ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સતીશ મોહન

સતીશ મોહન : બિલિયર્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી. ભારતમાં બિલિયર્ડની રમત આમજનતાની રમત ન હોવા છતાં પણ ભારતે બિલિયર્ડમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ખેલાડીઓ રમતગમતની દુનિયાને આપ્યા છે, તેમાંના એક તે સતીશ મોહન. સતીશ મોહન 1970થી 1973 સુધી સતત ચાર વર્ષ બિલિયર્ડમાં ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા હતા. સતત ચાર વર્ષ સુધી ‘રાષ્ટ્રીય…

વધુ વાંચો >

સતુરાકાર્થી

સતુરાકાર્થી : જૉસેફ કૉન્સ્ટન્ટાઇન બેસ્ચી  (1680-1747) નામના ઇટાલિયન મિશનરીએ તૈયાર કરેલો તમિળ શબ્દકોશ. તેઓ વીરમ્મા મુનિવર તરીકે જાણીતા હતા. તામિલનાડુમાં તેઓ 1710થી અવસાન પર્યંત (1747) રહ્યા. મિશનરી લખાણો ઉપરાંત તેમણે તમિળમાં કાવ્યો પણ રચ્યાં. ‘થેમભવાની’ નામક મહાકાવ્યમાં 3,600 શ્લોકમાં સેંટ જૉસેફનું જીવન આલેખાયું છે, એ તેમની સર્વોત્તમ કૃતિ છે. ‘પરમાર્થ…

વધુ વાંચો >

સત્તા

સત્તા : કોઈ પણ ક્ષેત્રમાં નીતિવિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપર્યુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ. સત્તાનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ તો રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. રાજકીય પ્રક્રિયાના લગભગ બધા સ્તરો(પંચાયતથી સંયુક્ત રાષ્ટ્રો સુધી)એ વધતા-ઓછા પ્રમાણમાં…

વધુ વાંચો >

સત્તાની સમતુલા

સત્તાની સમતુલા : દેશો યા દેશોનાં જૂથો વચ્ચે સત્તાના લગભગ સમાન પ્રભાવની વ્યવસ્થા ઊભી કરી તે દ્વારા રક્ષણ મેળવી શાંતિ જાળવી રાખવાની એક પ્રયુક્તિ. તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અગત્યનો સિદ્ધાંત હતો અને શાંતિની સ્થિતિ જાળવી રાખવા યા આવનાર યુદ્ધ અટકાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે સત્તાના વાસ્તવિક વિતરણ સાથે સંબંધ…

વધુ વાંચો >

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય)

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય) (જ. 1 જુલાઈ 1935, હંપાસાગર, કર્ણાટક) : પંડિત અને પુરાતત્વવિદ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા કર્ણાટક યુનિવર્સિટીમાંથી અને કેમ્બ્રિજ, યુ.કે.માંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ 1970-95 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીમાં ઇતિહાસ અને પુરાતત્વવિદ્યા વિભાગના પ્રાધ્યાપક તથા 1978-95 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન આર્ટ-હિસ્ટરીના નિયામક તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્…

વધુ વાંચો >

સત્તારી સિલસિલા

સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ…

વધુ વાંચો >

સત્તાશૃંખલા

સત્તાશૃંખલા : સત્તા, હુકમ અને માહિતીસંચારનો પેઢીના વરિષ્ઠ સંચાલકથી પાયાના કર્મચારી સુધી વહેતો પ્રવાહ. ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ સમૂહમાં અસરકારક રીતે કામ કરી શકે, તેવું વાતાવરણ પ્રસ્થાપિત કરીને ટકાવવાની પ્રક્રિયાને સંચાલન કહે છે. ધ્યેયપ્રાપ્તિ માટે માનવ તથા અન્ય સાધનોનું વ્યવસ્થિત એકીકરણ કરીને અનેકવિધ પ્રક્રિયાઓને પદ્ધતિસર રીતે પાર પાડવી…

વધુ વાંચો >

સત્પથી, નંદિની (શ્રીમતી)

સત્પથી, નંદિની (શ્રીમતી) (જ. 9 જૂન 1931, વિશ્વનાથપુર, જિ. ખુર્દા, ઓરિસા; અ. 2005) : ઊડિયા લેખિકા અને અનુવાદક અને પ્રખર રાજકારણી. તેમણે ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1958માં તેઓ ઓરિસા મહિલા રાહત આયોગનાં સેક્રેટરી; માસિક ‘ધરિત્રી’ અને ‘કલના’નાં સંપાદિકા; 1962-67 તથા 1968-72 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય; 1966-68 દરમિયાન માહિતી અને પ્રકાશન…

વધુ વાંચો >

સત્પથી, બિજૉયકુમાર

સત્પથી, બિજૉયકુમાર (જ. 19 ઑક્ટોબર 1952, સુલિયા, જિ. જજપુર, ઓરિસા) : ઊડિયા વિવેચક અને નાટકકાર. તેમણે ઊડિયામાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે રેવનશા કૉલેજ, કટકમાં રીડર તરીકે કામગીરી કરી. 1993થી 1997 સુધી તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ઊડિયા સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા; ‘રૂપકાર’ થિયેટર ઑર્ગેનાઇઝેશનના સ્થાપક; ગોકર્ણિકા સાહિત્ય…

વધુ વાંચો >

સત્ય

સત્ય ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ. ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >