ખંડ ૪
ઔરંગાથી કાંસું
કારાજન, હર્બર્ટ ફૉન
કારાજન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von) (જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : વીસમી સદીના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક, ઑર્કેસ્ટ્રા અને ઑપેરા-કન્ડક્ટર. તરુણાવસ્થામાં જ સંગીતની રુચિ તેમણે દાખવેલી. પિતાએ તેમને સાલ્ઝબર્ગની વિખ્યાત સંગીતશાળા મૉત્સાર્ટિયમ(Mozarteum)માં સંગીતના અભ્યાસાર્થે દાખલ કર્યા. ઑર્કેસ્ટ્રા અને ઑપેરાના સંચાલનના વિષય સાથે સંગીતના સ્નાતક થઈ…
વધુ વાંચો >કારાણી, દુલેરાય લખાભાઈ
કારાણી, દુલેરાય લખાભાઈ (જ. 26 ફેબ્રુઆરી 1896, મુંદ્રા (કચ્છ); અ. 26 ફેબ્રુઆરી 1989) : લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક. ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામો. ‘કચ્છના મેઘાણી’ તરીકે સુખ્યાત. અભ્યાસ ધોરણ દસ સુધી. કચ્છી ભાષા ઉપરાંત ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને અંગ્રેજી જેવી ભાષાઓ સ્વપ્રયત્ને શીખ્યા. કારકિર્દીનો આરંભ શિક્ષક તરીકે. પાછળથી બઢતી મળતાં…
વધુ વાંચો >કારા, મણિબહેન
કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…
વધુ વાંચો >કારા મુસ્તફા-કોષકુ
કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા. એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું. મન્વિતા બારાડી
વધુ વાંચો >કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી
કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev, Kara Abulfaz Ogly) (જ. 5 ફેબ્રુઆરી 1918, બાકુ, આઝરબૈજાન; અ. 13 મે 1982, મોસ્કો) : પ્રસિદ્ધ આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. ઓગણીસ વરસની ઉંમરે કારાયેવ બાકુ કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. મહાન રશિયન કવિ ઍલેકઝાન્ડર પુશ્કિનની સોમી જન્મજયંતી નિમિત્તે એકલ પિયાનો (solo piano) માટેની કૃતિ…
વધુ વાંચો >કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા
કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા (જ. 28 સપ્ટેમ્બર 1573, કારાવાજિયો, વેનિસ નજીક, ઇટાલી; અ. 18 જુલાઈ 1610, પોર્તેકોલે, તુસ્કની, ઇટાલી) : અંધારાથી ભરપૂર, અત્યંત ગમગીન, ભેંકાર અને નાટ્યાત્મક ધાર્મિક ચિત્રો ચીતરવા માટે જાણીતો ઇટાલિયન બરોક-ચિત્રકાર. હકીકતમાં આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની શરૂઆત તેણે કરી હોવાથી અને પછીથી ગ્વેર્ચિનો, એલ ગ્રેકો, રેમ્બ્રાં આદિએ…
વધુ વાંચો >કારા સમુદ્ર
કારા સમુદ્ર : યુરોપીય રશિયા અને એશિયા ખંડના સાઇબીરિયાના પ્રદેશની ઉત્તરે આવેલા આર્ક્ટિક સમુદ્રના ભાગરૂપ બંને ખંડોને જોડતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 760 00’ ઉ. અ. અને 800 00’ પૂ. રે.. નોવાયા ઝેમલ્યા, ફ્રાન્ટસા જોસીફા અને સવેરનાયા ઝેમલ્યા ટાપુઓ વચ્ચે આ સમુદ્ર આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 8,88,000 ચોકિમી., લંબાઈ…
વધુ વાંચો >કારિકા
કારિકા : થોડા શબ્દોમાં ઘણો જ શાસ્ત્રાર્થ વ્યક્ત કરનાર શ્લોક. છંદોબદ્ધ હોવાથી તેને સ્મરણમાં રાખવી સહેલી પડે છે. કારિકામાં પદ્યની જેમ સ્મરણ કરવાની અને સૂત્રની જેમ ઘણી બાબતો થોડા શબ્દોમાં કહેવાની સુવિધા હોય છે. સંસ્કૃતનું કારિકા-સાહિત્ય ઘણું વિશાળ, ગંભીર અને મહત્વનું છે. નાગાર્જુન (ઈ. સ.ની બીજી સદી)ની શૂન્યવાદનું પ્રતિપાદન કરનારી…
વધુ વાંચો >કારિસિમી, જિયાકોમો
કારિસિમી, જિયાકોમો (Carissimi, Giacomo) (જ. 18 એપ્રિલ 1605, રોમ, ઇટાલી; અ. 12 જાન્યુઆરી 1674, રોમ) : સત્તરમી સદીના ઇટાલીનો મહત્ત્વનો સંગીતકાર અને સ્વરનિયોજક; ઑરેટોરિયો સંગીત-સ્વરૂપનો જન્મદાતા. ત્રીસ વરસની ઉંમરે તે રોમ ખાતેની જર્મન કૉલેજ ઑવ્ જેસ્યૂઇટ્સના ચૅપલ સાન ઍપૉલિનેરેનો સંગીત-દિગ્દર્શક બન્યો. મૃત્યુપર્યંત તે આ જ પદ ઉપર રહ્યો. ખાસી કમાણી…
વધુ વાંચો >કારીગર તાલીમ યોજના
કારીગર તાલીમ યોજના : વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદન અને સેવાની લગતી બાબતોમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો અને વધારો થાય તે માટેની તાલીમ યોજના. તેના મુખ્ય ઉદ્દેશો છે – (1) જરૂરી કૌશલ્યો ધરાવતું માનવબળ ઉપલબ્ધ બનાવવું, (2) જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનૉલોજીથી ઉમેદવારોને સતત સજ્જ કરતા રહેવું, તથા (3)…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >