ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઈડ્ઝ, જેમ્સ બુકાનન

ઈડ્ઝ, જેમ્સ બુકાનન (જ. 23 મે 1820, લૉરેન્સબર્ગ; અ. 8 માર્ચ 1887, નસાઉ-બહામા) : પુલો માટેની કેન્ટિલીવર ડિઝાઇનના અમેરિકન શોધક. આગબોટમાં હિસાબનીશ તરીકે જીવનની શરૂઆત. ડૂબકી મારવા માટે ઘંટાકાર સાધન શોધી કાઢીને તેના ઉપયોગથી ડૂબી ગયેલાં વહાણો બહાર કાઢવાના ધંધામાં સારી કમાણી કરી. મિસિસિપી નદીના મુખ આગળ યોગ્ય રીતે ધક્કા…

વધુ વાંચો >

ઈથર (આયુર્વિજ્ઞાન)

ઈથર (આયુર્વિજ્ઞાન) : શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી ડાઇઇથાઇલ ઈથર નામની દવા. યુનાઇટેડ સ્ટેટ્સની મૅસેચૂસેટ્સ હૉસ્પિટલના તબીબી અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થી વિલિયમ ટી. જી. મૉર્ટને ડૉ. વૉરન નામના સર્જ્યનના ગિલ્બર્ટ ઍબટ નામના દર્દી ઉપર શંકાશીલ અને કુતૂહલપૂર્ણ શ્રોતાઓની હાજરીમાં તેનો સૌપ્રથમ સફળ પ્રયોગ 16 ઑક્ટોબર, 1846ના રોજ કર્યો. આ…

વધુ વાંચો >

ઈથર (ભૌતિકશાસ્ત્ર)

ઈથર (ભૌતિકશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં વિદ્યુતચુંબકીય તરંગો(ર્દશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, ઍક્સ વગેરે કિરણો)નાં પ્રસરણ (propagation) માટે પરિકલ્પિત સમગ્ર પૃથ્વી ઉપર – અવકાશ તેમજ દ્રવ્યમાં – પ્રસરેલું સર્વવ્યાપી માધ્યમ. ધ્વનિતરંગોનું પ્રસરણ હવા જેવા સ્થિતિસ્થાપક માધ્યમ દ્વારા થાય છે તો તરંગગતિનું પ્રસરણ અવકાશમાં એટલે કે કોઈ માધ્યમ વગર થાય તે હકીકત સમજી શકાય…

વધુ વાંચો >

ઈથર (રસાયણ)

ઈથર (રસાયણ) : બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સિજન પરમાણુ અંત:પ્રકીર્ણિત (interspersed) હોય તેવા કાર્બનિક સંયોજનોના વર્ગનું સંયોજન. જાતિગત (genetic) સૂત્ર ROR. ઈથરમાંનો ઑક્સિજન-પરમાણુ બે કાર્બન સાથે અહીં દર્શાવ્યા પ્રમાણે જોડાયેલો હોય છે : પાણીના બંને હાઇડ્રોજન કાર્બનિક સમૂહો વડે વિસ્થાપિત કરવાથી ઈથર મળે છે : ઈથર પાણી…

વધુ વાંચો >

ઈથિયોપિયન સાહિત્ય

ઈથિયોપિયન સાહિત્ય : પ્રાચીન શિષ્ટ ગીઝ (Ge’ez) ભાષા અને અર્વાચીન સત્તાવાર એમહરિક (Amharic) ભાષામાં લખાયેલું સાહિત્ય. એબિસિનિયાના જૂના નામે ઓળખાતા અને આફ્રિકામાં આવેલા ઈથિયોપિયામાં પ્રાચીન ગીઝ એટલે કે ઈથિયોપિક ભાષા પ્રચાલિત હતી. તે સમયે ગ્રીક સાહિત્યનો સવિશેષ પ્રભાવ હતો તેથી પ્રારંભકાળમાં મુખ્યત્વે ગ્રીક ભાષાના અનુવાદો જોવા મળે છે અને ગ્રીક…

વધુ વાંચો >

ઈથિયોપિયા

ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…

વધુ વાંચો >

ઈથિલીન

ઈથિલીન : રંગવિહીન, ઈથર જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન પદાર્થ. સૂત્ર CH2 = CH2. શાસ્ત્રીય નામ ઈથીન. ગ.બિં. -169o સે., ઉ.બિ., -105o સે. ઇથાઇલ આલ્કોહૉલના નિર્જલીકરણ(સલ્ફ્યુરિક/ફૉસ્ફોરિક ઍસિડ અથવા ઍલ્યુમિના-ઉદ્દીપક)થી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજન(cracking)થી મેળવાય છે. ઉત્પાદનની વિપુલતામાં સલ્ફ્યુરિક ઍસિડ અને એમોનિયા પછી ત્રીજું સ્થાન. પાકાં ટમેટાં અને…

વધુ વાંચો >

ઈથિલીન બ્રોમાઇડ

ઈથિલીન બ્રોમાઇડ (અથવા 1, 2-ડાયબ્રોમોઈથેન) : ઈથિલીન અને બ્રોમીન વચ્ચેની પ્રક્રિયાથી બનતું રંગવિહીન, મીઠી વાસવાળું, ન સળગે તેવું પ્રવાહી. ઉ. બિં. 131.4o; ગ.બિં. 9.8o; ઘનતા 1.5379. પાણીમાં અદ્રાવ્ય. ત્વચાને સ્પર્શ થતાં ખંજવાળ પેદા કરે છે. લાંબો સમય શ્વાસમાં લેવાતાં યકૃત અને મૂત્રપિંડને નુકસાન કરે છે. જમીન અને અનાજના ધૂમક (fumigant)…

વધુ વાંચો >

ઈથેનોલ ઍમાઇન સંયોજનો

ઈથેનોલ ઍમાઇન સંયોજનો (ethanol amines) : એમોનિયાના હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રૉક્સિઇથાઇલ (-CH2CH2OH) વડે વિસ્થાપન કરવાથી મળતાં સંયોજનો. એમોનિયાના જલીય દ્રાવણ સાથે ઈથિલીન ઑક્સાઇડને દબાણ તળે ગરમ કરતાં નીચે વર્ણવેલાં ત્રણ સંયોજનો મળે છે, જેમને વિભાગીય નિસ્યંદનથી અલગ કરવામાં આવે છે. ત્રણ સંયોજનોના પ્રમાણનો આધાર એમોનિયા/ઈથિલીનના પ્રમાણ ઉપર છે. આ સંયોજનોમાં હાઇડ્રૉક્સિલ…

વધુ વાંચો >

ઈદ

ઈદ : જુઓ ઇસ્લામ.

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >