દ્વારા જોઈ-તપાસીને નિદાન તથા ચિકિત્સા કરવાની પદ્ધતિ. તે માટેના સાધનને અંત:દર્શક કે ગુહાંત:દર્શક (endoscope) કહે છે. સૌપ્રથમ કઠણ નળીનાં અંત:દર્શકો વિકસ્યાં હતાં; પરંતુ હવે પ્રકાશ-ઇજનેરીમાં થયેલા વિકાસને કારણે પ્રકાશવાહી તંતુઓવાળાં (fiberoptic) અંત:દર્શકો વિકસ્યાં છે અને તેથી શરીરની પોલી નળીઓના વળાંક પ્રમાણે વળાંક લઈ શકે…

વધુ વાંચો >

ગુહા, બી. એસ.

ગુહા, બી. એસ. (જ. 15 ઑગસ્ટ 1894, શિલોંગ, આસામ; અ. 20 ઑક્ટોબર 1961, [બિહાર] ઘટશિલા જમશેદપુર) : ભારતમાં માનવશાસ્ત્રનો પાયો નાખનારા વિદ્વાન. ડૉ. બિરજાશંકર ગુહા 1915માં ફિલૉસૉફી વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. 1922માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રમાં એમ.એ. અને 1924માં ‘ધ રેસિયલ બેઝીઝ ઑવ્ ધ કાસ્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મહાનિબંધ…

વધુ વાંચો >

ગુંડપ્પા ડી. વી.

ગુંડપ્પા ડી. વી. (જ. 17 માર્ચ 1889, કુડબાગિલ, કોલાર, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1975, બેંગાલુરુ) : કન્નડ લેખક. કુડબાગિલમાં જ મૅટ્રિક સુધી ભણ્યા. દેવન હલ્લી વેંકટ રામૈયા અને અલામેલમ્માનો પુત્ર. ઉચ્ચ શિક્ષણ લઈ શકેલા નહિ, પણ સ્વપ્રયત્ને કન્નડ, સંસ્કૃત તથા અંગ્રેજીનું સારું જ્ઞાન મેળવી લીધેલું. શરૂઆતમાં ‘સૂર્યોદય પત્રિકા’ સાપ્તાહિકમાં જોડાયા.…

વધુ વાંચો >

ગુંતુર (Guntur)

ગુંતુર (Guntur) (જિલ્લો): આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જે સમુદ્રકિનારો ધરાવે છે. ભૌગોલિક સ્થાન : તે 16 30´ ઉ. અ. અને 80 4´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાનો વિસ્તાર 2,443 ચો. કિમી. જેટલો છે. આ જિલ્લાને આશરે 100 કિમી. લાંબો બંગાળના ઉપસાગરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. આ જિલ્લાની વાયવ્યે ક્રિશ્ના જિલ્લો…

વધુ વાંચો >

ગુંદર (gum)

ગુંદર (gum) : વનસ્પતિના કોષ કે પેશીના વિકૃત ફેરફારોથી બહાર ઝરતો પદાર્થ. તે સહેલાઈથી ચોંટી જાય તેવો, કલિલી ગુણધર્મો ધરાવનારો છે. વનસ્પતિના રક્ષણાર્થે ઉત્પન્ન થઈને તે નિ:સ્રવણ (exudation) દ્વારા બહાર આવે છે. મુખ્ય ગુંદરો : કતીરા ગુંદર (Chloclospermum gossypium DC.) પાણી સાથે ભળીને અતિ ભારે જેલી બનાવે છે. Sterculia urens…

વધુ વાંચો >

ગુંદરિયો (લીંબુનો)

ગુંદરિયો (લીંબુનો) : Phytophthora પ્રજાતિની કેટલીક ફૂગથી લીંબુ વર્ગમાં થતો રોગ. લીંબુ ઉગાડતા દરેક પ્રદેશમાં તે જોવા મળે છે. અન્ય પ્રદેશોમાં તે છૂટોછવાયો ક્યારેક જોવા મળે છે; પરંતુ મહારાષ્ટ્રમાં તે દર વર્ષે જોવા મળે છે. ખાટી જાતોની સરખામણીમાં મીઠી જાતો વધુ રોગગ્રાહ્ય છે. રોગનું આક્રમણ જમીનની પાસેના થડથી શરૂ થાય…

વધુ વાંચો >

ગુરુત્વીય ત્રિજ્યા

Feb 11, 1994

ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…

વધુ વાંચો >

ગુરુત્વીય નિપાત (gravitational collapse)

Feb 11, 1994

ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…

વધુ વાંચો >

ગુરુદત્ત

Feb 11, 1994

ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

ગુરુદયાલસિંહ

Feb 11, 1994

ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…

વધુ વાંચો >

ગુરુદ્વારા (ગુરદ્વાર)

Feb 11, 1994

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

Feb 11, 1994

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુરુબક્ષસિંહ

Feb 11, 1994

ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…

વધુ વાંચો >

ગુરુમુખી

Feb 11, 1994

ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…

વધુ વાંચો >

ગુરુવાયુર મંદિર

Feb 11, 1994

ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…

વધુ વાંચો >

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ

Feb 11, 1994

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…

વધુ વાંચો >