ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

ઔષધસેવનવિધિ (આયુર્વેદ)

Jan 2, 1992

ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે. (क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ…

વધુ વાંચો >

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

Jan 2, 1992

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ) : ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઉપક્રમે અખિલ ભારતીય ઔષધીય અને સુગંધિત પાક યોજના હેઠળ દેશમાં સ્થાપવામાં આવેલાં 11 સંશોધન-કેન્દ્રોમાંનું આણંદમાં 1975માં શરૂ કરવામાં આવેલું કેન્દ્ર. કયા છોડ કે વૃક્ષની જાત ઉપર સંશોધન શરૂ કરવું અને માહિતી એકઠી કરવી તે નક્કી કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ લક્ષમાં…

વધુ વાંચો >

ઔષધીય પાકો

Jan 2, 1992

ઔષધીય પાકો : ઔષધ તરીકે વપરાતી વનસ્પતિનું આયોજિત વાવેતર. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓએ વિવિધ વનસ્પતિજ, પ્રાણીજ અને ખનિજ દ્રવ્યોના ઔષધીય ઉપયોગો શોધી કાઢ્યા હતા. આમાંની કેટલીય ઔષધિઓ આધુનિક સમયમાં પણ અપરિષ્કૃત (crude) રૂપે કે શુદ્ધ સત્વ રૂપે વપરાશમાં છે. સામાન્ય રીતે વનસ્પતિજ દ્રવ્યો જંગલોની પેદાશો હોય છે. ભારતમાં પણ વનસ્પતિજ દ્રવ્યો…

વધુ વાંચો >

ઔષધીય રોગપ્રતિરોધ

Jan 2, 1992

ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : રસાયણ કે દવા વડે ચોક્કસ રોગ કે ચેપ અટકાવવો તે. રસીઓ કે પ્રતિરક્ષા (immuno) ગ્લૉબ્યૂલિનોનો ઉપયોગ તેમાં આવરી લેવાતો નથી. રોગપ્રતિરોધ માટે વપરાતી દવા કોઈ ચોક્કસ રોગ કે ચેપ સામે અસરકારક હોય છે અને બધા જ પ્રકારના ચેપ થતા અટકાવવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જાય…

વધુ વાંચો >

ઔષધો

Jan 2, 1992

ઔષધો : મનુષ્યો કે પ્રાણીઓમાં રોગના નિદાન અને તેના ઉપચાર માટે વપરાતા કે રોગનિરોધી (prophylactic) ગુણો ધરાવતા પદાર્થો. ઔષધિની વ્યુત્પત્તિ ‘ओषं रूजं धयति इति औषधि:’ કરવામાં આવી છે. ઔષધોનો ઉપયોગ રોગ દ્વારા થતાં શારીરિક કે માનસિક દુ:ખ, વેદના, દર્દ અથવા તકલીફ ઓછી કે દૂર કરવા માટે થાય છે. ઐતિહાસિક :…

વધુ વાંચો >

ઔષધો (પશુ)

Jan 2, 1992

ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે. પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે.…

વધુ વાંચો >

ઔષધો અને ઔષધોનાં કાર્યો

Jan 3, 1992

ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે…

વધુ વાંચો >

ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ

Jan 3, 1992

ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ : માણસના રોગમાં ઔષધ તરીકે વપરાનારા રસાયણની ઉપયોગિતા તથા આડઅસરો કે વિષાક્તતા (toxicity) નિશ્ચિત કરવા માટેની કસોટીઓ. પ્રાણીઓ પરના પ્રયોગોની માહિતીને આધારે ઔષધશાસ્ત્રી, જૈવરસાયણવિદ અને વિષવિદ (toxicologist) જે તે રસાયણનો માણસ પર ઔષધ તરીકે ઉપયોગ કરવા માટેના પ્રારંભિક પ્રયોગો અંગે નિર્ણય કરે છે. આવું રસાયણ પ્રાણીઓ…

વધુ વાંચો >

ઔષધોની ગુણાત્મક કસોટીઓ

Jan 3, 1992

ઔષધોની ગુણાત્મક કસોટીઓ (qualitative testing of drugs) : નવા ઔષધના ગુણધર્મો અને તેની તબીબી ઉપયોગિતા નિશ્ચિત કરવાની કસોટીઓ નવી દવાની શોધ તથા તેના વિકાસ અને વ્યાપારિક ઉપયોગની પ્રક્રિયા ખર્ચાળ અને ઘણી લાંબી છે. કોઈ પણ રસાયણ નવી દવા તરીકે સ્વીકારાય તે પહેલાં ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે – (1) સૌપ્રથમ…

વધુ વાંચો >

ઔષધોની વિષાક્તતા કસોટીઓ

Jan 3, 1992

ઔષધોની વિષાક્તતા કસોટીઓ (toxicity testing of drugs) : દવાની ઝેરી અસરોનાં પ્રકાર ને પ્રમાણ જાણવાની કસોટીઓ. લગભગ દરેક દવા અમુક માત્રા(dose)થી વધારે અપાય તો ઝેરી અસરો ઉત્પન્ન કરે છે. તેથી ઉંદર (rats), ઘરઉંદર (mice), ગીનીપિગ, કૂતરાં અને વાંદરાંમાં વિવિધ પરિસ્થિતિઓમાં દવા આપીને તેમની વિષાક્તતાની નોંધ લેવાય છે. વિષાક્તતાની જાણકારી તેમની…

વધુ વાંચો >