ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા – યકૃતના રોગોમાં

Jan 1, 1992

ઔષધચિકિત્સા, યકૃતના રોગોમાં : યકૃત(liver)ના રોગોમાં દવા વડે યકૃત તથા અન્ય અવયવોના રોગોની સારવાર. યકૃતના રોગોની સારવારના મુખ્ય સિદ્ધાંતોમાં સુનિશ્ચિત નિદાન, દર્દીનું આરોગ્યશિક્ષણ, વ્યક્તિગત જરૂરિયાત મુજબ સારવારનું આયોજન, ખોરાકમાં તૈલી પદાર્થો, પ્રોટીન તથા સોડિયમના પ્રમાણ અંગે જરૂરી ફેરફારો, શક્ય એટલાં ઓછાં ઔષધોનો ઉપયોગ વગેરે ગણી શકાય. યકૃતરોગના દર્દીને દારૂ પીવાનું…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા-સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં

Jan 1, 1992

ઔષધચિકિત્સા, સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીઓમાં : સગર્ભા અને સ્તન્યપાની (lactating) સ્ત્રીઓમાં ગર્ભ તથા નવજાત શિશુ(neonate)ને જોખમ ઊભું ન થાય તેવી દવા વડે સારવાર કરવાના સિદ્ધાંતો. ઑર(placenta)માં થઈને લોહી દ્વારા કે માતાના દૂધ દ્વારા ગર્ભ કે શિશુમાં પહોંચતી દવા તેનાં અંગ, રૂપ તથા અવયવોનાં વૃદ્ધિ અને વિકાસને અસર કરી શકે છે.…

વધુ વાંચો >

ઔષધનિયંત્રણતંત્ર

Jan 1, 1992

ઔષધનિયંત્રણતંત્ર : ખોરાક અને ઔષધની ગુણવત્તા તથા ભેળસેળ ઉપર દેખરેખ રાખવા રાજ્ય સરકારે સ્થાપેલ તંત્ર. રાજ્યમાં બનતાં તથા વેચાતાં ઔષધોની ગુણવત્તા ઉપર નિયંત્રણ રાખવાનું તેમજ જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળે તે માટે ખોરાકના નમૂના લઈ તેની તપાસ કરવાનું કાર્ય ખોરાક અને ઔષધનિયમન તંત્ર સંભાળે છે. આરોગ્યજાળવણીનું આ કાર્ય રાજ્ય સરકારના…

વધુ વાંચો >

ઔષધનિર્માણ ઉદ્યોગ

Jan 1, 1992

ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…

વધુ વાંચો >

ઔષધનિર્માણ – ભૌતિક ક્રિયાઓ

Jan 2, 1992

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓ ઔષધનાં વિવિધ પ્રરૂપો તૈયાર કરવામાં તથા કુદરતમાં મળતાં ઔષધીય દ્રવ્યોમાંથી સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં અલગ કરવા માટેની ક્રિયાવિધિ. આ ક્રિયાઓને રાસાયણિક ઇજનેરીમાં એકમ પ્રચાલનો(unit-operations)ના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ક્રિયાઓ મુખ્યત્વે ભૌતિક ફેરફારો કરતી ક્રિયાઓ છે. ઘન તથા પ્રવાહીઓનું તથા ઊર્જાનું સ્થાનાન્તર, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, શુષ્કન, ચાળણ, ગાળણ…

વધુ વાંચો >

ઔષધનિર્માણશાસ્ત્ર

Jan 2, 1992

ઔષધનિર્માણશાસ્ત્ર (pharmaceutics) : દર્દીને આપવા માટે કોઈ પણ ઔષધનું સુયોગ્ય પ્રરૂપ(form)માં રૂપાંતર કરવાની વિદ્યા. આ માટે ભૈષજિકી શબ્દપ્રયોગ પણ વપરાય છે. ઔષધોનું આધુનિક સમયમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું જરૂરી બનતાં આ શાખાની આગવી ટેક્નૉલૉજી ફાર્મસ્યૂટિકલ ટેક્નૉલૉજી તરીકે વિકસી છે. ઔષધો અંગેનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. ભારતમાં જ્ઞાનની આગવી શાખા તરીકે…

વધુ વાંચો >

ઔષધરસાયણશાસ્ત્ર

Jan 2, 1992

ઔષધરસાયણશાસ્ત્ર (pharmaceutical chemistry) : ઔષધીય ગુણધર્મો ધરાવતા પદાર્થોનું રસાયણશાસ્ત્ર. ઔષધશાસ્ત્રની આ શાખામાં ઔષધ તરીકે માન્ય થયેલા પદાર્થના સંશ્લેષણની રીતો, શુદ્ધીકરણની રીતો અને અન્ય ગુણધર્મોનો અભ્યાસ તથા તેમાં રહેલી અશુદ્ધિઓની મર્યાદા નક્કી કરવાની રીતો, તેનું આમાપન (assay) વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ઔષધરસાયણશાસ્ત્રમાં સામાન્ય રસાયણશાસ્ત્રની વિવિધ શાખાઓ(અકાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણ,…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર

Jan 2, 1992

ઔષધશાસ્ત્ર (pharmacy) : ઔષધોની શોધ, વિકાસ અને તેમના સરળ યોગ (formulation) રૂપે ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલ આરોગ્યલક્ષી વ્યવસાય. મનુષ્ય તથા પ્રાણીઓને થતા રોગના નિદાન કે ઉપચાર માટે, રોગને હળવો કરવા કે થતો અટકાવવા માટે, રોગથી થતી વિકૃત શારીરિક અવસ્થા તથા રોગનાં ચિહનો દૂર કરવા માટે અને જૈવિક કાર્યના પુન:…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર – ઉપચારકેન્દ્રીય

Jan 2, 1992

ઔષધશાસ્ત્ર, ઉપચારકેન્દ્રીય (clinical pharmacy) : ઔષધશાસ્ત્રી(pharmacist)ની નિર્ણાયક શક્તિ, કુશળતા અને ઔષધશાસ્ત્ર તથા જીવઔષધવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી ઔષધની અસરકારકતા, સલામતી, કિંમત અને રોગને અનુરૂપ ઔષધની ચોકસાઈ જેવાં અનેક પાસાંઓને સ્પર્શતી ઔષધશાસ્ત્રની એક શાખા. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રને ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર(hospital pharmacy)માં પણ આવરી લેવામાં આવે છે. ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર વિસ્તૃત રીતે ચિકિત્સાલયમાં ઔષધનાં વ્યવસ્થા અને વિતરણને સાંકળે…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)

Jan 2, 1992

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ. ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર…

વધુ વાંચો >