ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સુલેમાન મસ્જિદ ઇસ્તંબુલ
સુલેમાન મસ્જિદ, ઇસ્તંબુલ : ઇસ્તંબુલની પ્રસિદ્ધ મસ્જિદ. 1550માં તેનું બાંધકામ શરૂ થયું. તેનો સ્થપતિ સિનાન હતો. તેણે આ મસ્જિદને પોતાનું પ્રથમ સુંદર બાંધકામ ગણાવ્યું છે. સુલેમાને તેના રહેઠાણનું સ્થળ એસ્કી-સરાઈ અને તેનો બગીચો આ મસ્જિદના બાંધકામની જગ્યા માટે ખાલી કર્યાં. બાંધકામ પૂરું થતાં સાત વર્ષ લાગ્યાં. મસ્જિદનો પ્રાર્થનાખંડ દક્ષિણની કબર…
વધુ વાંચો >સુલોચના
સુલોચના (જ. 1907, પુણે; અ. 1983) : અભિનેત્રી. મૂક ચલચિત્રોના સમયે અભિનેત્રી તરીકે અપાર સફળતા અને લોકપ્રિયતા હાંસલ કરનાર સુલોચના ઍંગ્લો-ઇન્ડિયન હતાં. તેમનું મૂળ નામ રુબી માયર્સ હતું. આજે જેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે એવી જાહોજલાલી સુલોચના એ જમાનામાં ભોગવતાં. એ જમાનામાં ભલભલાં કલાકારોને ત્રણ આંકડામાં વેતન મળતું. સુલોચનાએ પણ…
વધુ વાંચો >સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)
સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…
વધુ વાંચો >સુલોચના મદિરેડ્ડી
સુલોચના, મદિરેડ્ડી (જ. 1933, શમ્શાબાદ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 1984) : તેલુગુ નવલકથાકાર. હૈદરાબાદની બી.વી.આર. રેડ્ડી વિમેન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ મદ્રાસાઅલી ખાતે રસાયણશાસ્ત્રનાં શિક્ષિકા તરીકે જોડાયાં તથા હૈદરાબાદમાં સેંટ જૉન ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ તેમણે અધ્યાપનકાર્ય કર્યું. તેમની નોંધપાત્ર નવલકથા ‘શિક્ષા’ અને ‘પ્રેમલુ પેલ્લિલ્લુ’…
વધુ વાંચો >સુલોચના રાણી પદદનાપુડી (શ્રીમતી)
સુલોચના રાણી, પદદનાપુડી (શ્રીમતી) (જ. 2 એપ્રિલ 1939, કજા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર તથા વાર્તાકાર. તેઓ કોકિલા ઑડિયો મૅગેઝિનનાં નિર્માત્રી; ‘વિણ’ નામક મહિલા સંગઠનનાં સ્થાપક-સેક્રેટરી અને રેડક્રોસ સોસાયટીનાં સભ્ય રહ્યાં હતાં. તેમણે તેલુગુમાં 70 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘આરાધના’ (1960); ‘સેક્રેટરી’ (1965); ‘મીના’ (1967); ‘જીવન તરંગલુ’ (1968); ‘કીર્તિ…
વધુ વાંચો >સુલ્લા લુસિયસ કૉર્નેલિયસ
સુલ્લા, લુસિયસ કૉર્નેલિયસ (જ. ઈ.પૂ. 138; અ. ઈ.પૂ. 78) : રોમનો જાણીતો સરમુખત્યાર. તે રોમના પેટ્રિશિયન (ઉમરાવ) કુટુંબમાં જન્મ્યો હતો. તેણે રોમની સરકારમાં સુધારા કર્યા. પોતાના રાજકીય શત્રુઓ સામે લશ્કરનો ઉપયોગ કરનાર તે પ્રથમ રોમન સેનાપતિ હતો. ત્યારબાદ, જુલિયસ સીઝર સહિતના રાજકીય નેતાઓ તેને અનુસર્યા હતા. ઈ.પૂ. 88માં તે રોમનો…
વધુ વાંચો >સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર)
સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર) : માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યે ખોદીને કાઢેલી અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકીની એક. સુવર્ણખનનની નોંધો ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબ્રૂ ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાંથી મળી રહે છે. મિસર અને બૅબિલોનિયાના નવપાષાણ યુગના સ્તરોમાંથી 8,000 વર્ષ જૂના સુવર્ણ-અલંકારોના અવશેષો મળેલા હોવાની નોંધ છે. ભારત તેમજ અન્ય દેશોની…
વધુ વાંચો >સુવર્ણ (રસાયણશાસ્ત્ર)
સુવર્ણ (રસાયણશાસ્ત્ર) : આવર્ત કોષ્ટકના Ib સમૂહમાં આવેલું, સંજ્ઞા Au, પરમાણુક્રમાંક 79 અને પરમાણુભાર 196.967 ધરાવતું તત્વ. તે ઘેરા પીળા રંગની, ચળકતી, નરમ, કીમતી ધાતુ છે. મુક્ત સ્થિતિમાં મળી આવતું હોવાને કારણે પુરાણકાળથી કલાત્મક નમૂના, પૂજા માટેનાં પાત્રો, આભૂષણો અને સિક્કામાં તે વપરાતું આવ્યું છે. દરિયાનું પાણી ટન દીઠ 10…
વધુ વાંચો >સુવર્ણ-આંક (gold number)
સુવર્ણ–આંક (gold number) : વિશિષ્ટ રીતે બનાવેલા (0.5થી 0.06 ગ્રા./લિ. સોનું ધરાવતા) સોના(gold)ના લાલ વિલય(sol)માં 10 % સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના 1 મિલિ.ને ઝડપથી ઉમેરવામાં આવે ત્યારે વિલયનું ઘટ્ટીભવન (coagulation) થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા સંરક્ષક (protective) કલિલનો મિગ્રા.માં જથ્થો. કોઈ એક ધાતુના વિલયમાં સરેશ જેવો સ્થાયી (stable) કાર્બનિક કલિલી પદાર્થ…
વધુ વાંચો >સુવર્ણ-ધોરણ
સુવર્ણ–ધોરણ : ચલણ-વ્યવસ્થાનો એક પ્રકાર, જેમાં કાયદાની રૂએ દેશના મુખ્ય ચલણ(standard currency)ના એકમનું મૂલ્ય પ્રત્યક્ષ રીતે સુવર્ણમાં આંકવામાં આવે છે. આ ચલણ-વ્યવસ્થા હેઠળના કાયદામાં મધ્યસ્થ બૅંકની એ ફરજ બને છે કે તે દેશના ચલણના એકમોના બદલામાં નિર્ધારિત પ્રમાણમાં સોનું આપે અથવા તો સોનાની લગડીને અધિકૃત સિક્કાઓમાં, કોઈ પણ કિંમત લીધા…
વધુ વાંચો >